લાળ સવારની- એક ઓષધિ


જેને આપણે સવારમાં થૂંકી દઈએ છીએ, તે અમૃત છે,
 કેન્સર ઉપરાંત સેંકડો બીમારીઓ સારી કરી શકે છે.

આયુર્વેદ પ્રમાણે તમે જયારે સવારે ઉઠો તો સૌથી પહેલા પાણી પીઓ. એટલે કે દિવસની શરૂઆત પાણીથી કરો. આ ક્રિયાને “ઉષાપાન” કહે છે. ઉષાપાનનો અર્થ થાય છે કે સવારે ચાર વાગ્યે ઉઠો અને ઉઠીને સૌથી પહેલા પાણી પીઓ (૪ વાગે ઉઠતા નાં હોય તો જ્યારે ઉઠો ત્યારે).

તેના બે કારણ એ છે કે જયારે આપણે રાત્રે સૂઈને સવારે ઉઠીએ છીએ તો આપણા મોઢામાં લાળનું પ્રમાણ ખુબ જ હોય છે. અને જો આપણે પાણી પી લઈશું તો લાળ અંદર જતી રહેશે. એટલા માટે ક્યારેય સવારે ઉઠીને દાંત-મોં ન ધુઓ અને ન કોગળા કરો.
કેમ કે આમ કરવાથી તે લાળ બહાર થુંકવી પડે છે. અને સવારની લાળ ખૂબ જ વધુ આલ્કલાઈન (એસિડ વિરોધી) હોય છે, અને શરીરમાં જઈને ઘણા લાભ કરે છે.

લાળ શરીરમાં જઈને પેટની બધી બીમારીઓનો નાશ કરી દેશે. જરા પણ એસિડ બનવા નહીં દે તથા બનેલા એસિડ ને તટસ્થ(ન્યુટ્રલ) કરી દેશે.

 બધી બીમારીઓની શરૂઆત પેટની ગરબડથી જ થાય છે.

રાજીવ ભાઈ જણાવે છે કે તેમને સવારની લાળને જયારે ટેસ્ટ કરીને તેનો ph કાઢ્યો તો તે 8.4 નીકળ્યું. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી લાળમાં ખૂબ જ વધુ મેડિસિનલ પ્રોપર્ટીઝ રહેલી છે. ઘણા બધા લોકોને આંખોની નીચે કાળા અર્ધચક્ર આકારના ધાબા (કુંડાળા) થાય છે તે ઠીક ન થાય તો સવાર સવારની બનેલી લાળને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરો થોડા જ દીવસમાં તે ઠીક થઇ જશે.

જો કોઈની આંખો નબળી હોય અને તે ચશ્મા દૂર કરવા માંગતા હોય તો સવારની લાળને આંખમાં કાજલની જેમ લગાડો. તમારા ચશ્મા નીકળી જશે.
જો શરીરમાં તમને ક્યાંય ઘા વાગ્યો છે અને તે જલ્દી સારું થતું નથી તો તે જગ્યાએ પણ તમે લાળ લગાડી દો. તેની અસર તમને જલ્દી જોવા મળશે.
જો કોઈને ફોડકી કે ખીલ, મોહાસે કે છાપીયા થઇ જાય કે તેમનો ચહેરો ખુબજ ખરાબ દેખાવા લાગે તો એવામાં તેને સવારની લાળ ચહેરા પર લગાડવી જોઈએ. આમ કરવાથી તેમના ડાધ પણ મટી જશે.

રાજીવ ભાઈ જણાવે છે કે એક વખત તેમની પાસે એક દર્દી આવેલો જેનો ગરમ ગરમ દૂધથી હાથ દાઝી ગયો હતો. તેનો ધા તો ઠીક થઇ ગયો પણ ડાઘ દૂર થતો ન હતો. અને આ દર્દીને કોઈ પણ રીતે તે ડાઘ મટાડવો હતો. કેમ કે તે એક છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા.

તેના ઘરવાળા પરેશાન હતા કે સાસરિયાવાળા એ જોઈ લીધું તો ન જાણે શું થશે.
તો રાજીવ ભાઈ એ કહ્યું ઘરવાળાને પોતે જ સાચું જણાવી દે. તો છોકરીનું કહેવું હતું કે તે જણાવી શકે તેમ નથી તેનાંથી તેની સગાઈ તૂટી ન જાય એટલા માટે તેને ડાઘમાંથી છુટકારો જોઈએ છે તો રાજીવ ભાઈ એ તેને લાળ લગાડવાની સલાહ આપી.
તે છોકરીએ રોજ લાળ લગાડવાનું શરૂ કરી દીધું અને 6-7 મહિનામાં જ તેનો ડાઘ એકદમ ગાયબ થઇ ગયો.

તમારા જોવામાં ક્યારેય આવ્યું છે કે જાનવરોને જયારે પણ કંઈ વાગે છે અને તેના ઘા ને ચાટવા લાગે છે તે ભાગને વધુ ચાટીને જ મટાડે છે તો જાનવરોની પણ એજ વાત છે જે મનુષ્યની છે જાનવરોની લાળ પણ આલ્કેલાઇન છે અને ઘાને ચાટીને એમ જ ઠીક કરી દે છે. ગાય પોતાના બચ્ચાને ચાટી ચાટી ને તેની બધી જ બિમારી મટાડી દે છે.
મનુષ્ય પણ કરી શકે છે બસ તેમાં સેન્સફુલ (હોશિયાર) થવાની જરૂર છે.

રાજીવભાઈની પાસે બે દર્દી એવા છે જે કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે તેમને બચવાની સંભાવના બિલકુલ છૂટી ગઈ છે હવે તેમને દૂધ પણ પીવરાઓ કે ચા પણ પીવરાઓ તો બધું બહાર આવી જાય છે.
 કંઈ પણ અંદર નથી જતું કેમ કે લાળ જ નથી તો તે કરોડપતિ તેમને કહે છે કે કઈક દવા બતાવો,

ત્યારે રાજીવ ભાઈએ કહ્યું જો તમારી પાસે વધારે પૈસા છે તો અમેરિકાથી આયાત કરો લાળનું પેકેટ આવે છે અમેરિકામાં મળે છે. અમેરિકામાં અમુક કંપનીઓ છે જે લાળ નો બિજનેશ (ધંધો) કરે છે તે મનુષ્યની જ હોય છે જેવી રીતે શેમ્પુનું પેકેટ હોય છે ને તેવી જ રીતે તેઓ તેમાં લાળ ભરીને વેચે છે.
5 મિલી ગ્રામનું પેકેટ રૂપિયા 10000 નું છે તો તે બંને દર્દી દરરોજ 10 થી 12 પેકેટ ની લાળ ખરીદી ને રોજના 60000 થી 70000 ખર્ચ કરે છે પરંતુ સ્થિતિ બીજા દિવસે પછી પહેલા જેવી જ થઇ જાય છે મોઢું આખું સૂકું રહે છે એક બીજાની લાળ બીજાને કામ નથી આવતી પરંતુ તેઓ પોતાના સંતોષ માટે કરે છે જરૂર.

આજકાલ અમુક જીવન વીમા કંપનીઓએ વીમા સાથે એક નવો જ નિયમ પોતાની સાથે જોડી દીધેલ છે. તે કોઈનો જીવન વીમો ઉતારતા પહેલા તમારા મોઢાની લાળની તપાસ કરાવે છે જો તેમાં એક્સલાઈન ઓછી હશે તો વીમો નહિ ઉતારે કેમ કે તેમને ખબર છે કે તમારી જીવવાની આશા આમ પણ ઓછી છે. જાણકારી તમે ઇન્ટરનેટ ઉપરથી લઇ શકો છો.

આ કામ માટે તો ભગવાને તમને વ્યવસ્થા કરી આપેલ છે તેને ખરાબ ન કરશો.
આ વ્યવસ્થા ખરાબ કેમ થાય છે?
લાળ સૌથી ઓછી ત્યારે બને છે જયારે તમે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો છો તે બધા આલ્કલાઇન છે. આપણા જીવનમાં તમે જેટલા પણ ટૂથપેસ્ટ કરો છો તે બધા એન્ટીઆલ્કલાઇન છે તે બધા તમારી લાળ નું ઉત્પન્ન થવાની ક્ષમતા ઘટાડી દે છે.
 કોલગેટ હોય પેપ્સોડેન્ટ હોય કે સિબાકા હોય આ ટૂથપેસ્ટ એવા છે જે એલ્કાઇનને ઘટાડે છે. માટે મારી તમને વિનંતી છે કે પેસ્ટ ન કરો કેમ કે આનાથી તમારે લાળ બનવાનું ઓછું થઇ જશે.

તમે કહેશો પેસ્ટમાં એવું શું છે જે લાળ ઘટાડે છે.
પેસ્ટમાં એક કેમિકલ મેળવવામાં જેનું નામ છે સોડિયમ લારીસ સલ્ફેટ.
 આ સોડિયમ લારીસ સલ્ફેટ ને ઝેર માનવામાં આવે છે.
 તે લાળ ગ્રંથિને સુકવી દે છે.
 એટલા માટે દુનિયામાં જે પણ સેન્સેબલ ડોક્ટર( દાંતના ડેન્ટિસ્ટ) તે બધા જ દબાણ કરે છે કે બ્રશ ઉપર ક્યારેય પેસ્ટ ન લગાડવી જોઈએ.

તો મિત્રો બધી વાતોનો ઈલાજ લાળ કરે શકે છે.
અને આ લાળ ને ક્યારેય ઓછી ન થવા દેશો. એટલા માટે જયારે પણ ઉઠો સૌથી પહેલા પાણી પીઓ કેમ કે લાળનું પ્રમાણ વધુમાં વધુ તમારી અંદર જાય.

જો તમને આ ગમ્યું હોય તો પ્રચાર જરૂર કરજો અને બીજાને પણ જણાવજો.
 બીજાને જણાવવાથી એને લાભ થાય કે ન થાય તમને જરૂર યાદ રહેશે ને તમારા રોજીંદા જીવનમાં વ્યવહારમાં આ બાબત વણાતી જશે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...