💢 *છંદ* 💢 ▪છંદ એટલે *કાવ્યમાં મધુરતા* લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે. ▪છંદના *બે પ્રકાર* છે. ૧. અક્ષરમેળ છંદ ૨. માત્રામેળ છંદ ▪લઘુ અક્ષર એટલે જે વર્ણમાં *હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર* કહે છે. (લઘુની નિશાની U ) ▪ગુરૂ અક્ષર એટલે જે વર્ણમાં રહેલા *સ્વર દીર્ઘ હોઈ તેને ગુરૂ અક્ષર* કહે છે.( ગુરૂની નિશાની –) ▪ગણ એટલે *ત્રણ અક્ષરના સમુહને ગણ* કહે છે. ▪ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે *લઘુ- ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર* કહે છે. ▪ગણ રચના : *લઘુ- ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ* કહે છે. આવા આઠ ગણ છે. ▪ગણસૂત્ર :- *યમાતારાજભાનસલગા* *અક્ષરમેળ છંદ* :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા છંદ *માત્રામેળ છંદ* :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા *(૧) મનહર છંદ :-* ▪કુલ બે પંક્તિમાં હોય છે. કુલ *૩૧ અક્ષરો* હોય છે. ▪પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૫ અક્ષર હોય છે. ▪યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલ્લો અક્ષર ગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.) ...
Comments
Post a Comment