શું તમને ખબર છે કે ૭/૧ર પત્રકમાં જમીનને લાગતું 15 થી વધારે માહિતીઓની સમાવેશ કરવામાં આવેલ છે ? 1. બ્લોક નંબર 2. સર્વે નંબર 3. જમીનનો સત્તા પ્રકાર 4. ખેતરનું નામ 5. ખેડવા લાયક જમીન i. જરાયત જમીન ii. બાગાયત iii. કયારી 6. પોત ખરાબ 7. આકર/જુરી 8. ગણાતીયાના નામ i. નામંજૂર ii . તકરારી iii . રદ 9. ખાતા નંબર 10. મોજ જે તે ગામનું નામ 11. કબજેદારનું નામ 12. નોંધ નંબરો 13. બીજા હકકો અને બોજાની વિગત 14. બાંધકામ સી.ઓ.પી 15. ખેતી વિષયક માહિતી ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક માહિતીની પણ વારંવાર જરૂરીયાત રહેતી હોવાથી બંને પત્રકો ભેગા કરીને બનાવવામાં આવેલ તેને ૭/૧ર કહીએ છીએ. ૭/૧૨ નો નમુનો સૌ કોઇ મિત્રોએ જોયો જ હશે. તેમાં દર્શાવેલ દરેક માહિતીને A. B. C થી અંકીત કરેલ છે તેની વિગતવાર જાણકારી નીચે મુજબ છે. 1). બ્લોક નંબર:- જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય ...
અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...
💢 *છંદ* 💢 ▪છંદ એટલે *કાવ્યમાં મધુરતા* લાવવા માટે નિયમો અનુસાર કરેલી મેળવાળી રચનાને છંદ કહે છે. ▪છંદના *બે પ્રકાર* છે. ૧. અક્ષરમેળ છંદ ૨. માત્રામેળ છંદ ▪લઘુ અક્ષર એટલે જે વર્ણમાં *હ્સ્વ સ્વર હોય તેને લઘુ અક્ષર* કહે છે. (લઘુની નિશાની U ) ▪ગુરૂ અક્ષર એટલે જે વર્ણમાં રહેલા *સ્વર દીર્ઘ હોઈ તેને ગુરૂ અક્ષર* કહે છે.( ગુરૂની નિશાની –) ▪ગણ એટલે *ત્રણ અક્ષરના સમુહને ગણ* કહે છે. ▪ગણસૂત્ર એટલે છંદના બંધારણ મેળવવા માટે *લઘુ- ગુરૂની નિશાનીવાળા સૂત્રને ગણસૂત્ર* કહે છે. ▪ગણ રચના : *લઘુ- ગુરૂ અક્ષરોના બનેલા જૂથને ગણ* કહે છે. આવા આઠ ગણ છે. ▪ગણસૂત્ર :- *યમાતારાજભાનસલગા* *અક્ષરમેળ છંદ* :- મનહર, અનુષ્ટુપ , શિખરિણી, મંદાક્રાન્તા ,પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત છંદ, સ્ત્રગ્ધરા છંદ *માત્રામેળ છંદ* :- ચોપાઈ, દોહરો, હરિગીત અને સવૈયા *(૧) મનહર છંદ :-* ▪કુલ બે પંક્તિમાં હોય છે. કુલ *૩૧ અક્ષરો* હોય છે. ▪પ્રથમ પંક્તિમાં ૧૬ અક્ષર અને બીજી પંક્તિમાં ૧૫ અક્ષર હોય છે. ▪યતિ ૮મા અને ૧૬માંઅક્ષરે હોય અને છેલ્લો અક્ષર ગુરૂ આવે છે. ( ગણસૂત્ર બંધારણ નથી.) ...
Comments
Post a Comment