કોરોના થર્ડ વેવ (ત્રીજી લહેર) સંભાવના...

 1. 6.6.2021

*ત્રીજો વેવ આવશે આવી વાત કરી અને તેની પાછળ નો ઘટનાક્રમ સમજો.* 


*આ આખી વાત નિર્દય ફાર્મા લોબી ની છે અને તેની આગેવાની ફાઇઝરે એ લીધી છે .* 


*એક વાત ની કલ્પના કરો કે જો ભારત તેના ડાયાબીટીસ ના દર્દીઓ નો ડેટા જાહેર કરે તો વાયરસ નો એવો મ્યુન્ટ બહાર આવે જે ફક્ત અને ફક્ત ડાયાબીટીસ ના દર્દીઓ ને જ સંક્રમિત કરે અને આ રીતે જૈવિકયુધ્ધ ચાલ્યા કરે .* 


*ગુન્હાખોરી હવે ચાલુ થાય છે* 


*હવે એવી જાહેરાત કરવામા આવે છે હવે કોવિડ બાળકો ને સંક્રમિત કરશે .*

*આવુ શકય જ કેવી રીતે બને જેને આ હાઉ ઉભો કર્યો છે તેની પાસે બાળકો ના ડેટા હોવા જોઈએ.*

*અને WHO એ કાયમ પોતાના ડેટા લીક કરવાનુ જ કામ જ કર્યુ છે .* 


*તમે તમારી જીંદગી મા ક્યારેય એવો વાયરસ જોયો છે જે વાયરસ પોતાના મ્યુટન્ટ સહુ પહેલા ઉમરલાયક ને ટાર્ગેટ કરે પછી થોડા સમય બાદ યુવાનો ને ટાર્ગેટ કરે અને છેલ્લે બાળકો ને ?* 


*અને આ બીજો વાઇરસ નો  વેવ ભારતના પાડોશી દેશોમાં આવ્યો જ નથી* 


*આજે નહી તો કાલે દુનિયા એ વાત જરુર જાણશે કે આ વાયરસ ને જ્યારે જરુર પડે ત્યારે તે અનુસાર તેને રુપ આપી શકાય છે, આ વાઇરસ કુદરતી તો નથી જ આ માનવ સર્જિત વાઇરસ છે .* 


*જે ડેટા મળે તે મુજબ તે પોતાનો સ્વભાવ બદલે છે અને એક વાત સમજો આપણે અત્યારે આ જૈવિકયુધ્ધ ની મધ્ય મા છીએ* 

*અને ચાઇના એ દુનિયા પર બઝાર અને વેપાર પર પોતાનુ આધિપત્ય જમાવી દીધુ છે એ જે ઇચ્છે તે વેચી શકે .* 


*હવે આખા ઘટનાક્રમ ને સમજવાની જરુર છે.* 


*૧ સૌ પ્રથમ આ લોકો ની લોબી એ ફાઇઝર કંપની ને ને જરુરિયાત થી  વધુ મહત્વ આપી આગળ કરી અને સોશિયલ મીડિયા તેમજ પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક MEDIA પર ભરપુર તેનુ માર્કેટિંગ કર્યુ .* 


*૨ સમાચાર વડે ડર નો માહોલ ઉભો કર્યો ત્રીજા વેવ નો અને એમા બાળકો ને સહુ થી મોટો ભય છે તેવો હાઉ ઉભો કર્યો.* 


*૩ અમેરિકા ગવરમેન્ટ એ બાળકો ની રસી ને મંજુરી આપી MAY ની ૧૩ કે ૧૪ એ.* 


*૪ આ જાહેરાત થતા જ ગણતરી ના દિવસો મા ફાઇઝરે એ રસી નો જથ્થો બજાર મા ઠાલવી દીધો.* 


*૫ બાળકો માટે ની રસી નો ટ્રાયલ ડેટા કે તેને કેવી રીતે અને ક્યારે બનાવી તે કશુ જણાવ્યુ નહી.* 


*૬ ફાઇઝર કંપની ની રસી સામે ઇઝરાયેલ અને ઘણા યુરોપિયન દેશો મા આ રસી ને બેન્ડ કરી છે.* 


*૭ ભારત સરકારે એ પણ ફાઇઝર ની રસી ને નકારી હતી અને બે ખુબ જ મહત્વ ની શરતો મુકી હતી, રસી ને મંજુરી આપવા માટે પહેલી એ કે રોગપ્રતિકારક શક્તિ નિયમો અનુસાર અને બીજી શરત એ હતી કે જ્યા રસી ઉપયોગ કરવાની હોય ત્યા ના સ્થાનિકો પર ટ્રાયલ લેવી ત્રીજી શરત રસી થી કોઈ સાઈડ ઇફેક્ટ કે જાન લેવા થાય તો તમે જવાબદાર ગણાશો,* 

*આ ત્રણે શરત નો ફાયઝર એ ઇન્કાર કર્યો* 


*૮ હવે જોવા ની વાત એ છે આશરે ૪૦ કરોડ બાળકો જે ૧૮ વર્ષ સુધી ના છે અને રસી આશરે કીમત ૩૦૦૦ રુ ની આસપાસ રાખી છે તો તેનો ઓછા મા ઓછા વેપાર એક લાખ 20 હજાર કરોડ ની આસપાસ નો થાય અને આશરે તેનો નફો 30૦% પ્રમાણે અંદાજો હોય તો કેટલો મોટો નફો એટલે છત્રીશ હઝાર કરોડ થાય વિચારો.* 


*૯ અચાનક જ એ લોબી એ પોસ્ટર યુધ્ધ શરુ કરી દીધુ " મોદી કેમ મારા બાળક ની રસી વિદેશ મોકલી દીધી,ભારત ના બાળકો રસી વગર મરી જશે "* 

*જ્યારે ખરેખર તો ભારત મા બાળકો ની રસી બનવામાં છે* 


*૧૦ આ બાજુ ભારત બાયોટેક એ ત્રીજા અને ચોથા ચરણ ના બાળકો માટે ની રસી ની ટ્રાયલ ની મંજુરી માંગી.* 


*૧૧ તરતજ એક રહશમઇ PIL સુપ્રીમ કોર્ટ માં ફાઈલ કરવામા આવી કે ભારત બાયોટેક ને બાળક ની રસીની  ટ્રાયલ કરવાની મંજુરી ના મળે.* 


*૧૨ જે રીતે બીજો વેવ કોન્ગ્રેસ શાસિત રાજ્ય મહારાષ્ટ્ર માથી આવ્યો તે રીતે જ રાજસ્થાન મા બાળકો સંક્રમિત થયા* 


*૧૩ ડો.કે.કે.અગ્રવાલ સાહેબ ના વિડીયો જોશો તો ખ્યાલ આવશે એમનુ કહેવુ હતુ 13 મે ના બાળકો ની ઇમ્યુન સિસ્ટમ એકદમ હાઇ હોય છે, બાળક ને  હોસ્પિટલ માં દાખલ કરવાની જરૂર પણ નહિ પડે અને બાળક ત્રણ થી ચાર દિવસ માં નોર્મલ થઇ જશે* 


*૧૪ ડો.કે.કે.અગ્રવાલ કોરોના ના કારણે મૃત્યુ પામ્યા  (હવે આને સંજોગ કહો કે રહસ્ય કારણ તેમને આ સ્ટેટમેન્ટ આપ્યું ને ચાર દિવસ માં તેમનું 17 મેં ના મૃત્યુ થાય છે.* 


*૧૫ અમેરિકન એડમીન નો રીપોર્ટ છે ત્યા ખુબ જ મોટા પ્રમાણ મા રસી નો જથ્થો ભરાઈ ગયો છે.* 


*૧૬ આ બાજુ દિલ્હી ગવર્મેન્ટ એટલે કેજરીવાલ એ મોડમ કંપની અને ફાઇઝર કંપની ને સ્પોર્ટ કર્યો.* 


*૧૭ મોડમ કંપની  અને ફાઇજર કંપની એ રાજ્ય સરકાર ને બદલે ભારત સરકાર સાથે જ ડીલ કરવાની જીદ પકડી રાખી.* 


*૧૮ હવે જવાબદારી ભારત સરકાર પર નાખી દેવામા આવી છે હવે ફાઇઝર કંપની એ  પોતે કોઇપણ પ્રકાર ના ટ્રાયલ કે પરીક્ષણ વગર રસી આપશે  અને જો ભવિષ્ય મા કશુ પણ થાય તો ફાઇઝર ને કાયદાકીય રીતે પુરતુ રક્ષણ મળે અને તેની લોબી ત્થા ભારત ના જયચંદ એજન્ટો (વિપક્ષિ પાર્ટી ) ને  ખુબ મોટા પ્રમાણ મા પૈસા મેળવે .* 


*૨૦ ખુબ જ ચતુરાઈ થી આખો કેસ ભારત સરકાર ના ખભે નાખી દેવામા આવ્યો.* 


*૨૧ ડો.અગ્રવાલ સાહેબ ના વિડીયો અનુસાર બાળકો ની ઇમ્યુન સિસ્ટમ મજબુત હોવાથી સંક્રમિત થશે તો પણ સાદી સારવાર થી કે આયુર્વેદ થી પણ ઝડપ થી સાજા થઈ જશે અને તેનો સીધો મતલબ એજ થાય કે ફાર્મા લોબી ને ખુબ જ મોટુ નુકશાન થાય અને પછી વારો આવ્યો રામદેવબાબા નો, તેની સાથે કોન્ટ્રોવસી થઈ.* 


*૨૨ શાહીદ જમીલ ને સરકારે હાકી કાઢયો અને ૮૦૦ થી વધુ ડોક્ટરોએ ભારત સરકાર પાસે કોવિડ દર્દીઓ ના ડેટા માગ્યા શા માટે ? એનુ ખુબ જ સાદુ કારણ છે આ જૈવિકયુધ્ધ માટે ડેટા જ ખુબ જ મહત્વ ના છે અને એ ડેટા ના આધારે વાયરસ રુપરંગ બદલે છે.* 


*હવે આ લખેલી અને થયેલી બધી વાતો ને સમજી ભેગી કરો આખી આ લોબી ની રમત અને હોશિયારી સમજાઇ જશે.* 


*આપણે એટલે ભારત ના દરેક નાગરિક આ જૈવિકયુધ્ધ ના મધ્ય મા છે અને આપણે કોઈ પણ હિસાબે આની સામે  જીતવુ ખુભ જ જરૂરી છે જ છે. નહિ તો દરેક ના ઘર સુધી આ રેલો આવી શકે છે.* 


*આપણે શક્ય હોઈ તયાં સુધી ભારત ની જ બનાવટવાળી રસી લેવાનો આગ્રહ કરવો જેથી દેશ મોટા આર્થિક નુકશાન માંથી બચી જાય* 


*એક દેશ ના નાગરિક તરીકે આપણે બીજું કઈ કરી શકતા નથી પણ દેશ ના અમુક ભ્રષ્ટ રાજકારણી ઓની ની દેશવિરોધી,ગંદી અને ગીધડ રાજનીતિ  તથા દલાલ મીડિયા ના દૃષ્ટપ્રચાર  થી આપણા દેશ ની છબી બચાવવા   અને સાચી હકીકત દેશના દરેક નાગરિક સુધી પહોંચે તે માટે આ મેસેજ બને એટલા ફોરવડ કરીયે* 

*જય હીંદ*🇮🇳

2. 15.7.21

Protection during 3rd wave


Measures of Prevention

1) Vaccine is very important

2) Take all Precautions

 Avoid going in crowds, Mask, 

 Social Distancing etc

3) Take Naas Steam Inhalation in Morning and Evening at end of Day

 3 times is even better

4) Betadine 1% Gargles for throat

   2-3 times a day 

5) Exercise. 

Regular Walking 10-20 min in house, two times a day. 

Measure SpO2 level before and after walking. 

Deep Breathing Exercises 2 times. 

 Listen to good Music and Remain Cheerful. Meditation is good.

Improves Resistance Power of Body and Mind.  

  

Above measures give good protection and prevention.

If Nose symptoms develop 

Cold, Sharadi, sneezing, running nose ect

Then Start 

1) Methylene Blue 0.1% 

    4 drops in each Nose 2 times a day . Some burning but Tolerable.

 (Can use Betadine 1% drops for nose, but Methylene Blue 0.1% drops are more effective) 

Both  Kill Bacteria, Viruses and Fungus effectively

2)  We can take Antihistamine tab if needed 

3) Continue Naas 3 times a day

4) continue Betadine 1% Gargles 

   3-4 times a day

These Will give result in 3-5 days 

If health worsens , if troublesome coughing and difficulty in breathing develops, or other problems then, contact Physician  immediately.


6 min Walking Test. 

 After 6 min of walking if there is difficulty in breathing and Oxygen level goes down, contact Physician.

3. 21.7.21

⚠️કેનેડાએ ફ્લાઇટ્સને અંદર અને બહાર જવા પર પ્રતિબંધ મૂક્યો છે, અને દૈનિક મૃત્યુઆંક 1000 થી વધુ છે.

⚠️સાઉદી અરેબિયા અવરોધિત છે અને ત્યાં બહાર અને અંદર ફ્લાઇટ્સ નથી.

⚠️તાંઝાનિયા સંપૂર્ણપણે અવરોધિત છે.

⚠️બ્રાઝિલ સૌથી વધુ ભયંકર પ્રકરણમાં પડ્યું, જેમાં આજેએક દિવસમા 4,100 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

⚠️સ્પેને જાહેરાત કરી છે કે કટોકટીની સ્થિતિને લંબાવી શકાય છે.

⚠️યુનાઇટેડ કિંગડમે એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી.

⚠️ફ્રાંસ 2 અઠવાડિયા માટે લોકડાઉન.  

⚠️જર્મની 4 અઠવાડિયા માટે સીલ.  

⚠️ઇટાલી આજથી લોકડાઉન  અનુસર્યું.

⚠️આ બધા દેશો / પ્રદેશોએ પુષ્ટિ આપી છે, કે COVID19 ની ત્રીજી લહેર  પ્રથમ અને બીજી લહેર કરતા વધુ જીવલેણ છે.  

તેથી,

આપણે ખૂબ કાળજી રાખવી જોઈએ, અને બધી સાવચેતી રાખવી જોઈએ.

⚠️મિત્રો અને પરિવાર વચ્ચે ચેતવણી આપનાર બનો.  દરેકને ત્રીજી તરંગથી બચાવો.

🔴ઇતિહાસ જણાવે છે કે, 1917-1919ના સ્પેનિશ ફ્લૂની જેમ, ત્રીજી તરંગ પ્રથમ અને બીજા તરંગો કરતાં વધુ જોખમી/ખતરનાક હતી.  લાખો લોકો મરી ગયા હતા.

⚠️તમારી જાતને અને તમારા પરિવાર અને મિત્રોને સુરક્ષિત કરો.

⚠️બાયોસેફ્ટી પગલાં જાળવો, માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, વારંવાર હાથ ધોવા વગેરે. 🔴🔴🔴

 કૃપા કરીને આ માહિતી તમારી પાસે ન રાખો, તેને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો.

4. 7.8.21

કોરોનાની ત્રીજી લહેર બારણું ખખડાવી રહી છે.

ડૉ. જય નારાયણ વ્યાસ 

૪ જુલાઈ ૨૦૨૧ થી ૧૫ જુલાઈ ૨૦૨૧ વચ્ચેના ૧૧ દિવસમાં બ્રિટન, અમેરિકામાં બમણા અને ઇન્ડોનેશિયામાં ત્રણ ગણા નવા કેસ વધ્યા.

૧૫ જુલાઇની સ્થિતિએ અમેરિકામાં રોજના ૩૬ હજાર કરતાં વધુ બ્રિટનમાં ૪૮,૫૦૦ કરતાં વધારે અને ઇન્ડોનેશિયામાં ૫૬,૭૦૦ કરતાં વધારે એક જ દિવસમાં નોંધાયા. કુલ સંખ્યાની વાત કરીએ તો કોરોનાની ત્રીજી લહેરમાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાઈ રહ્યા છે.


આપણે હજુ કોરોનાની બીજી લહેરમાંથી માંડ મુક્ત થયા છીએ.


ચીસાચીસ કરતી એમ્બ્યુલન્સની દોડાદોડ, વેન્ટિલેટર માટે, બેડ માટે વળખાં, ઓક્સિજનની તંગી અને ટોસિજુલેબ અને રેમડેસીવીર જેવા ઇન્જેક્શનોની તંગી ત્યારબાદ મ્યુકર માયકોસીસનો કહેર...


બીજી લહેરમાં આપણી સાથે જે વીત્યું છે તેની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. આ સ્થિતિમાં ત્રીજી લહેર ગમે ત્યારે ત્રાટકી શકે છે તે વાત ચિંતા કરાવે તેવી છે.


આ ત્રીજી લહેર વિશે કેટલાક મુદ્દાઓ સમજાવવાનો મારો પ્રયાસ છે ત્રીજી લહેરનો નવો વાયરસ ડેલ્ટા વાયરસ તરીકે જાણીતો છે.


રોગનાં લક્ષણોની વાત કરીએ તો મોટાભાગના કિસ્સામાં ઉધરસ કે તાવ નથી આવતો આને બદલે સાંધાનો દુખાવો, માથું દુખવું, ડોક અને પીઠની ઉપરના ભાગનો દુખાવો, જનરલ વિકનેસ એટલે કે અશક્તિ, ભૂખ મરી જવી અને ન્યૂમોનિયા જેવાં લક્ષણો હોય છે.


ડેલ્ટા વાયરસને કારણે થતા કોવિડનો આ વાયરસ વધુ તાકાતવર હોય છે જેના પરિણામે તેની ઘાતકતા પણ વધારે છે. વિશેષ ચિંતાની વાત તો એ છે કે એને ચરમસીમાએ પહોંચતા ખૂબ ઓછો સમય લાગે છે અને ક્યારેક તો એનાં કોઈ ચિન્હો પણ વરતાતાં નથી.


બીજી એક વાત...


આ વાયરસ અગાઉની માફક નાસો ફેરિનજસ રીતે એટલે કે નાકની સાયનસ કે કેવિટીમાં રોકાતો નથી. સીધેસીધો ફેફસાંમાં પહોંચી જાય છે. અને ફેફસાં પર કાબૂ મેળવે છે અને એનું સ્થાન જમાવે છે.


આને કારણે તમને ચેપ લાગે અને ન્યુમોનિયા થાય તે વચ્ચેનો ગાળો જેને વિન્ડો પિરિયડ કહેવાય છે તે ખૂબ નાનો હોય છે.


આવા દર્દીઓમાં ઘણા બધા કિસ્સાઓમાં તાવ નથી દેખાતો, દુખાવો પણ નથી હોતો, પણ રિપોર્ટ કરાવીએ તો એક્સ-રેમાં હળવો ન્યુમોનિયા હોવાનું જણાઈ આવે છે. અત્યારસુધી નાકમાં રૂનું પૂમડું નાખી એટલે કે નેઝલ સ્વેબ ટેસ્ટ નકારાત્મક આવે છે. અને નાકમાંથી લીધેલા સેમ્પલ ઘણા કિસ્સામાં ખોટા નેગેટિવ રિપોર્ટ આપે છે.


આનો અર્થ એ થાય છે કે ડેલ્ટા વાયરસ ઘણો ઝડપથી ફેલાય છે અને એ સીધો ફેફસા ઉપર હુમલો કરે છે. જેને કારણે વાયરસ ન્યુમોનિયાથી થતું એકયુટ રેસ્પિરેટરી સ્ટ્રેસ એટલે કે શ્વાસોશ્વાસની ગંભીર તકલીફો થાય છે.


આટલી ઝડપથી આ પ્રકારની અસર થતી હોવાથી આ વાઇરસ વધુ ઘાતક બને છે.


આ રોગથી બચવા માટે શું કરવું જોઈએ? આમાં સલાહ છે કે આપણે સૌએ ખૂબ કાળજી રાખવી જોઈએ.


આ કાળજી એટલે શું?


જ્યાં બહુ માણસો ભેગા થતા હોય ત્યાં જવાનું ટાળો


ખુલ્લી જગ્યામાં તમે કોઈની સાથે મળતા હો તો દોઢ મીટરનું અંતર રાખો


ડબલ લેયરના ફેસ માસ્ક જ વાપરો


વારંવાર હાથ ધુઓ ખાસ કરીને જ્યારે તમે ઉધરસ કે છીંક ખાઓ ત્યારે અચૂક હાથ ધુઓ


મહેરબાની કરીને કોઈને ભેટવાનું ટાળો તે ખૂબ જ જોખમી છે.


ખાસ કરીને અત્યારે હજુ રોગનાં ચિહ્નો સપાટી પર ના દેખાતાં હોય ત્યારે


ફરી એક વાર કહેવું છે કે પહેલી અને બીજી લહેર કરતાં ત્રીજી લહેર અત્યંત ઘાતક છે.


અને ડબલ લેયરવાળા માસ્ક પહેરવા, ખુલ્લામાં પણ એકબીજાને મળતાં ઓછામાં ઓછું  દોઢ મીટરનું અંતર રાખવું, વારંવાર હાથ ધોવા, ટોળું ભેગું થયું હોય ત્યાં જવું નહીં. આ બધાં જ સાવચેતીનાં પગલાં ખૂબ જ ચોકસાઈથી લેવાં પડશે.


યાદ રાખો કે કોવિડના કારણે આજદિન સુધી ભારતમાં 3 કરોડ ૧૨ લાખ ૫૭ હજાર ૭૨૦ કેસ નોંધાયા છે અને ૪ લાખ ૧૯ હજાર ૦૨૧ લોકોના મૃત્યુ થયા છે.


લાંબાગાળાના લોકડાઉન અને કરફ્યુએ અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી છે.


હજુ પણ તમે અથવા તમારા મિત્ર કે નજીકના સગાઓને વેક્સિન ના લીધી હોય તો તાત્કાલિક લઈ લો. આપણે ઇચ્છીએ કે ત્રીજી લહેરમાંથી આપણે સૌ હેમખેમ પાર ઊતરીએ. પણ એવું થાય તે માટે આપણે જાતે જ કાળજી રાખવી પડશે.


યાદ રાખો કાંટો વાગે તો તેનાથી બચવા પગરખાં પહેરાય આખી પૃથ્વીને ચામડે મઢવા ના જવાય.


સરકાર સરકારનું કામ કરશે!!!


તમે તમારું કામ કરો!!!


ત્રીજી લહેરમાંથી સલામત બહાર આવો એવી તમારા, તેમજ તમારા કુટુંબ, સગાસંબંધીઓ અને મિત્રો માટે શુભકામનાઓ🌹

5. 27.6.2021

🔔Breaking ઇન્ફો.🔔


રાજ્ય તથા કેન્દ્ર સરકારે ત્રીજી લહેરની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે..‼️


હવે ખાલી પ્રજાએ સંક્રમિત થવાનુ જ બાકી છે....‼️


જે માટે પ્રજા હાલ તનતોડ મહેનત કરી રહી છે ⁉️


😛😅😂🤣

6. 16.5.2021

🤪

કરોના ની પહેલી લહેર માં પુરુષો વાસણ. કપડા ધોતા શીખી ગયા🙂🤪

બીજી લહેર માં રસોઈ બનાવતા શીખી ગયા 🤪🙂🙂

હવે ત્રીજી લહેર માં અથાણા, પાપડ,  વરસ ના મરી, મસાલા, કરતા શીખી જાય એટલે કોર્સ પુરો 🤪🤪🤪🤪🤪🤪🙂😱

7.



Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...