Posts

Showing posts from March, 2019

ધુળેટીઃ ઉજવણીમાં વિવિધતા...

ભારતભરમાં જુદા જુદા રાજ્યોમાં આ પર્વની ઉજવણીની પરંપરા અલગ અલગ જોવા મળે છે, પણ આ દિવસે રંગોની છોળો ઉડાડવાની પરંપરામાં સમાનતા જોવા મળે છે. આપણે ગુજરાતથી શરૂઆત કરીએ... રાજ્યનાં ગામડાઓ અને શહેરોમાં હોળી-ધુળેટીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. હોળીના દિવસે છાણાં, લાકડાં, પૂળા વગેરેમાંથી હોળી તૈયાર કરવામાં આવે છે અને રાતે તેને પ્રગટાવવામાં આવે છે. લોકો હોળીની ફરતે જળ ભરેલા લોટામાંથી પાણી નાખીને પ્રદક્ષિણા કરે છે. હોળીમાં ધાણી, ખજૂર, મમરા વગેરે પધરાવે છે. આખુંય વર્ષ નીરોગી રહેવાની પ્રાર્થના કરે છે અને લાડુ સહિતનું ભોજન કરે છે. બીજા દિવસે હોલિકાના બળી જવાની અને પ્રહલાદના બચી જવાની ખુશીમાં ધુળેટીનું પર્વ મનાવવામાં આવે છે. લોકો એકબીજાને પાણી, કેસૂડાનું પાણી અને અબીલ, ગુલાલ સહિતના રંગોથી રંગે છે. ઘેરૈયાઓ ઘરે ફરી ફરીને ગોઠ માગે છે. લોકો તેમને પૈસા, ખજૂર, ચોકલેટ એમ કંઈ પણ ગોઠ આપીને ખુશ કરે છે. હોળી-ધુળેટીમાં ગુજરાતભરમાંથી લાખો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરીને ડાકોર રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા પહોંચે છે. પડોશી રાજ્ય રાજસ્થાનમાં હોળીના દિવસે પરંપરાગત રીતે હોલિકાદહન કરવામાં આવે છે. ત્યારબાદ બી

Correct use of AC

As hot summer has started and we use  Air conditioners regularly, let us follow the correct method. Most people have a habit of running their ACs at 20-22 degrees and when they feel cold, they cover their bodies with blankets. This leads to double loss. HOW  ??? Do you know that the temperature of our body is 35 degrees Celsius? The body can tolerate temperature ranging from 23 degrees to 39 degrees easily. It is called human body temperature tolerance. When the Room temperature is lower or higher, the body  reacts, by sneezing, shivering, etc. When you run the AC at 19-20-21 degrees, room temperature is much lower than the normal body temperature and it starts the process called hypothermia in the body which affects blood circulation, whereby, blood supply in some parts of the body is not adequate. There are many disadvantages in  long term such as arthritis etc. Most of the time there is no sweating when AC is ON, so the toxins of the body can not come out and in the long

વિચારવા જેવું.....

આજે સર્વત્ર હિંદુ અને મુસલમાનોની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા હિન્દી કવિ *કુંવરનારાયણ* ની એક કવિતા યાદ આવી જાય છે.. કવિ લખે છે : "મારે મુસલમાનોને ખૂબ ધિક્કારવા છે પણ મને *મિર્ઝા ગાલિબ* આડો આવે છે, મારે અંગ્રેજોને પણ ખૂબ ધિક્કારવા છે પણ મને *શેક્સપિયર* આડો આવે છે"... *સાચો સર્જક કોઈને ધિક્કારી શકતો નથી,..*. બહુ લાંબો વિચાર કોઈપણ જાતના ઉશ્કેરાટ વિના કરીએ છીએ ત્યારે એક વાત તરત સમજાય છે કે સાહિત્ય એ કોઈ એક વિચારધારાનું વહન નથી કરતુ પણ અનેક વિચારધારાઓનું *સંગમતીર્થ* છે... હું મુસ્લિમ બંધુઓને ધિક્કારવાનું પાપ નહિ કરું.. કારણ કે...  દેશના તિરંગી ઝંડાને આકાર આપવામાં *રેહાના તૈયબ* નો હાથ હતો... સહુ પ્રથમવાર " જયહિન્દ "નો નારો *આબીદ હસન સફરાની* એ આપ્યો હતો.. "ઇન્કિલાબ ઝિંદાબાદ" નો નારો *હસરત મોહાનીએ* આપ્યો હતો... " ભારત છોડો " નો નારો *યુસુફ મહેરઅલીએ* આપ્યો હતો... દેશભક્તિનું યાદગાર ગીત " સરફરોશી કી તમન્ના અબ હમારે દિલમે હૈ " કવિ *બિસ્મિલ અજીમાબાદીએ* ૧૯૨૧ માં લખ્યું હતું, અને...  *" સારે જહાં સે