ગોત્ર
. *📿 શું તમે જાણો છો કે, તમારું ગોત્ર કયું છે? ગોત્ર એ કોઈ અનુષ્ઠાન કે અંધવિશ્વાસ નથી પરંતુ આપણો પ્રાચીન કોડ છે. આ આખા લેખનને ક્રમાનુસાર એકાગ્રતાથી વાંચન કરશો જે તમારા અતીત પર નિર્ભર કરે છે. તમે તમારા અસલી ગોત્રની તાકાત જાણો છો ? *(૦૧) ✍️ ગોત્ર એ તમારું ઉપનામ નથી પણ આપણો આધ્યાત્મિક ડી.એન.એ. (D.N.A.) છે.* આપણામાંથી ઘણાબધા નહિ જાણતા હોય કે, આપણે કયા ગોત્રથી છીએ. આપણને એવું લાગે કે, લગ્ન સમયે અથવા પૂજામાં પંડિતજીએ કહેલી કોઈ વેદોક્ત પંક્તિ છે. વાસ્તવમાં એવું નથી. આપણા ગોત્રનો મતલબ છે; આપણે કયા ઋષિના મન, વિચારથી જોડાયેલા છીએ. લોહીના સંબંધથી નહિ પણ વિચાર, ઉર્જા, આવૃત્તિ અને જ્ઞાનથી સંલગ્ન છીએ. કોઈપણ હિન્દૂ કોઈપણ જ્ઞાતિ, નાત કે જાતના હોય એ દરેક આધ્યાત્મિક રૂપથી કોઈ ઋષિ પરંપરા સાથે જોડાયેલા છીએ. આ આપણા ગોત્રના ઋષિ એ આપણા બૌદ્ધિક પૂર્વજ છે. તેમની બુદ્ધિ, તેમનું માનસિક પેટર્ન તેમની માનસિક આવૃત્તિ આ બધું જ આપણા માધ્યમથી પરિવાર, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે વહેતુ થાય છે. *(૦૨) ✍️ ગોત્રનો મતલબ જાતિ નથી.* આજે લોકો ગોત્ર સાથે જાતિનું જોડાણ કરી નાખે છે. ગોત્ર:- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ...