નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ,ભાવનગર જિલ્લો

🇨🇭મિત્રૌ ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે. જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે.

🇨🇭નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ, કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે.

 💥સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત,
🇨🇭નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની અમે વાત કરી રહ્યા છીએ

🇨🇭આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના, ઉમરાળા તાલુકાના, ટીંબા ગામે (અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને) આવેલી છે.

🇨🇭નિર્દોષાનંદજી હોસ્પિટલમાં દર્દીઓની તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે.

💥આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે.
🇨🇭આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શુલ્ક અપાય છે.
💥ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે.

🇨🇭નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં,
સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશન, તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે.
🇨🇭પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે.

🇨🇭અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે.

🇨🇭પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શિરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે.

🇨🇭આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે.

🇨🇭નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં ➖નોર્મલ ડિલીવરી,

➖સિઝેરીયનનું ઓપરેશન,

➖ગર્ભાશયની કોથળીનું ઓપરેશન,

➖માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus),

➖સ્ત્રી નસબંધીનું ઓપરેશન (T.L.),

➖ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે.

☀જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં
🇨🇭1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.
🇨🇭કુલ મળીને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે.

🇨🇭તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે.

🇨🇭આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત
💥દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે.

💥તેમજ ઉનાળનાં સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેન્દ્ર ચલાવવામાં આવે છે.

💥તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે.

🇨🇭આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

🇨🇭નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું ટીંબા ગામ.

Contact on following
email id :-
nirdosh@yahoo.com

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...