Posts

Showing posts from August, 2019

વ્યથા - આજના શિક્ષકની..

••• 1 ••• છેલ્લાં ઘણાં દિવસથી કેટલાંક શૈક્ષણિક બૂટલેગરો કહે છે કે, “પહેલાંના ઋષિમુનિઓ ઝાડ નીચે બેસીને ભણાંવતા હતાં છતાં આજના કરતાં સારું શિક્ષણ આપતાં હતાં.” વાગોળને હંમેશા દુનિયા ઉંધી જ દેખાય ! ગઈકાલના ઋષિમુનિઓનું જ લેટેસ્ટ વર્ઝન “શિક્ષક” છે. ઉપરના વાક્યને ફરી એકવાર વાંચો. “ઝાડ નીચે ભણાવતાં ......” યસ, ભણાવતાં અમે ક્યાં ભણાવીએ છીએ જ ? ૧૮ પુરાણો, શાસ્ત્રો જોઈ લીધાં, એક પણ ઋષિમુનિ BLO  ન હતાં. કોઈ ઋષિમુનિ ઓડીટ કરાવવા ગયા નહોતાં. કોઈ ઋષિમુનિ ૨૦ દિવસીય બ્લોક-ક્લસ્ટરની તાલીમમાં જોડાયા ન હતાં, એકપણ આશ્રમનું ઈન્સ્પેક્શન થયું ન હતું. હોળી-દિવાળી જેવા ઉત્સવો સિવાય અન્ય કોઈ ઉત્સવનું આયોજન કરેલ ન હતું. તે સમયે હજુ શિષ્યવૃતિના કોઈ પત્રકો બન્યા ન હતાં. ઓન લાઈન ડેટા એન્ટ્રીને લગભગ પાંચેક હજાર વર્ષની વાર હતી. તે સમયે રાજાશાહી હોવાથી કોઈ ઋષિમુનિને પ્રિસાઈન્ડિંગ કે પોલિંગ ઓફિસરનો ઓર્ડર મળ્યો ન હતો. ૯ નું ઉચ્ચત્તર પગાર ધોરણ મેળવવા કોઈ ઋષિમુનિ દર દર કી ઠોકરે ખાતાં જોવામાં આવ્યા નથી. આવું તો કેટલુંય ગણાવી શકાય તેમ છે. ઋષિમુનિઓ સફળ હતાં તેનું કારણ છે:- આશ્રમોમાં ગુરૂઓ સિવાય અન્ય કોઈ અધિકારી અથવા કેન્દ્

ભભભ

ક્રૃષ્ણ કાવ્યો...

1. કાનુડા વિચારજે ફરી અવતરતા, કે નખરા તારા હવે પોસાય એમ નથી, કોખ તો મળી જશે અવતરવા, હીંચકા હાલરડાંના મેળ ખાય એમ નથી, *અમુલ માં કરાવી આપીશ ઓળખાણ,* *માખણના મટકા કોઈ ઘરમાંય નથી,* જોગર્સ પાર્ક ઘરની પાસે જ છે, વૃંદાવનની ટીકીટ મળે એમ નથી, લઈ મોબાઈલ ને પહોંચી જજે ત્યાં, વાંસળી તો ક્યાંય જડે એમ નથી, *ગોપીઓ તો હજુ પણ મળે છે હજાર,* *રાધાની ભાળ હવે મળે એમ નથી,* રાસલીલા કરે તો tiktok માં મુકજે, પછી કહેતો નહી like મળતા નથી, *કંસને જો મારે તો ધ્યાન રાખજે,* *સાચાને અહીં જામીન જલ્દી મળે એમ નથી,* નાગદમન તો વિચારતો જ નહીં, એનીમલ રાઈટ્સ તું જાણતો નથી, મોરના પીંછા હવે ક્યાં ભરાવીશ, વેશભૂષા આવી કોઈને ગમે એમ નથી, જીન્સ તો ફાવશે ને વિચારી લેજે, નાઈટપાર્ટીમાં ધોતીયા ચાલતા નથી, *ગીતાનો ઉપદેશ કોને તું આપીશ,* *અર્જુન જેટલો કોઈની પાસે ટાઈમ પણ નથી,* one sided love થી ચેતીને ચાલજે, કોઈ મીરા હવે ઝેર પીવે એમ નથી, *આધાર કાર્ડ તો તારેય બનાવવું જ પડશે,* *આમ હજાર નામ હવે ચાલતા નથી,* website નો તો ખર્ચો છે જ તારે, તને મંદિરમાં કોઈ search કરતું નથી, *selfie લેવાનું તો ભૂલ્યા વ

કૃષ્ણ એટલે કોણ ?

      આપણા દેશમાં જન્મેલી એક એવી વિભૂતિ જેની કથાઓ, કાવ્યો અને પરાક્રમોએ આપણા ગ્રંથો છલકાવ્યા છે. જેણે બોલેલા શબ્દો એક એવા ગ્રંથમાં પરિમાણ પામ્યા છે કે આજે પણ અદાલતોમાં એ ગ્રંથાવલીને સત્યની સોગંધ લેવા વાપરવામાં આવે છે. આવી માનવના રૂપમાં મહામાનવની પદવી ધરાવતી વ્યક્તિ એટલે કૃષ્ણ! એક સામાન્ય જેલમાં જન્મેલી વ્યક્તિ સમગ્ર આર્યાવર્તમાં ધર્મની સ્થાપના પણ કરી શકે એનું તાદયશ ઉદાહરણ એટલે કૃષ્ણ.મનુષ્યે જન્મે મહાન નથી હોતો પરંતુ એના કર્મે મહાન બનતો હોય છે; આ વિચારનું જન્મસ્થાન અને સાબિતી એટલે કૃષ્ણ!      ક્યાંય જોયો છે એવો ઈશ્વર કે જે આમ તો રાજા હોય પરંતુ પોતાના બાળપણના મિત્રના આગમન સમયે ખુલ્લા પગે દ્વારિકાની શેરીઓમાં દોડી જાય? ત્રણ મુઠ્ઠી તાંદુલના બદલામાં ત્રણ ભુવનની સુખ-સાહ્યબી પોતાના મિત્રના ભાગ્યમાં લખી આપે? નાનપણના પ્રેમને ભૂલે નહિ પણ પોતાની પત્નીની ખ્વાહીશે સ્વર્ગનું પારિજાત વૃક્ષ ઇન્દ્ર સાથે ઝઘડીને લઇ આવે? એક જ પ્રકારની સ્ટીરીયોટાઇપ થતી ઇન્દ્રની પૂજાનો વિરોધ કરી પર્વતો, વૃક્ષો અને ગાયોની પૂજા શરુ કરાવે અને જરૂર પડ્યે આખે આખો ગોવર્ધન ઉપાડી લે? ગામ લોકોની માખણની માટલીઓ ફોડે અને પાછો માઁ યશોદ

કબજીયાત...

*કબજિયાત જયારે આવે છે, તો એકલી જ નથી આવતી, વાંચો સાથે કયા કયા રોગો લઈને આવે છે.*   આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે આ જે કોષ્ટબદ્ધતા (કબજિયાત) છે, જેને મળબદ્ધતા પણ કહેવામાં આવે છે. આ દુનિયાની સૌથી ખરાબ બીમારી છે. જે એક વખત શરીરમાં પ્રવેશ કરી ગઈ તો સેંકડો બીમારીઓને આવકારે છે. તેને મજાકમાં પણ ગંભીરતાથી કહેવામાં આવે છે કે મદર ડીસીસ (Mother Diseased) છે. જો તે આવી ગઈ તો બધી જ બીમારીઓ આવવા લાગે છે, તેમાં ડાયાબિટીઝ પણ આવશે, ઘૂંટણનો દુઃખાવો, ગેસ બનશે, અલ્સર પણ થશે, હાર્ટએટેક પણ આવશે, અનિંદ્રાની સમસ્યા પણ આવશે, તો મૂળ વાત તો એ છે કે જો આ એક નાની એવી બીમારી (કબજિયાત) તમારા શરીરમાં આવી તો સેંકડો બીમારીઓ આવશે એટલા માટે રાજીવભાઈએ પાછળના વિડીઓમાં કહ્યું હતું કે પાણી હંમેશા એટલું ગરમ પીઓ કે તમારું શરીર સહન કરી શકે. શરીરને જો માપીને જોઈ લઈએ તાપમાનના રૂપમાં તો શરીરનું તાપમાન 37 ડિગ્રીની આસ પાસ હોય છે. તો આયુર્વેદિકની વ્યવસ્થા એ છે કે જેટલું ગરમ તમારું શરીર છે ઓછામાં ઓછું તેટલું તો ગરમ પાણી તમે પી શકો છો. કેમ કે ઘડામાં રાખેલું પાણીને ઠંડુ પાણી માનવામાં નથી આવતું. જે સામાન્ય તાપમાન હોય છે

ઘી નુકશાનકારક નથી...

*ઘી ખાવાથી ચરબી વધે જેવી ખોટી વાતો થી તમને મૂર્ખ બનાવવામાં આવે છે, જાણો હકીકત શું છે.*   દરેક ઘરમાં એક અવાજ જરૂર આવે છે કે “મારા માટે વગર ઘી ની રોટલી બનાવજે”, તમારા ઘરમાંથી પણ આવતી હશે, પરંતુ ઘીને ના પાડવી સીધું સ્વાસ્થ્યને ના પાડવી છે. પહેલાના લોકો દરરોજ ખાવામાં ઘી નો ઉપયોગ કરતા હતા. ઘીનું એટલે દેશી ગાયનું શુદ્ધ ઘી. ઘીને સારું માનવામાં આવે છે, અને કોલેસ્ટ્રોલ અને હાર્ટ અટેક જેવી બીમારીઓ ક્યારેય સાંભળવા મળતી નથી. પરંતુ તો પણ શરુ થઇ ઘી ની ખોટી પબ્લિસિટી, મોટી મોટી વિદેશી કંપનીઓ ડોક્ટર્સની સાથે મળીને પોતાના બેકાર અને યુઝલેસ પ્રોડક્ટ્સ ને સેલ સેલ કરવા માટે લોકોમાં ઘી પ્રતિ નેગેટિવ પબ્લિસિટી શરુ કરી. અને આ કહેવામાં આવે છે કે “ઘી થી મોટાપો” આવે છે, “કોલેસ્ટ્રોલ વધે” છે. અને “હાર્ટ અટેક” આવવાની સંભાવના વધે છે. જયારે ખરેખરમાં ખોટું છે. જયારે રીફાઇન્ડ અને બીજા વનસ્પતિ તેલ અને ઘી આ બધા રોગોનું કારણ છે. જયારે લોકો બીમાર થશે તો જ ડોક્ટરનો ધંધો થશે. આ વિચારની સાથે આ વિદેશી લૂંટેરી કંપનીઓ સાથે ડોક્ટર પણ મળી જાય છે. હવે આ માર્કેટમાં કેટલીક સ્વદેશી કંપનીઓ પણ આવી ગઈ છે. અને વારંવાર લોકોના મગજમાં

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો અને ફરકાવવાની રીત....

રાષ્ટ્રધ્વજ ફરકાવવાના નિયમો :- વિવિધ પ્રસંગોએ જુદે જુદે સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. આવે વખતે તેનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ તે સમજાવવા માટે વખતોવખત તે અંગેના સામાન્ય માર્ગદર્શન માટેના નિયમો આપવામાં આવે છે. આ નિયમો નીચે આપવામાં આવે છે. સત્તાવાર ધ્વજ ફરકાવવા માટે તમામ પ્રસંગોએ ભારતની ધોરણ સ્થાપન સંસ્થા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના અને ધોરણ ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો જ ઉપયોગ કરવો, બીજા પ્રસંગોએ પણ યોગ્ય કદના રાષ્ટ્રધ્વજ ફરકાવવા ઇચ્છનીય છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાચી રીત :- (૧) જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને હોવો જોઈએ અને સ્પષ્ટ દેખાઈ આવે તે રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. (૨) જ્યારે તેને જાહેર મકાનો પર ફરકાવવામાં આવે ત્યારે તે રવિવાર અને રજાના દિવસો સમેત બધા જ દિવસો સમેત બધા જ દિવસોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી હવામાન ગમે તે પ્રકારનું હોય તો પણ ફરકાવી શકાશે. આવાં મકાનો પર ક્વચિત જ ખાસ પ્રસંગોએ રાત્રે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાશે. (૩) રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું કાર્ય ત્વરાએ થવું જોઈએ અને તેને ઉતારતી વખતે તેને ધ