શ્રી કૃષ્ણ જીવન ઝરમર...

 



*શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે*


*નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી યાદવ (પૂર્ણ ક્ષત્રિય)*


   *અને..અત્યારે*


*હિઝ હાઈનેસ મહારાજાધિરાજ 10008 શ્રી,શ્રી,શ્રી, કૃષ્ણચંદ્રસિંહજી વાસુદેવસિંહજી નેક નામદાર મહારાજા ઓફ દ્વારકા.*

         *-:જન્મદિવસ:-* 

૨૦/૨૧ -૦૭ ઈ.સ. પૂર્વે ૩૨૨૬ ના રોજ રવી/સોમવાર 


           *-:જન્મ તિથી:-*

વર્ષ સંવત ૩૨૮૫ શ સંવત ૩૧૫૦ શ્રાવણ વદ આઠમ [ જેને જન્માષ્ટમી તરીકે ઉજવીએ છીએ )


             *-:નક્ષત્ર સમય:-*

રોહિણી નક્ષત્ર રાત્રીના ૧૨ કલાકે મધ્ય રાત્રી 


           *-:રાશી-લગ્ન:-*

વૃષભ લગ્ન અને વૃષભ રાશી 


           *-:જન્મ સ્થળ:-*

રાજા કંસ ની રાજધાની મથુરા માં તાલુકો, જીલ્લો- મથુરા (ઉત્તર પ્રદેશ) 


           *-:વંશ - કુળ:-*

ચંદ્ર વંશ યદુકુળ ક્ષેત્ર - માધુપુર 


            *-:યુગ મન્વન્તર:-*

દ્વાપર યુગ સાતમો વૈવસ્વત મન્વન્તર 


             *-:વર્ષ:-*

દ્વાપર યુગનો ૮,૬૩૮૭૪ વર્ષ ૪ માસ્ અને ૨૨માં દિવસે 


              *-:માતા:-*

દેવકી [ રાજા કંસના સગા કાકા દેવરાજની પુત્રી, જેને કંસે પોતાની બહેન માની હતી 


            *-:પિતા:-*

વાસુદેવ [ જેમનું લાડકું નામ હતું આનંદ દુદુંભી ]


       *-:પાલક માતા-પિતા :-*

મુક્તિ દેવીનો અવતાર જશોદા, વરુદ્રોનના અવતાર ગોવાળોના રાજા નંદ 


           *-:મોટા ભાઈ:-* 

વસુદેવ અને રોહિણી ના પુત્ર શેષ નો અવતાર - શ્રી બલરામજી 


           *-:બહેન:-* 

         સુભદ્રા 


              *-:ફોઈ:-* 

વસુદેવના બહેન પાંડવોની માતા કુંતી 


           *-:મામા:-*

કાળનેમિ રાક્ષસનો અવતાર મથુરાના રાજા કંસ 


         *-:બાળસખા:-*

સાંદીપનીઋષિ આશ્રમના સહપાઠી સુદામા 


         *-:અંગત મિત્ર:-*

        અર્જુન 


          *-:પ્રિય સખી:-*

       ‌દ્રૌપદી 


           *-:પ્રિય પ્રેમિકા:-* 

સાક્ષાત ભક્તિ નો અવતાર રાધા 


             *-:પ્રિય પાર્ષદ:-*

          સુનંદ 


          *-:પ્રિય સારથી:-* 

          દારુક 


            *-:રથનું નામ:-*

નંદી ઘોષ રથ ,જેની સાથે શૈબ્ય , મેઘપુષ્ય બલાહક , સુગ્રીવ એમ ચાર અશ્વો જોડતા હતા 


       *-:રથ ઉપરના ધ્વજ:-* 

ગરુડધ્વજ , ચક્રધ્વજ , કપિધ્વજ 


         *-:રથના રક્ષક:-* 

નૃસિંહ ભગવાન 


        *-:ગુરુ અને ગુરુકુળ:-*


સાંદીપની ઋષિ , ગગાચાર્ય ગુરુકુળ અવંતી નગર હતું 


          *-:પ્રિય રમત હોય:-*

ગેડી દડો , ગિલ્લીદંડા , માખણ ચોરી , મટુક્ડીઓ ફોડવી , રાસલીલા 


                *-:પ્રિય સ્થળ:-*

ગોકુળ, વૃંદાવન , વ્રજ , ધ્વારકા 


            *-:પ્રિય વૃક્ષ:-*

કદંબ, પીપળો, પારીજાત, ભાંડીરવડ 


    ‌ *-:પ્રિય શોખ:-*

વાંસળી વગાડવી , ગયો ચરાવવી 


            *-:પ્રિય વાનગી:-*

તાંદુલ , દૂધ દહીં છાશ માખણ 


           *-:પ્રિય પ્રાણી:-* 

ગાય , ઘોડા 


           *-:પ્રિય ગીત:-* 

શ્રીમદ ભગવદ ગીતા , ગોપીઓ ના ગીતો , રાસ 


  *-:પ્રિય ફળ ક્ષત્રિય કર્મ:-*

હણે એને હણવામાં કોઈ પાપ નથી , કર્મ કરો ફળની આશા રાખશો નહી 


          *-:પ્રિય હથીયાર:-*

         સુદર્શન ચક્ર 


          *-:પ્રિય સભામંડપ:-*

           સુધર્મા


           *-:પ્રિય પીંછુ:-*

       મોરપિચ્છ 


           *-:પ્રિય પુષ્પ:-*

કમળ અને કાંચનાર 

         ‌‌*-:પ્રિય ઋતુ:-*

વર્ષા ઋતુ , શ્રાવણ મહિનો , હિંડોળાનો સમય 


        *-:પ્રિય પટરાણી:-*

       રુક્ષ્મણીજી 


           *-:પ્રિય મુદ્રા:-*

વરદમુદ્રા, અભ્યમુદ્રા ,એક પગ પર બીજા પગની આંટી મારીને ઉભા રહેવું


આજકાલ બૂક બહુ ઓછી વંચાય છે *"ફેસબુક"* વધુ વંચાય છે તો લો વાંચો કૃષ્ણ ભગવાન નું જીવન દર્શન


         *-:ઓળખ ચિહ્ન:-* 

ભ્રૃગુ ઋશિએ છાતીમાં લાત મારી તે શ્રીવત્સનું ચિહ્ન 


         *-:વિજય ચિહ્ન:-*

પંચજન્ય શંખનો નાદ 


          *-:મૂળ સ્વરૂપ:-*

શ્રી અર્જુન ને દિવ્ય ચક્ષુ આપી ગીતામાં દર્શન આપ્યા તે વિશ્વ વિરાટ દર્શન 


          *-:આયુધો:-*

સુદર્શન ચક્ર , કૌમુકી ગદા, સારંગપાણીધનુષ , વિધ્યાધર તલવાર , નંદક ખડગ 


          *-:બાળ પરાક્રમ:-*

કાલીનાગ દમન , ગોવર્ધન ઊંચક્યો , દિવ્ય રાસલીલા 


         *-:પટરાણીઓ:-*

રુક્ષ્મણી , જાંબવતી , મિત્ર વૃંદા, ભદ્રા , સત્યભામા , લક્ષ્મણા, કાલિંદી , નાગ્નજીતી 


      *-:૧૨ ગુપ્ત શક્તિઓ:-* 

કીર્તિ , ક્રાંતિ , તૃષ્ટિ , પુષ્ટિ , ઈલા , ઉર્જા, માયા , લક્ષ્મી , વિદ્યા , પ્રીતિ , અવિધા , સરસ્વતી 


      *-:શ્રી કૃષ્ણનો અર્થ:-*

સહાયમ , કાળું , ખેંચવું , આકર્ષણ , સંકર્ષણ


         *-:દર્શન આપ્યા:-*

જશોદા , અર્જુન , રાધા , અક્ર્રુરજી નારદ , શિવજી , હનુમાન , જાંબુવાન. 


       *-:ચક્ર થી વધ:-*

શિશુપાલ , બાણાસુર , શત્ધન્વા , ઇન્દ્ર ,રાહુ 


             *-:પ્રિય "ગ":-*

ગોપી, ગાય , ગોવાળ , ગામડું , ગીતા, ગોઠડી , ગોરસ , ગોરજ , ગોમતી , ગુફા 


      *-:પ્રસિદ્ધ થયેલા નામો:-*

કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન 


          *-:ચાર યોગ:-*

ગોકુળમાં ભક્તિ 

મથુરામાં શક્તિ 

કુરુક્ષેત્ર માં જ્ઞાન

દ્વારિકા માં કર્મ યોગ 


           *-:વિશેષતા:-*

જીવન માં ક્યારેય રડ્યા નથી


*-:કોની કોની રક્ષા કરી:-*

દ્રૌપદીનાં ચીર પૂર્યા , સુદામાની ગરીબી દૂર કરી , ગજેન્દ્રનો મોક્ષ , મહાભારતના યુદ્ધમાં પાંડવો ની રક્ષા કરી, ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી , કુબ્જા ને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા


         *-:મુખ્ય તેહવાર:-* 

જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતા જયંતિ 

ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા 


        *-:ધર્મ ગ્રંથ અને સાહિત્ય:-*

શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક.


*-:શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:-*

નટખટ બાળ કનૈયો , માખણ ચોર કનૈયો , વિગેરે 


*-:શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય:-*

શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે 


*-:સખા સખી ભક્ત જન:-*

સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર 


*સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કરુક્ષેત્રમાં થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ગીતાગ્રંથ ના નામે જાહેર થયો*

     *ગીતા મહાગ્રંથ


*-:શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:-*

સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળા રાગ 

બપોરે - બીલાવ્લ , તોડી , સારંગ, ધનાશ્રી, આશાવરી , 


    *-:આરતીની વિશિષ્ટતા:-*

સવારે ૬ વાગે મંગલા 

સવારે ૮-૧૫ બાળ ભોગ 

સવારે ૯-૩૦ શણગાર 

સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ 

સવારે ૧૧-૩૦ રાજ ભોગ 

બપોરે ૪ વાગે ઉત્થાન આરતી 

સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ 

સાંજે ૬-૩૦ સુખડી ભોગ 

સાંજે ૭ વાગે શયન આરતી 


        *-:પહેરવેશ:-*

માથા સુંદર પાઘ એમાં મોર પીછની કુદરતી કલગી (આ વખતે એવી પાઘ દ્વારકા ચડાવસું) , કાન પર કુંડળ 

ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું. 


*-:કોનો કોનો વધ કર્યો ?:-*

પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે  


*-:જીવનમાં ૮ અંક નું મહત્વ:-*

દેવકી નું આઠમું સંતાન 

શ્રીવિષ્ણુભગવાન નો આઠમો અવતાર 

કુલ ૮ પટરાણીઓ 

શ્રાવણ વદ ૮ નો જન્મ 

જુદા જુદા ૮ અષ્ટક 

કુલ ૮ સિદ્ધિ ના દાતા 

*શ્રેષ્ઠ મંત્ર* શ્રીકૃષ્ણ શરણમ્ મમ અને ૐ નમો ભગવતે વાસુદેવાય


    *-:અવતારના ૧૨ કારણો:-*

ધર્મની સ્થાપના

કૃષિ કર્મ 

પૃથ્વી ની રસાળતા 

જીવો નું કલ્યાણ 

યજ્ઞ કર્મ 

યોગ નો પ્રચાર 

સત્કર્મ 

અસુરોનો નાશ 

ભક્તિ નો પ્રચાર 

સ્જ્નનો ની રક્ષા 

ત્યાગ ની ભાવના 


*-:૧૧ બોધ પ્રેમ:-*

માતૃ પ્રેમ 

પિતૃ પ્રેમ , .

મિત્ર પ્રેમ 

કર્મ 

જ્ઞાન 

ભક્તિ 

ગ્રામોધ્ધાર 

ફરજ પાલન 

સ્ત્રી દાક્ષિણ્ય

રાજ નીતિ 

કૂટ નીતિ 


   *યોગ* -સ્વાસ્થ્ય 

 *જેવા સાથે તેવા અન્યાય નો પ્રતિકાર દુષ્ટો નો સંહાર*


     *"-:૧૧ ના આંક નું મહત્વ:-*

અવતાર લેવા ના ૧૧ કારણો 

*ભગવદ ગીતાનો ઉપદેશ* માગશર વદ ૧૧ 

*યાદવો ની વસ્તી* ૫૬ કરોડ હતી 

*શ્રેષ્ટ ઉપવાસ* અગિયારસ નો 

અર્જુનને *વિરાટ દર્શન દેખાડ્યું* તે ૧૧મો અધ્યાય 

*મથુરા છોડ્યું* ત્યારે ઉંમર ૧૧વર્ષ 


       *-:મૃત્યુના કારણો:-*

ગાંધારીનો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલીનાં વધનું કારણ 


       *-:દેહ ત્યાગ નું સ્થળ:-*

સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો ગીર-સોમનાથ (ગુજરાત) હિરણ્ય નદી , કપિલા નદી, સરસ્વતી નદીનાં સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાલીનો અવતાર પારધીના બાણ થી 


*અવસાન બાદ તેમનું તેજ*

    *ભાગવત ગીતા મહાપુરાણ*


*અવસાન બાદ તેમનો અંશ*

           *શાલિગ્રામ*


       *:અવસાન ની વિગત:-*

મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્રવાર 

મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તાy રીખ ૧૮-૦૨-૩૧૦૨ ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના ૨કલાક ૭મિનિટ ને ૩૦ સેકન્ડ.

🙏🏻

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...