દિવ્યાંગ અકસ્માત વીમા યોજના

1.

 *દિવ્યાંગ અકસ્માત વીમા યોજના*


*કોને લાભ મળે*

 *•* આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે લાભાર્થીઓનું મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે ટો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય.


*કેટલો લાભ મળે?*

 *•* આ યોજના હેઠળ આવરી લેવાયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અથવા તેના પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/-ની વીમા રકમની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચુકવવાપાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી  વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.

 *•* અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.


*વારસદારો*

 *•* આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

*1.* પતિ અથવા પત્ની- તેમની ગેરહયાતીમાં

*2.* તેમના બાળક પુત્ર/પુત્રી- તેમની ગેરહયાતીમાં

*3.* તેમના માં-બાપ- તેમની ગેરહયાતીમાં

*4.* તેમના પૌત્ર/પૌત્રી – ઉક્ત ૧,૨,૩ ની ગેરહયાતીમાં

*5.* લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન.

*6.* ઉપરોકત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

 *•* ઉપરોક્ત, કિસ્સામાં જો વારસદારો સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચુકવણું કરવાનું રહેશે.

*જરૂરી પુરાવાઓ*

 *•* આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.

 *•* લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી અપંગતા ના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/ સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.

 *•* દાવા અરજીની સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહેશે.

 *•* વિકલાંગ ઓળખકાર્ડ 

 *•* એફ.આઈ.આર (F.I.R)

 *•* અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ

 *•* જન્મ-મરણ નોંધની અધિકારી ધ્વારા આપવામાં આવેલ જે-તે વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર.

 *•* વિકલાંગ વ્યક્તિની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવાનું આવક પ્રમાણપત્ર 

 *•* કાયમી અપંગતાના કિસ્સામાં સબંધિત જીલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.

 *•* જરૂર હોય ત્યાં ઉમરનો પુરાવો (શાળા, કોલેજનું પ્રમાણપત્ર )

 *•* અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટની અશક્યતાના કિસ્સામાં જીલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.

નોંધ :- આ યોજના ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.


*અરજી કરવાની પદ્ધતિ*

 *•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી એ રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે.

 *•* અરજી કરવા માટે ફોર્મ ની લિંક 

https://drive.google.com/file/d/1bB2KuwOlsc9Pph5RfzJsoXWCjdDXsE8b/view?usp=sharing

2.

*દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજના (એડીપ યોજના)*


*કોને લાભ મળે*

 *•* દિવ્યાંગતાની ટકાવારી ૪૦% કે તેથી વધુ હોવી જોઈએ.

 *•* માસિક આવકના અન્ય સ્ત્રોત રૂ. ૨૦,૦૦૦/- થી વધુ ન હોવા જોઈએ.

 *•* આશ્રિત હોય તેવા કિસ્સામાં માતા-પિતા/વાલીની માસિક આવક રૂ.૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

 *•* આ હેતુ માટે છેલ્લા ત્રણ વર્ષમાં જેઓને કોઈપણ પ્રકારની મદદ મળી ન હોય તેવા ૧૨ વર્ષની નાની ઉમરના બાળકો માટે આ મર્યાદા એક વર્ષની રહેશે.


*કેટલો લાભ મળે?*

 *•* કોઈપણ એક સાધન સહાય રૂ.૧૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવશે. (આધુનિક ઉપકરણની સહાય મળી શકે છે, જેમ કે ડેઝી બુક પ્લેયર, લેપટોપ અને ડીઝીટલ મેગ્નીફાયર. આ પ્રકારના ઉપકરણ નિષ્ણાંત સમિતિના સુચન ધ્વારા આપવામાં આવશે. જે ૧૦ વર્ષમાં એક વખત મળશે.)

 *•* ધોરણ-૯ થી ઉપર ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ એક સાધન સહાય રૂ. ૧૨,૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવશે.

 *•* સાધનો અને ઉપકરણો બેસાડવા સુધારાત્મક ઓપરેશન કરવાની જરૂર પડે તો નીચે મુજબની સહાય આપવામાં આવશે.

 *•* સાંભળવાની અને બોલવાની તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦/-.

 *•* દ્રષ્ટિહીન દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૧૦૦૦ થી રૂ.૨૦૦૦.

 *•* ઓર્થોપેડિક તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિને રૂ.૫૦૦૦ થી રૂ.૧૦૦૦.

 *•* બહુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને એક થી વધુ સાધન સહાયની જરૂર પડે ત્યારે દરેક સાધન માટે અલગ રીતે તેની મર્યાદા લાગુ પડશે.


*જરૂરી પુરાવાઓ*

 *•* દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ

 *•* જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર (સિવિલ સર્જનનો દાખલો)

 *•* અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ

 *•* અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ

 *•* દિવ્યાંગતા દર્શાવતો ફોટો


*અરજી કરવાની પદ્ધતિ*

 *•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હીએ માન્યતા આપેલ સંસ્થાએ રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

3.




Comments

Popular posts from this blog

૭/૧૨ પત્રક વિષે વિસ્તૃત માહિતી...

33 વર્ષ પછી અમે ચાર મિત્રો એકસાથે ભેગા થયા !

શ્રી માર્ટિનભાઈ(LIC)ને સ્મરાંજલિ🙏🌹🙏