કબજીયાત...

*કબજિયાત જયારે આવે છે, તો એકલી જ નથી આવતી, વાંચો સાથે કયા કયા રોગો લઈને આવે છે.*

 
આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે આ જે કોષ્ટબદ્ધતા (કબજિયાત) છે, જેને મળબદ્ધતા પણ કહેવામાં આવે છે. આ દુનિયાની સૌથી ખરાબ બીમારી છે. જે એક વખત શરીરમાં પ્રવેશ કરી ગઈ તો સેંકડો બીમારીઓને આવકારે છે.

તેને મજાકમાં પણ ગંભીરતાથી કહેવામાં આવે છે કે મદર ડીસીસ (Mother Diseased) છે. જો તે આવી ગઈ તો બધી જ બીમારીઓ આવવા લાગે છે, તેમાં ડાયાબિટીઝ પણ આવશે, ઘૂંટણનો દુઃખાવો, ગેસ બનશે, અલ્સર પણ થશે, હાર્ટએટેક પણ આવશે, અનિંદ્રાની સમસ્યા પણ આવશે,



તો મૂળ વાત તો એ છે કે જો આ એક નાની એવી બીમારી (કબજિયાત) તમારા શરીરમાં આવી તો સેંકડો બીમારીઓ આવશે એટલા માટે રાજીવભાઈએ પાછળના વિડીઓમાં કહ્યું હતું કે પાણી હંમેશા એટલું ગરમ પીઓ કે તમારું શરીર સહન કરી શકે. શરીરને જો માપીને જોઈ લઈએ તાપમાનના રૂપમાં તો શરીરનું તાપમાન 37 ડિગ્રીની આસ પાસ હોય છે.

તો આયુર્વેદિકની વ્યવસ્થા એ છે કે જેટલું ગરમ તમારું શરીર છે ઓછામાં ઓછું તેટલું તો ગરમ પાણી તમે પી શકો છો. કેમ કે ઘડામાં રાખેલું પાણીને ઠંડુ પાણી માનવામાં નથી આવતું. જે સામાન્ય તાપમાન હોય છે. તેનાથી લગભગ તેનાથી 2 કે 3 ડિગ્રી જ ઓછું હોય છે.

પરંતુ રેફ્રિજરેટર ફ્રિજનું જે પાણી છે કે બરફનું પાણી છે, તેનું તાપમાન ખુબ જ ઓછું હોય છે ફ્રિજમાં રાખેલું પાણીનું તાપમાન 4 કે 5 ડિગ્રી ની આસપાસ પહોંચી જાય છે. જે શરીરથી ખૂબ જ ઓછું છે એટલા માટે આયુર્વેદિકમાં ફ્રીજનું પાણી બરફ નાખેલું પાણી નિષેધ છે. ફ્રીજનું પાણી ક્યારેયના પીવું જોઈએ.

જો તમારું પેટ સાફ નથી થતું તો બરોબર ઊંઘ નથી આવતી. તેના માટે અજમો એક ખુબ સારી દવા છે. જો ઘરમાં કાચો અજમો છે. તો તેની અડધી ચમચી લો અને તેમાં માત્ર ગોળ ભેળવી લો, ગોળ અને અજમો બંનેને ભેળવી ચાવીને ખાઓ અને પાછળથી પાણી પીઓ, આ કામ તમારે રાત્રે સૂતી વખતે કરવાનું છે, તો જયારે તમે સવારે ઉઠશો તો તો તમારું પેટ એક જ વખતમાં સાફ થઇ જશે. જો અજમો અને ગોળને સાથે લેશે તો તમને કબજિયાત ક્યારેય નહિ થાય. આ પેટ સાફ કરવાની એક સારી દવા છે.



પેટ સાફ કરવા માટે ત્રિફળા ચૂર્ણ પણ લઇ શકો છો. ત્રિફળા ચૂર્ણ આમળા, હરડે અને બેહડાથી બને છે. રાત્રે સૂતી વખતે એક ચમચી ત્રિફળા ચૂર્ણ લો. તેને તમે દૂધ સાથે નહીં, તો ગરમ પાણી સાથે મિલાવીને પી શકો છો. તે પણ પેટ સાફ કરે છે.

એક વધુ મફતનો ઈલાજ છે પેટ સાફ કરવા માટે પાણીને હંમેશા મમળાવી મમળાવીને પીયો જેમ ચાવી ચાવીને ખાવાથી લાળ ભળે છે, તેમ મમળાવીને પાણી પીવાથી લાળ પાણી સાથે મળીને અંદર જાય છે અને જેટલી વધુ લાળ તમારા પેટમાં જશે પેટ એટલું જ સાફ થશે. તો આ માટે તમે વધુ ચાવીને ખાવાની ટેવ પાડો તો પણ લાળ વધુ પેટમાં જશે નહીં તો પાણીને ધુંટડે ધુંટડે પીવાનું શરૂ કરી દો તો તે બધાથી પેટ સાફ થાય છે.
*🙏સૌજન્ય 🙏*

*વેદ આયુર્વેદિક ઇન્ટરનેશનલ પંચકર્મ સેન્ટર તથા પંચગવ્ય રિસર્ચ સેન્ટર સાવરકુંડલા અમરેલી જિલ્લો ગુજરાત રાજ્ય*

*ગવ્યશ્રી વૈદ્ય બળભદ્ર મહેતા*

*🤳9427888387🤳*

https://vedayurvedik.com

સંકલન અને પ્રચાર = જયંતી આઈ.પરમાર,આણંદ

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...