હેલ્થ છે તો બધુ છે....

મનોહર પારિકર જી, સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી...
આ બધા પાસે પૈસા, પદ, કાબેલિયત બધુ જ હતું પણ વ્યસ્તતા ને કારણે કદાચ હેલ્થ પર ધ્યાન ના આપી શક્યા અને જીવ ગુમાવ્યો એમ કહી શકાય...
જેટલીજી ખાવાના ખૂબ જ શોખીન હતા...
જલેબી, સમોસા ફેવરિટ હતા અને નોનવેજ પણ પ્રિય અને ઉપર થી હેવી ડાયાબિટીસ હતું એટ્લે કિડની ફેલ થઈ ગઈ અને કેન્સર થઈ ગયું...
જેટલી જી ની એવી ઈચ્છા હતી કે પહાડો ની વચ્ચે રિટાયર્ડ જિંદગી જીવવી પરંતુ એ સપનું અધૂરું જ રહી ગયું...
આ કિસ્સાઓ પર થી આપણે શું શિખવાનું ???
*વૃધ્ધતા ના લીધે મોત આવે એ વ્યાજબી પણ બીમારી ના લીધે મરવું પડે એ ખોટું.*

હું ઈશ્વર ને હમેશા એ જ પ્રાર્થના કરું કે 10 વર્ષ ઓછું જિવાડજો પણ ટપક મોત આપી દેજો બસ...
કોઈ બીમારી નહીં બસ...
આ બધુ થવાના મુખ્યત્વે 2 કારણ કહી શકાય...
*[1] વધુ પડતો શારીરિક આરામ* અને
*[2] વધુ પડતો માનસિક થાક...*

બસ આ 2 બાબતો થી પોતાની જાત ને બચાવી લેજો...🤔

કોઈ પણ માટે ક્યારેય ભૂખ્યા, તરસ્યા કામ ના કરતાં...
પોતાના બાળકો માટે પણ નહીં... કેમ કે *તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આગળ જાતા બાળકો નું ધ્યાન રાખી શકસો અને એની માથે બોજ બની ને નહીં રહો...*

ઈચ્છાઓ નો ક્યારેય અંત નથી અને ભાગ્ય માં હશે એ મળી જ રહેશે એટ્લે *મહેનત જરૂર કરવાની પણ ચિંતા હરગિજ નહીં કરવાની...*
જીવન માં પદ, પૈસો, બધુ જ અગત્ય નું છે પણ એ બધા થી *પહેલા તમારું શરીર છે...*
 એને સાચવશો તો તમારું જીવન સાર્થક જ છે...

શરીર ની સાથે સાથે મન પર કંટ્રોલ રાખતા શીખો કેમ કે બધા ફરસાદ નું મૂળ તો આ માકડું મન જ છે ને ?!

*મન પ્રફુલ્લિત અને સંતોષી હશે તો શરીર આપમેળે સુડોળ રહેશે જ*  અને મન અળવીતરું હશે તો સાથે સાથે શરીર ને પણ બગાડશે અને એક વાત યાદ રાખજો કે શરીર નું મૃત્યુ થાય ત્યારે સૌ રડે છે પરંતુ મન નું મૃત્યુ થાય ત્યારે પોતાને જ રડવું પડે છે...
એના માટે *સંતોષ રાખવો ખૂબ જ જરૂરી છે...*
 વધુ પડતી અપેક્ષા કે મોટા સપના ના રાખો અને છે એમાં સંતુષ્ટ રહો તો કદાચ તમે આસમાન ની ઊંચાઈ ભલે ના મેળવી શકો પણ *સુખી સંસાર જરૂર મેળવી શકશો...*

એક રાજા પોતાના સૈનિકો ની સ્થિતિ કેવી છે એ જાણવા નીકળ્યો તો એને એક વૃધ્ધ સૈનિક ઠંડી માં થોડો બેચેન હોય એવો દેખાણો તો એની પાસે જઇ ને પૂછ્યું કે...
ઠંડી લાગે છે ?
તો પેલા સૈનિકે કહ્યું કે લાગે તો છે પણ વર્ષો થી આદત છે તો તકલીફ નથી પડતી...
તો રાજા એ કહ્યું કે કાલે તમારા માટે ગરમ કપડાં મોકલી આપીશ જેથી રાહત રહેશે...
રાજા આ વચન આપી ને ચાલ્યા ગયા અને પછી ભૂલી ગયા...
6 દિવસ પછી પેલો સૈનિક ઠંડી ના કારણે મૃત્યુ પામ્યો અને રાજા ને એક પત્ર લખતો ગયો કે વર્ષો થી આ જ કપડાં માં ફરજ નિભાવતા હતા અને ઠંડી સહન કરી લેતા હતા...  પણ તમે આવીને ગરમ કપડાં ની આશા આપતા ગયા અને અમારું મન નબળું કરતાં ગયા...  અને તમારા એ વાયદા એ મારો જીવ લઈ લીધો...

મિત્રો,  *જીવન માં આશા, સપના અને અપેક્ષા નો ઓવરડોઝ ક્યારેય ના થાવા દેવો...*
કોઈ પણ વ્યક્તિ કે વિચાર નો સહારો ના રાખવો...
*સહારો હમેશા માણસ ને કમજોર જ બનાવે છે...*
*" ખુદ ગબ્બર " બની ને જીવો...*
પોતાની તાકાત, પોતાની સહન શક્તિ, પોતાની ખૂબી પર ભરોસો રાખી ને જીવો તો ક્યારેય માંદગી નહીં આવે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...