Posts

Showing posts from September, 2021

દિકરી દિવસ-Daughter's Day-बेटी दिवस...

 આકરો અભિપ્રાય... દીકરીનો મહિમા ગાવો જ જોઈએ, પણ સાથે સાથે આ બાબતોની ભૂલવા જેવી નથી.. 26મી સપ્ટેમ્બર વિશ્વ દીકરી દિવસ તરીકે ઉજવાય છે. "દીકરી એટલે વહાલનો દરિયો અને માતા-પિતાએ  પોતાના હૃદયમાં ભરીઓ.."  બાય ધ વે, દરિયો એટલે સાગર-સમુદ્ર નહીં હોં. દરિયો એટલે મોટી નદી, જે સાગર પાસે આવેલી હોય.  દરિયો અને સાગર જુદા જુદા છે.  હવે મૂળ વાત કરીએ. વિશ્વ દીકરી દિવસે સોશિઅલ મીડિયા પર દિકરીનો મહિમા ગાતા-રજૂ કરતા અનેક સુંદર-રસપ્રદ અને પ્રેરક સંદેશ- ઓડિયો કે વીડિયો જોવા મળે. આ બધુ જોઈને આનંદ જ થાય. દીકરીનો મહિમા ગાઈએ એટલો ઓછો. આપણે સદીઓ સુધી દીકરીઓ અને સ્ત્રીઓને ખૂબ અન્યાય કર્યો છે. સ્થિતિ હવે સમતોલ થવા તરફ ગતિ કરી રહી છે એ સારી નિશાની છે.  ... પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. 1. દીકરીઓને અપાતી સ્વતંત્રતા અને સુવિધા અને જીવનની સાચી સુગંધ શહેરો-નગરોમાં પહોંચી છે. ગુજરાતનાં ગામો છે 18232. ગામોમાં, કેટલાક સમુદાયોમાં હજી પણ દીકરીઓ અભાવથી પીડાય છે અને તેમની સાથે ભેદભાવ પણ થાય છે.  2. કોઈ પણ સ્વતંત્રતા જવાબદારી સાથે જ જન્મતી હોય છે. સ્વતંત્રતા અને સ્વચ્છંદતા વચ્ચે તસુભારનો ફરક હોય છે. ગુજરાતની

શ્રાદ્ધ વિષે...

Image
  ● 1 ● કડવુ સત્ય* 🤔🤔🤔🤔🤔🤔🤔 *જીવતા હોય ત્યારે કોઈ ના માં-બાપ "બ્રાહ્મણ "કોઈ ના "ક્ષત્રિય "કોઈ ના "વૈશ્ય "કોઈ ના "શુદ્ર... હોય છે* *એમાંય પાછી અલગ અલગ જ્ઞાતિ ઓ અને નાતજાતના 18 વાળા પાછા સ્મસાન પણ અલગ-અલગ* *તો મર્યા પછી દરેક ના માં-બાપ કાગડો જ કેમ???  શ્રાદ્ધ વખતે 🤔* *કોઈના માં-બાપ હોલો હોવા જોઈએ ?*  *કોઈના માં-બાપ હંસ હોવા જોઈએ?*  *કોઈના માં-બાપ મોર હોવા જોઈએ?*  *કોઈના માં-બાપ પોપટ હોવા જોઈએ?*  🤔🤔🤔🤔🤔🤔🤔🤔 *તો પછી આવું કેમ? 🤔* *જીવતા હોય ત્યારે બધાના માં- બાપ જુદા જુદા...અને મર્યા પછી એક જેવા?* *સ્વયમ્ પ્રકાશીત થાઓ*  🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ●2● *श्राद्ध*  ●  વિચાર્યું એકાદ શર્ટ લઈ લઉં તો ઠીક રહેશે પણ ત્યાં તો દિકરાનો જન્મદિવસ યાદ આવતાં જ બાપે પોતાના શર્ટ ખરીદવા ના વિચારનું તેજ ક્ષણે *શ્રાદ્ધ* કર્યું.  ●  આખો દિવસ દુઃખતી આંખો હવે ઊંઘવા માટે જાણે કે ઢળી પડતી હતી ત્યાં જ લાગ્યું કે દીકરાનું શરીર તાવને લઈને ગરમ છે, માએ તુરતજ પોતાની નિંદ્રા નું *શ્રાદ્ધ* કર્યું.   ●  રોજ હાથમાં સાવ જર્જરિત થઇ ગયેલી ઓફીસ બેગ લઈ જતા બાપે નવી બેગ ખરીદવાનું સપનું

નવાં મુખ્ય મંત્રી બન્યા બાદ...

 *નવા  અંગુઠા છાપ મિનિસ્ટર્સ  ને અભિનંદન*💐  નવા મંત્રીમંડળમાં, 1 મંત્રી ધોરણ-4 પાસ 3 મંત્રી ધોરણ-8 પાસ 5 મંત્રી ધોરણ-10 પાસ 3 મંત્રી ધોરણ-12 પાસ - એક સામાન્ય પટાવાળા ની નોકરી માટે  12 પાસ અને પરીક્ષા આપવાની એમાં સારા માકૅસ સાથે  પાસ થાવ ત્યારે પછી  નોકરી મળે છે . -તલાટી ની નોકરી કરવા માટે પરીક્ષા પાસ કરવાની . જુનિયર ક્લાર્ક ની જોબ કરવા માટે graduate માગે છે અને નોકરી ની કોઇ ગેરંટી નહીં . પરીક્ષા પાસ કરો ત્યારે જોબ મળે.  સિનિયર ક્લાર્ક ની જોબ કરવા માટે graduate માગે છે અને નોકરીની કોઇ ગેરંટી નહીં. પરીક્ષા પાસ કરો ત્યારે જોબ મળે અને પરીક્ષા graduate , post graduate કરો પછી આપવા મળે છે .  જુનીયર ક્લાર્ક બનવા માટે પરીક્ષા બિનસચિવાલય ના ક્લાર્ક બનવા માટે પરીક્ષા શિક્ષક બનવા માટે પરીક્ષા કોન્ટેબલ બનવા માટે પરીક્ષા Psi બનવા પરીક્ષા  Pi બનવા પરીક્ષા  Asi બનવા પરીક્ષા  કલેક્ટર બનવા પરીક્ષા  મામલતદાર બનવા પરીક્ષા  Sp બનવા પરીક્ષા  Dysp બનવા પરીક્ષા  ips officer બનવા  પરીક્ષા  ias officer બનવા પરીક્ષા  આવી તો ઘણી એવી પોસ્ટ છે જે graduate , post graduate પર પરીક્ષા લેવાય છે પછી નોકરી  મળે છે . પણ

મુખ્ય મંત્રીશ્રી વિજય રૂપાણીનું રાજીનામું...ઉર્ફે રૂપાનું નારાજગીનામું...

Image
  ●●● ●●● ●●● ●●● ●●● ●●● ●●● ●●● ●●● ●●● *દુઃખદ ઘટના* 😭😭😭 *હિંદી ભાષા થી આપણો મનોરંજન કરતા રૂપાણી સાહેબ હવે મુખ્યમંત્રી ના પોશાક માં જોવા નહિ મળે.* 😀😀😀😀😀😀😀 ●●● ●●● ગુજરાત માં પડેલી મુખ્યમંત્રી ની જગ્યા 11 માસ ના કરાર આધારિત ભરવાની છે તો ઈચ્છુક ઉમેદવારો એ ફોર્મ ભરી દેવું😄😜 ●●● ●●● ●●● ●●● ●●● અશક્ય ને શક્ય બનાવે તે ભાજપની સરકારમાં બની રહ્યું છે,  સાથ કોઈનો નહિ પણ વિકાસ મળતીયાઓ નો.... ●●● મુખ્યમંત્રીના નામને લઈ ચર્ચાઓ શરુ મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, નીતિન પટેલ, આર સી ફળદું, પરષોત્તમ રુપાલાના નામની અટકળો... ●●● *રૂપાણીનું રાજીનામું.....* એ સમાચાર જુના થઈ ગયા... એક સવાલ એ થવો જોઈએ કે પૂર્ણ બહુમતી હોવા છતાં રાજીનામું કેમ આપવું પડ્યું ?   રૂપાણીનું રાજીનામું એ ગુજરાતની જનતાને ડફોળ બનાવવાની એક પદ્ધતિનો ભાગ છે. જ્યારે જ્યારે ગુજરાતની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે  ત્યારે ત્યારે એમને મુખ્યમંત્રી બદલ્યા છે. કેમ કે નવા મુખ્યમંત્રીના ચેહરાના કારણે ભાજપની ભૂતકાળની નિષ્ફળતા ભાજપ એના આઇટી સેલના પ્રચારથી લોકોને ભૂલવાડી દે છે અને ગુજરાતની ભોળી જનતા એમની વાતોમાં આવીને ફરીથી ફસાઈ જાય છે...  

એક કમ કસોટી કથા...¿

મને એક આદર્શ એકમ કસોટી તપાસવા લાગતો સમય...... ઓછામાં ઓછી 20 મિનિટ.... જો હું બાળકનું તમામ લખાણ વાંચું, ઉકેલવા પ્રયત્ન કરું, એના ગુણ જ્યાં કપાયા ત્યાં સ્પષ્ટ નિર્દેશ કરું, એની બધી ભૂલો આવરી લેવાય એવા સૂચન કરું.             હવે મારી પાસે એક વર્ગની 50 લેખે 3 વર્ગની 150 કસોટી આવે છે, એટલે મારે માનનીય સ્કૂલ ઇન્સ્પેકટરશ્રીની નજરોમાં બેસ્ટ કહી શકાય એવી તપાસણી કરવા ટોટલ 3000 મિનિટ એટલેકે 50 કલાક સમય ફાળવવો પડે હવે મારી પાસે સંપૂર્ણ શિક્ષણ કાર્ય કરવા અઠવાડિયાના 45 કલાક છે. એટલે એડજસ્ટ કરવા એક કસોટી તપાસવા હું સમય ઘટાડો કરું તો પણ si શ્રી ને સંતોષ થાય એવી કસોટી તપાસવા મારે 10 મિનિટ પર કસોટી ફાળવવી જ પડે. ક્યારેક દસ પંદર બાળકો 0થી5 ગુણ વચ્ચેના હોય એટલે કસોટી ઝડપી તપાસાય પણ સામે એમની પુનઃકસોટી લેવાની એટલે ત્યાં મારે 20 મિનિટ આપવી જ પડે.            હવે હું 45 મિનિટનો તાસ લેવા જાઉં છું ત્યારે શીખવવાના મુદ્દા, દૈનિકબુક મુજબ, અને યોગ્ય LM નો ઉપયોગ કરવાનો જોડે પ્રશ્નોત્તરી કરવાની, ટેક્નોલજીનો ઉપયોગ કરવાનો દરેક બાળકને સમાન તક આપવાની અને જરૂરિયાત વાળા બાળકો પર વિશેષ ધ્યાન આપીને ભણાવવાનું, છતાંય મને ખુદને

શું થઈ રહ્યું છે શિક્ષક અને શિક્ષણનું ??

શું થઈ રહ્યું છે પ્રાથમીક શાળાઓમાં ? છે કોઈ માઈનો લાલ જે આ વાહિયાત સિસ્ટમને ચેલેન્જ કરી શકે? ક્યાં ગયા એ શિક્ષકો જે ખુમારીથી ભરેલા હતા. જેનામાં સત્યની તાકાત હતી જે કલેકટરને પણ પરખાવી દેતા કે હું એક ગુરુ છું ને મારા વર્ગ નો રાજા હું જ છું. મારા વર્ગ ના કયા બાળકને શુ આપવું ને શુ જરૂરિયાત છે એ હું જ નક્કી કરીશ તમે નહિ! શિક્ષકની શીખવવાની આઝાદી પર મોટી તરાપ મરાઈ રહી છે. વર્ગખંડ માં શિક્ષકે કયો વિષય કેવી રીતે શીખવવો એ એની વ્યક્તિગત આવડત અને પોતે કેળવેલી કોઠા સુજ પર આધારિત હોય છે. હા એમા સુધારા સૂચવી શકાય પણ એ સુધારાઓનો અમલ ફરજીયાત પણે કરાવવો એ તો શિક્ષક જ નહીં પણ બાળક પર પણ ક્રૂરતા કહેવાય.  સરકારના એક સંશોધન મુજબ ગુજરાતી મૂળાક્ષરોને કઈક અલગ જ ક્રમમા શીખવવાની પ્રથા છેલ્લા લગભગ 7 વરસથી ચાલે છે. આજ સુધી આપણે 'ક', 'ખ', 'ગ' આ જ ક્રમમાં કક્કો શીખ્યા છીએ. પણ આ સંશોધન મુજબ લગભગ 7 વર્ષથી 'ન', 'મ', 'ગ', 'જ' આવી અલગ જ પ્રકારની પ્રણાલી ચાલી રહી છે. બાળક નાનું હોય ત્યારે થી જ એ ઘરના માહોલ માંથી એક ચોક્કસ પ્રકારના કક્કાનો મહાવરો લઈને શાળામા દાખલ થાય

ખ્રિસ્તી લગ્ન બ્યુરો...

Image
 1. વડોદરા