દિવ્યાંગ અકસ્માત વીમા યોજના

1.

 *દિવ્યાંગ અકસ્માત વીમા યોજના*


*કોને લાભ મળે*

 *•* આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઈપણ રીતે લાભાર્થીઓનું મૃત્યુ થાય કે કાયમી અપંગતા આવે ટો આ યોજનાનો લાભ વીમા પોલીસીની શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય.


*કેટલો લાભ મળે?*

 *•* આ યોજના હેઠળ આવરી લેવાયેલ દિવ્યાંગ વ્યક્તિઓ અથવા તેના પરિવારને રૂ.૧,૦૦,૦૦૦/-ની વીમા રકમની મહત્તમ મર્યાદામાં આ યોજના હેઠળ વળતર ચુકવવાપાત્ર રહેશે. સામાન્ય જૂથ અકસ્માત વીમા પોલીસીની શરતોને ધ્યાનમાં રાખી  વીમા રકમ નીચે મુજબના સંજોગોમાં મળવાપાત્ર થશે.

 *•* અકસ્માતના કારણે મૃત્યુ/કાયમી સંપૂર્ણ દિવ્યાંગતાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે બે આંખ કે બે અંગ અથવા હાથ/પગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે એક આંખ અને એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૧૦૦ ટકા.

 *•* અકસ્માતના કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં ૫૦ ટકા.


*વારસદારો*

 *•* આ વીમા યોજના હેઠળ લાભાર્થીઓના વારસદાર તરીકે નીચે મુજબની વ્યક્તિઓ ક્રમાનુસાર રહેશે.

*1.* પતિ અથવા પત્ની- તેમની ગેરહયાતીમાં

*2.* તેમના બાળક પુત્ર/પુત્રી- તેમની ગેરહયાતીમાં

*3.* તેમના માં-બાપ- તેમની ગેરહયાતીમાં

*4.* તેમના પૌત્ર/પૌત્રી – ઉક્ત ૧,૨,૩ ની ગેરહયાતીમાં

*5.* લાભાર્થી ઉપર આધારિત અને તેમની સાથે રહેતા અપરણિત અથવા વિધવા અથવા ત્યકતા બહેન.

*6.* ઉપરોકત કિસ્સા સિવાયના તથા વિવાદાસ્પદ કેસમાં સબંધિત લાભાર્થીઓને લાગુ પડતા વારસાધારા હેઠળ જાહેર થયેલ વારસદારો.

 *•* ઉપરોક્ત, કિસ્સામાં જો વારસદારો સગીર હોય તો તેમના નેચરલ ગાર્ડિયન/કાયદેસરના વાલીને વીમા રકમનું ચુકવણું કરવાનું રહેશે.

*જરૂરી પુરાવાઓ*

 *•* આ વીમા રક્ષણના લાભાર્થીના વારસદારે ઉપસ્થિત થયેલ દાવા માટે નીચે મુજબની કાર્યવાહી અનુસરવાની રહેશે.

 *•* લાભાર્થીના મૃત્યુના કિસ્સામાં ઉપરોક્ત જણાવ્યા મુજબના વારસદાર અથવા કાયમી અપંગતા ના કિસ્સામાં લાભાર્થીએ પોતે અકસ્માત તારીખના ૯૦ દિવસમાં નોડલ અધિકારી/ સક્ષમ અધિકારીને આ યોજના હેઠળ નિયત કરેલ નમૂનામાં લેખિતમાં જાણ કરવાની રહેશે.

 *•* દાવા અરજીની સાથે નીચે મુજબના દસ્તાવેજો જોડવાના રહેશે.

 *•* વિકલાંગ ઓળખકાર્ડ 

 *•* એફ.આઈ.આર (F.I.R)

 *•* અધિકૃત તબીબનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ

 *•* જન્મ-મરણ નોંધની અધિકારી ધ્વારા આપવામાં આવેલ જે-તે વ્યક્તિનું મરણનું પ્રમાણપત્ર.

 *•* વિકલાંગ વ્યક્તિની વાર્ષિક આવક રૂ.૬,૦૦,૦૦૦/- થી ઓછી હોવાનું આવક પ્રમાણપત્ર 

 *•* કાયમી અપંગતાના કિસ્સામાં સબંધિત જીલ્લાના સિવિલ સર્જન/સ્થાનિક અધિકૃત તબીબી અધિકારીનું પ્રમાણપત્ર.

 *•* જરૂર હોય ત્યાં ઉમરનો પુરાવો (શાળા, કોલેજનું પ્રમાણપત્ર )

 *•* અસાધારણ કેસમાં પોસ્ટમોર્ટમ રીપોર્ટની અશક્યતાના કિસ્સામાં જીલ્લા કલેક્ટરશ્રીનું પ્રમાણપત્ર.

નોંધ :- આ યોજના ગુજરાત સામુહિક જૂથ (જનતા) અકસ્માત વીમા યોજના સાથે સંકળાયેલ છે.


*અરજી કરવાની પદ્ધતિ*

 *•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી એ રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે.

 *•* અરજી કરવા માટે ફોર્મ ની લિંક 

https://drive.google.com/file/d/1bB2KuwOlsc9Pph5RfzJsoXWCjdDXsE8b/view?usp=sharing

2.

*દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની કેન્દ્ર સરકારની યોજના (એડીપ યોજના)*


*કોને લાભ મળે*

 *•* દિવ્યાંગતાની ટકાવારી ૪૦% કે તેથી વધુ હોવી જોઈએ.

 *•* માસિક આવકના અન્ય સ્ત્રોત રૂ. ૨૦,૦૦૦/- થી વધુ ન હોવા જોઈએ.

 *•* આશ્રિત હોય તેવા કિસ્સામાં માતા-પિતા/વાલીની માસિક આવક રૂ.૨૦,૦૦૦/- થી વધુ ન હોવી જોઈએ.

 *•* આ હેતુ માટે છેલ્લા ત્રણ વર્ષમાં જેઓને કોઈપણ પ્રકારની મદદ મળી ન હોય તેવા ૧૨ વર્ષની નાની ઉમરના બાળકો માટે આ મર્યાદા એક વર્ષની રહેશે.


*કેટલો લાભ મળે?*

 *•* કોઈપણ એક સાધન સહાય રૂ.૧૦,૦૦૦/- ની મર્યાદામાં આપવામાં આવશે. (આધુનિક ઉપકરણની સહાય મળી શકે છે, જેમ કે ડેઝી બુક પ્લેયર, લેપટોપ અને ડીઝીટલ મેગ્નીફાયર. આ પ્રકારના ઉપકરણ નિષ્ણાંત સમિતિના સુચન ધ્વારા આપવામાં આવશે. જે ૧૦ વર્ષમાં એક વખત મળશે.)

 *•* ધોરણ-૯ થી ઉપર ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ એક સાધન સહાય રૂ. ૧૨,૦૦૦/-ની મર્યાદામાં આપવામાં આવશે.

 *•* સાધનો અને ઉપકરણો બેસાડવા સુધારાત્મક ઓપરેશન કરવાની જરૂર પડે તો નીચે મુજબની સહાય આપવામાં આવશે.

 *•* સાંભળવાની અને બોલવાની તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦/-.

 *•* દ્રષ્ટિહીન દિવ્યાંગ વ્યક્તિઓને રૂ.૧૦૦૦ થી રૂ.૨૦૦૦.

 *•* ઓર્થોપેડિક તકલીફવાળી દિવ્યાંગ વ્યક્તિને રૂ.૫૦૦૦ થી રૂ.૧૦૦૦.

 *•* બહુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને એક થી વધુ સાધન સહાયની જરૂર પડે ત્યારે દરેક સાધન માટે અલગ રીતે તેની મર્યાદા લાગુ પડશે.


*જરૂરી પુરાવાઓ*

 *•* દિવ્યાંગ વિદ્યાર્થીનું દિવ્યાંગ ઓળખકાર્ડ

 *•* જે-તે વિભાગના નિષ્ણાંત તબીબનું ટકાવારી પ્રમાણપત્ર (સિવિલ સર્જનનો દાખલો)

 *•* અરજદારની બેંક પાસબુકની પ્રમાણિત નકલ

 *•* અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ

 *•* દિવ્યાંગતા દર્શાવતો ફોટો


*અરજી કરવાની પદ્ધતિ*

 *•* જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ની કચેરી અથવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, નવી દિલ્હીએ માન્યતા આપેલ સંસ્થાએ રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.

3.




Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...