Posts

Showing posts from August, 2025

ગોત્ર

 . *📿 શું તમે જાણો છો કે, તમારું ગોત્ર કયું છે? ગોત્ર એ કોઈ અનુષ્ઠાન કે અંધવિશ્વાસ નથી પરંતુ આપણો પ્રાચીન કોડ છે. આ આખા લેખનને ક્રમાનુસાર એકાગ્રતાથી વાંચન કરશો જે તમારા અતીત પર નિર્ભર કરે છે. તમે તમારા અસલી ગોત્રની તાકાત જાણો છો ? *(૦૧) ✍️ ગોત્ર એ તમારું ઉપનામ નથી પણ આપણો આધ્યાત્મિક ડી.એન.એ. (D.N.A.) છે.* આપણામાંથી ઘણાબધા નહિ જાણતા હોય કે, આપણે કયા ગોત્રથી છીએ. આપણને એવું લાગે કે, લગ્ન સમયે અથવા પૂજામાં પંડિતજીએ કહેલી કોઈ વેદોક્ત પંક્તિ છે. વાસ્તવમાં એવું નથી. આપણા ગોત્રનો મતલબ છે; આપણે કયા ઋષિના મન, વિચારથી જોડાયેલા છીએ. લોહીના સંબંધથી નહિ પણ વિચાર, ઉર્જા, આવૃત્તિ અને જ્ઞાનથી સંલગ્ન છીએ. કોઈપણ હિન્દૂ કોઈપણ જ્ઞાતિ, નાત કે જાતના હોય એ દરેક આધ્યાત્મિક રૂપથી કોઈ ઋષિ પરંપરા સાથે જોડાયેલા છીએ. આ આપણા ગોત્રના ઋષિ એ આપણા બૌદ્ધિક પૂર્વજ છે. તેમની બુદ્ધિ, તેમનું માનસિક પેટર્ન તેમની માનસિક આવૃત્તિ આ બધું જ આપણા માધ્યમથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે વહેતુ થાય છે.  *(૦૨) ✍️ ગોત્રનો મતલબ જાતિ નથી.* આજે લોકો ગોત્ર સાથે જાતિનું જોડાણ કરી નાખે છે. ગોત્ર:- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ...

પાટણનાપટોળા નો ઈતિહાસ

Image
      પાટણનાં પટોળાં સાથે એક રસપ્રદ કથા પણ સંકળાયેલી છે. છેક ૧૨મી સદીમાં ઈ.સ. ૧૧૭૫ના અરસામાં પાટણના સોલંકીવંશના રાજવી મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહના ઉત્તરાધિકારી મહારાજ કુમારપાળ સોલંકી ચૂસ્ત જૈન ધર્મી હતા.       તેઓ દરરોજ પ્રાત:કાળે પુજાવિધિમાં બેસતી વેળા રેશમી પટોળાંનું ધોતીવસ્ત્ર અને ઉપવસ્ત્ર પસંદ કરતા. તેઓ દરરોજ નવા વસ્ત્રનો જ આગ્રહ રાખતા. એ વખતે (૧૨મી સદીમાં) હાલના મહારાષ્ટ્રના દક્ષિણે ઔરંગાબાદ પાસે આવેલા જાલના પ્રાન્તના મુંગીપટ્ટગામા વિસ્તારમાં વસતા પટોળાંનાં કુશળ કસબીઓ જ પટોળાં બનાવતા.       પાટણના રાજવીના ધ્યાનમાં આવ્યું કે જાલનાનો રાજા પોતાના રાજમાં બનતા પટોળાંનો એક વાર ઉપયોગ કર્યા પછી જ તે પટોળાંને જાલનાની બહાર વેચવા માટે મોકલવાની રજા આપે છે. હવે એક વાર વાપરેલું યા પહેરેલું પટોળું પુજા વિધિમાં કેવી રીતે લઈ શકાય?       આથી પાટણના રાજવી કુમારપાળ સોલંકીએ જાલના ઉપર ચઢાઈ કરી અને યુદ્ધમાં સમગ્ર પ્રદેશ જીતી લીધો. રાજાને બંદી બનાવાયો અને જાલનામાં વસતા તમામ ૭૦૦ સાળવી - વણકર પરિવારોને માનપૂર્વક પાટણ લાવીને વસા...

અડાસનું શહીદ સ્મારક.

Image
ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલા અડાસ ગામે ૧૮મી ઓગષ્ટ ૧૯૪૨ ના રોજ શહાદતનો ઈતિહાસ સર્જ્યો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની નાની આવૃત્તિ સમી આ ઘટના હજુ પણ લોકોના હ્રદયમાં કંડારાયેલી છે.  આઠમી ઓગસ્ટે ગાંધીજીએ પ્રવચન આપેલું અને એમાં અંગ્રેજ સરકારને 'હિન્દ છોડો' નું આદેશ આપેલો સાથે ભારતની જનતાને ' કરેંગે યા મરેંગે' નો મંત્ર આપ્યો. પછી તો પૂછવું જ શું? ગામેગામ અને શહેર શહેરમાં ગાંધીજીનો આ સંદેશો પહોંચાડવા માટે નવલોહિયા જુવાનિયાઓ લોકોમાં ઉત્સાહ પૂરવા અને જાગૃત કરવા ફરવા માંડ્યા. એમાં વડોદરા યુનિવર્સિટી માં અભ્યાસ કરતા પાંચ જુવાનિયાઓ પણ કે જેમની મૂછો હજુ હમણાં જ ફૂટી હતી એ પણ આ ચળવળમાં જોડાયા. એ લોકો વડોદરાથી કૂચ કરતા બાજવા ગયા અને ત્યાંથી ગાડીમાં બેસી નાવલી ગયા. નાવલીથી તેઓ ચાલતા વડોદ ગયા. ત્યાં તેઓ પોલીસની નજરે ચડ્યા અને સુત્રોચ્ચાર કરતા અને પત્રિકાઓ વહેંચતા તેઓ સૌ ત્યાંથી ગોપાલપુરા અને જહાંગીરપુરા થઈ આણંદની ઈન્સ્ટીટ્યુટ ઓફ એગ્રિકલ્ચરમાં પહોંચ્યા. કેટલાક યુવાનો આણંદ શહેરમાં પણ ગયા. આમ બધે ક્રાંતિનો સંદેશો ફેલાવતા બપોર બાદ તેઓ આણંદથી પાછા વડોદ આવી પહોંચ્યા. વડોદની ભાગોળે એક ખેડૂ...