તિલક વિષે......

*તિલક ચાંદલાના ફાયદા :*

*(1)* ચંદનનું તિલક એ ભગવાનના ચરણનું પ્રતિક છે...

કુંકુમનો ચાંદલો એ લક્ષ્મીજીનું પ્રતિક છે...

કપાળ (ભાલ) એમાં આપણું ભાગ્ય  લખાએલ છે...
ભગવાનના ચરણનો અને લક્ષ્મીજીનો આપણા કપાળમાં નિવાસ થાય તો
આપણું ભાગ્ય અવળાનું સવળું થઈ જાય...

સવળું હોય તો તેને દોડવાનો વેગ મળે છે...
👆
આ વાત એમજ છે...

*(2)* સધવા સ્ત્રીઓના કપાળમાં ચાંદલો હોય છે એ એમ બતાવે છે કે તેનો રક્ષણહાર તેનો પતિ હયાત છે...
ભક્તના પતિ ભગવાન છે
જો ભક્ત તિલક ચાંદલો કરે છે તો ભક્તની રક્ષાની જવાબદારી ભગવાન ઉપર આવી જાય છે ભક્તના પતિ ભગવાન હર પળ તેની રક્ષામાં રહે જ છે...

*(3)* તિલક ચાંદલાથી આપણે ભગવાનના કહેવાઈએ છીએ...

જે જેના તેને તેની લાજ
બાળક તેના માતાપિતાનો  છે તો બાળકની તમામ જવાબદારી માતાપિતા સંભાળે છે...

જો આપણા કપાળમાં તિલક ચાંદલો હશે તો આપણે આપણી જવાબદારી વહન કરવા ભગવાનને પ્રાર્થના કરવી નહીં પડે...
આપણી તમામ જવાબદારી ભગવાન સંભાળી લેશે જ...

*(4)* તિલક ચાંદલો કરવાની ભગવાનની આજ્ઞા હોવાથી
આજ્ઞા પાળવાથી ભગવાનનો બહુ મોટો રાજીપો મળે છે...

*ભગવાનના રાજીપાની સમાન કોઈ મોટી વાત નથી...*

ભક્તની આ મોટી કમાણી છે...

*(5)*  કુંકુમ શુકનવંતુ છે
ચંદન પવિત્ર અને ઠંડક આપનાર છે...

તિલક ચાંદલા વાળને સદાય શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયું રહે છે...

તેને કોઈ અમંગળ આવતું જ નથી...

*(6)* કોઈ આપણી સામે જુએ તો
આપણે ધાર્મિક છીએ...
આપણે સજ્જન છીએ...
આપણે કંઈ ખોટું નહિ કરીએ...

તેવી સામેની વ્યક્તિને આપણા પ્રત્યે સારી ભાવના ઉત્પન્ન થશે...

સારા લોકોમાં આપણું સારું નામ કહેવાશે...

સજ્જન લોકો આપણા ઉપર બહુ મોટો *વિશ્વાસ* મુક્તા અચકાશે નહિ...

*(7)* તિલક ચાંદલો આપણને અયોગ્ય કર્મ કરતા રોકશે...


અન્ય ધર્મના લોકોએ પોત પોતાની રીતે પોઝિટિવ સમજી લેવાનું

👇આહીથી આ મેસેઝ મારે આગળથી આવેલ છે

85 કરોડથી વધુ હિન્દુ જનસંખ્યા ધરાવતા આપણાં દેશમાં મોટા ભાગના હિન્દુઓનાં કપાળ કોરી તાવડી જેવા થઇ ગયા છે.
તેમાંય ચાંદલો કરવાથી શરમ અનુભવતી બહેન દિકરીઓને જોઇને તો બહુજ દુઃખ થાય છે. માથાં માં સિંદૂર પુરવા માં પણ શરમ આવે છે...
અને લાખો હિંદુઓ વૈષ્ણવ, શૈવ્ય,દેવ દેવી ઓ તેમજ સ્વામિનારાયણ સંપ્રદાય વગેરે ની તિલક પરંપરા ને અનુસરે છે.
એની આપણાં જ હિન્દુઓ ઠેકડી ઉડાડે છે.

જ્યારે આશરે 20 કરોડ જેટલી જનસંખ્યા ધરાવતો મુસ્લિમ સમાજનાં પુરુષો માથે જાળીવાળી ટોપી પહેરે છે, લાંબી દાઢી રાખે છે. ખ્રિસ્તી લોકો ગળામાં ક્રોસ પહેરે છે, એટલે કે દરેક સંપ્રદાય પોત પોતાની પરંપરા ને અનુસરે છે પણ ક્યારેય મુસ્લિમ ને ટોપીનો વિરોધ કે મશ્કરી કરતાં જોયા!??
 ક્યારેય ખ્રિસ્તી ને ક્રોસ નો વિરોધ કે મશ્કરી કરી કરતાં જોયાં!?

હિન્દુઓ જ તિલક કરતાં હિન્દુઓની મશ્કરી કરે છે એ દુઃખની વાત છે.

પોતે હિન્દુ હોવા છતાં તિલક નથી કરતાં એ એની વ્યક્તિગત બાબત છે,
પણ અન્ય હિન્દુ તિલક કરે એની મશ્કરી શું કામ કરવી જોઈએ!??
ઘણી વખત આપણે સંભાળી યે છીએ કે જોને
*લાંબા...લાંબા...ટીલા..ને ચાંદલા...* 
કરી ને નીકાળી પડ્યાં છે...
પરંતુ લોકો આ વિષે જાણતા નથી કે તમને *સવાર માં કોઈ તિલક કે ચાંદલો કરેલ વ્યક્તિ*
જો સામો મળે તો પણ તમારો દિવસ ખુબ સરસ જાય છે...

હું તો કહું પોતાને હિન્દુ બતાવનાર દરેકે પોતાને ગમે એવું તિલક કરવું જ જોઈએ,
આપણાં કપાળ ઉપર આગ્ના ચક્ર આવેલું છે...
કારણ કે
તિલક પરંપરાનો ઇતિહાસ 10000 વર્ષ જુનો છે.
વેદ-ઉપનિષદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે.

3700 વર્ષ પહેલાં ની હડપ્પા અને મોહેંજો દડો ની મૂર્તિઓ પણ આ તિલક પરંપરાની ગવાહી આપે છે.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...