પેટલાદનું ગૌરવ...સ્વામી સચ્ચિદાનંદ 😊👏🙏🌹


 🙏પ.પૂ.મહર્ષિ સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ🙏

ભકિત નિકેતન આશ્રમ. દંતાલી-પેટલાદ. 
         🌷🌷🌷🌷🌷🌷 

🙏પ.પૂ.મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસને ભારત સરકારનાં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે.🙏
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 

** જન્મ તારીખ:- 22 એપ્રિલ 1932
                         ( ચૈત્ર વદ બીજ)
** જન્મ સ્થળ:- મોટી ચંદુર.જિ.પાટણ. (મોસાળ) 
** વતન:- મુંજપુર.
** નામ:- ન્હાનાલાલ ત્રિવેદી
** પિતાજી:- મોતીલાલ ત્રિવેદી
** માતાજી:- વહાલીબેન
** ભાઇ: 1. સ્વ.ડાયાલાલ એમ.ત્રિવેદી
        2. સ્વ. ચિમનલાલ એમ.ત્રિવેદી 

** પૂર્વાશ્રમ:- રાધનપુર અને બીલીમોરા માં પ્રાથમિક શિક્ષક. 

** 1953:-21 વર્ષની ઉંમરે બીલીમોરાથી પગપાળા ગૃહત્યાગ.( વાંચો મારા અનુભવો )
પોણા ભાગના ભારતનું પગે ચાલીને ભ્રમણ.સન્યાસી બનીને પ્રથમ રાત ભીખારીઓ વચ્ચે સુરતની ધર્મશાળામાં વિતાવી. 

** 1954:- ગુરુની શોધ અને બ્રહ્મચર્યદીક્ષા : પ્રયાગરાજના કુંભમેળામાં. 

** 1955:- વૃંદાવનમાં 'લઘુકૌમુદી' નો અભ્યાસ.કાશીમા 12 વર્ષ સુધી અભ્યાસ. 

** 1956:- પંજાબનાં ફીરોજપુર શહેરમાં સ્વામી શ્રીમુકતાનંદજી પાસે સંન્યાસદીક્ષા. 

** 1966:- 'વેદાન્તાચાર્ય' (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી.યુનિવર્સિટીમા પ્રથમ: સુવર્ણચંદ્રક વિજેતા (બનારસ) 

** અમરનાથ યાત્રા ત્રણ વાર. 

** કાશીને વિદાય. 

** ગુજરાતમાં. 

** 1968:- સંપૂર્ણ ભારતયાત્રા. 

** 1969:-દંતાલી(પેટલાદ) માં શ્રી ભકતિ નિકેતન આશ્રમ ની સ્થાપના. 

** 1970:- પૂર્વ આફ્રીકા નો પ્રવાસ. 

** 1973:- સૂઇગામ (બનાસકાંઠા) માં દૂષ્કાળ રાહત કાર્ય.અને 'મહર્ષિ કણાદ ગુરુકુળ'માધ્યમિક શાળા અને છાત્રાલય ની સૂઇગામ માં સ્થાપના. 

** નડેશ્વરી માતાજી મંદિર (નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંપૂર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા.દર રામનવમી એ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ. 

** રાજસ્થાન થી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતાં આપણા BSF ના વીર જવાનોને સાયકલ, વોટર કૂલર અને વારંવાર મિઠાઈ તથા જરૂરી વસ્તુઓનું વિતરણ. 

** ભારતયાત્રા ત્રણ વાર. 

** 1974:- દંતાલી-પેટલાદના આશ્રમમાં સમાજસેવાની પ્રવૃત્તિઓ. 

** 1974:- દંતાલી-પેટલાદના આશ્રમનું ટ્રસ્ટ કર્યું.
તથા વાલમ (તા.વીસનગર) માં બ્રહ્મસુત્ર અને 'ભારતીય દર્શનો' વિશે વ્યાખ્યાનો આપ્યાં ‌જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત થયાં. 

** કુલ 85 થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરી ને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યાં. 

1985:- 'સંસાર રામાયણ' અને' શ્રી કૃષ્ણલીલા રહસ્ય' બંને પુસ્તકોને શ્રી અરવિંદ સુવર્ણ ચંદ્રક: (ગુજરાતી સાહીત્ય પરિષદ.) 

** 1986:- 'મારા અનુભવો' પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક.
(ગુજરાતી સાહિત્ય પરિષદ.) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. 

** પુસ્તક 'વેદાન્ત સમીક્ષા' ગુજરાતી સાહિત્ય દ્વારા પુરસ્કૃત. 

** 1987:-'ચાલો, અભિગમ બદલીએ' તથા' નવા વિચારો' અને 'પૃથ્વી પ્રદિક્ષણા' (1990-91)) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત. 

** 150 થી વધું પુસ્તકો લખ્યાં છે અને આ પુસ્તકોનો હીન્દી, અંગ્રેજી તથા મરાઠી ભાષામાં અનુવાદ થયાં છે.( સંકલન સાથે તેનાથી વધુ પુસ્તકો.). 

** 5000 થી વધું પ્રવચનો દ્રારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યાં છે. 

** 1988-89: દધીચિ એવોર્ડ:- ('હેલ્પિગ હેન્ડ'-અમદાવાદ). 

** આનર્ત એવોર્ડ: મહેસાણા-(ઉ‌.ગુજરાત) 

** શ્રી ગોન્ધિયા એવોર્ડ: રાજકોટ: ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ (મુંબઈ) દ્રારા એવોર્ડ. 

** ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા'લોકસાગરને તીરે તીરે' (સંદેશ) માં ચિંતન લક્ષી કટારલેખન માટે એવોર્ડ. 

** 1994:-વિદેશયાત્રા.દક્ષિણ અમેરિકા અને અન્ય દેશો. 

** 1998-2000:- દ.આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા. 

** 2006:- આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકા નો પ્રવાસ. 

** 2001:- કચ્છનાં ભુકંપમાં રાપરમાં રાહત કેમ્પ અને સૌનાં માટે રસોડું.તથા જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્રારા પાણીની સેવા સાથે નો સેવાયજ્ઞ કર્યો. 

** નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામાં તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ. 

** જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતનાં અનેક તળાવોને ઊંડા કરાવી આપ્યાં. 

** ચેકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ. 

** અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપ્યા. 

** વિવિધ સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રુ.26,0000000 ( છવ્વીસ કરોડ રુપિયા) થી વધુનું દાન અર્પણ કર્યું છે. 

** દંતાલી, કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃદ્ધાશ્રમો.તથા સેવાકીય પ્રવૃત્તિઓ. 

** તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કૉલરશિપ અને મફત પુસ્તકો. 

** સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ. 

** મૂલ્યનિષ્ઠ સાહિત્યકારનું દર વર્ષે સન્માન કરવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ ને રૂપિયા 300,000 (ત્રણ લાખ) નું દાન. 

** લોહીની જરૂરીયાત ને પુરી પાડવા માટે અનેકવાર રક્તદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રક્ત બ્લડ બેન્કોને અર્પણ. 

** " ક્રાંતિચક્ર" એવોર્ડ રૂ.1,51,00,000 (રૂપિયા એક કરોડ એકાવન લાખ) નું સૌરાષ્ટ્રમાં ચેકડેમ બાંધવા માટે દાન આપ્યું. 

આ ઉપરાંત...
* ફેસબુક પેજ:- " ગુરુ નહીં માર્ગદર્શક "
* ફેસબુક ગૃપ:- " મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ"
* વોટ્સએપ ગૃપ:-" વીરતા પરમો ધર્મ "
* યુ ટ્યુબ ચેનલ:- સ્વામી સચ્ચિદાનંદજી પરમહંસ.
* ફ્રી વેબસાઇટ:- www.sachhidanji.org
* Telegram Group:-"એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ." 

જેવી અસંખ્ય સોશ્યલ મીડિયા સાઈટ, ફોલોવર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે.અને જાગૃતિ લાવવાનું કાર્ય સતત કરવામાં આવી રહ્યું છે. 

👉 તા.23/12/2021 ને ગુરુવારે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા.12/12/2021 ને રવિવારે સાડીઓ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.
👉 તા. 05/12/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે સતત ત્રીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 
👉 તા. 02/12/21 ને ગુરુવારે પ.પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રી સચ્ચિદાનંદજી પરમહંસના ઊંઝાના આશ્રમ પરથી ધાબાળાનું વિતરણ કરવામા આવ્યું. 
👉 તા. 28/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે બીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 
👉 તા. 14/11/2021 ને રવિવારે પૂજ્ય સ્વામીજીના ભક્તિ નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરુરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુ પહેલાં જ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. 
👉 આ ઉપરાંત તા.06/06/2021 ને રવિવારે કર્મકાંડી બ્રાહ્મણો ને અનાજ અને રોકડ રકમ આપવામાં આવી હતી.અને પેટલાદ નાં ઘોડાગાડી (બગી) વાળાને પણ રોકડ રકમ આપીને સહાય કરવામાં આવી હતી. 

** પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસ ના ભક્તિ નિકેતન આશ્રમ (દંતાલી) થી લૉકડાઉન ના કપરાં સમય દરમિયાન અને ત્યારબાદ પણ જરૂરિયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશનકીટ નું વિતરણ અને ત્યારબાદ વારંવાર (12 વાર) અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધાબળાનું પણ વિતરણ કરાયું. 

પરંતુ કૉવિડ-19 નાં બીજા વેવમાં પહેલાં કરતાં પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઈ અને બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઈને અને તેમાં પણ ઓક્સીજનની અછત જોઈને પુજ્ય સ્વામીજીનું હ્રદય કકળી ઉઠ્યું એટલે તેઓએ પેટલાદની સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ઓક્સિજનનો પ્લાન્ટ ઊભો કરવામાં આવે તે માટે રૂપિયા 3500000 (પાંત્રીસ લાખ પુરા ) આપીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું. 

પૂજ્ય સ્વામીજીના " ભક્તિ નિકેતન આશ્રમ " દ્વારા ત્રણ વૃદ્ધાશ્રમ, રાહતનાં દવાખાના, સદાવ્રત, છાસ કેન્દ્ર, ચા સેન્ટર, શિષ્યવૃત્તિ, વિધવા સહાય, મેડીકલ સહાય, કપડાનું દાન, ધાબળાનું દાન, ગરીબ પરિવારોને રોકડ સહાય, વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ અને માત્ર 1 રુપિયામાં ( જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના ) સ્મશાનમાં લાકડાંની સહાય, સેવાભાવી સંસ્થાઓને લાખો/કરોડો રુપિયાનું (છવ્વીસ કરોડ રૂપિયા થી વધુ)નું દાન આપીને દરેક સમાજ, સાધુ સંસ્થાઓ, સંપ્રદાયો, પરિવારો અને મંડળોને,
1) "માનવતાથી મોટો કોઈ ધર્મ નથી" અને 
2) " સંપ્રદાય મૂક્ત ધાર્મિકતા. " તથા 
3) "એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. " સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યાં છે. અને દરવર્ષે કરોડો રૂપિયાનું દાન આપતાં એકમાત્ર યુગપ્રવર્તક, સંત, ઋષિ એવાં પરમ પૂજ્ય મહર્ષિ સ્વામિ શ્રીસચ્ચિદાનંદજી પરમહંસજી ના ચરણોમાં સહ્યદય કોટી કોટી પ્રણામ. 

( તા.ક. પૂજય સ્વામીજી હાલમાં 90 વર્ષની ઉંમરે પણ તન,મન અને ધનથી સતત સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. પોતાની અંગત જરૂરિયાત માટે AC તો દુરની વાત છે, પરંતુ પંખો પણ ચલાવતાં નથી અને તેઓ સાદી લાકડાંની પાટ પર જ આરામ કરી લે છે. ) 

🙏સંકલન:-અશ્વિન રાવલ,સુરત.🙏 

" એક્તા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. "
      " સંપ્રદાય મૂક્ત ધાર્મિકતા. "
         " માનવધર્મ શ્રેષ્ઠ ધર્મ. "
                 🙏🙏🙏
                    હરિૐ

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...