વિચારસરણી...

એકવાર સ્વામી વિવેકાનંદ કોઈ મોટા સ્મારકના નિર્માણનું કામ જોવા માટે ગયા . એમણે સમગ્ર સંકુલની મુલાકાત લીધી . હજારો કારીગરો કામ કરતા હતા . પરંતુ વિવેકાનંદજીએ જોયું કે બધા પથ્થર ઘડવાનું એક સમાન કામ કરતા હતા પરંતુ કેટલાક આનંદથી તો કેટલાક દુઃખ સાથે કામ કરતા હતા , વિવેકાનંદજી વિચારમાં પડી ગયા કે કામ સરખું છે વેતન પણ સરખું છે તો પછી અહીંયા કોઇના ચહેરા પર આનંદ , કોઈના ચહેરા પર દુઃખ અને કોઈ ને ના આનંદ કે ના દુઃખ આવું કેમ ? એ પહેલા એવા લોકોને મળ્યા જે દુ : ખી દેખાતા હતા અને એવા લોકોને પૂછ્યું , ‘ તમે લોકો શું કરો છો ? ' ' પેલા લોકોએ જવાબ આપ્યો , ‘ ‘ અરે મહારાજ , શું કરીએ આ નસીબ નબળા કે કાળી મજૂરી કરીએ છીએ અને દિવસો કાઢીએ છીએ , ગયા જનમમાં કોઈ પાપ કર્યા હશે એના આ ફળ ભોગવીએ છીએ . ' ' પછી એવા લોકોને મળ્યા જેના ચહેરા પર ન તો આનંદ હતો કે ન તો દુઃખ હતું અને એમને પણ આ જ સવાલ પૂછયો . પેલા લોકોએ જવાબ આપ્યો , ‘ ‘ બસ જો આ ઘરસંસાર માંડયો છે તો હવે બૈરા છોકરાવને ખવડાવવું તો પડશે . તે કામ કરીએ છીએ અને જવાબદારી નિભાવીએ છીએ . ' ' છેલ્લે વિવેકાનંદ એવા લોકોને મળ્યા જેના ચહેરા પર આનંદ હતો અને આ જ સવાલ એમને પણ પૂછયો . લોકોએ પ્રસન્નતા સાથે જવાબ આપ્યો , “ અરે સ્વામીજી અમને તો આ દેશની મોટામાં મોટી સેવા મળી છે . આ દેશની સંસ્કૃતિને ઉજાગર કરતું આ સ્મારક બની રહ્યું છે . ભવિષ્યમાં લાખો લોકો આ સ્મારકની મુલાકાતે આવશે અને આપણી સંસ્કૃતિનો પરિચય મેળવશે . અમે ખરેખર નસીબદાર છીએ કે ભગવાને આવા વિશાળ કામનો અમને હિસ્સો બનાવ્યા . ' વિવેકાનંદજીને તરત જ સમજાઈ ગયું કે એક સમાન કામ અને એક સમાન વેતન હોવા છતા વિચારસરણી જ આનંદ કે દુઃખ આપે છે , આપણી આનંદ કે દુ : ખ માટે આપણું કામ જવાબદાર હોય એના કરતા આપણો એ કામ પ્રત્યેનો દષ્ટિકોણ વધુ જવાબદાર હોય છે . કોઈપણ કામ હોય પછી એ ભણવાનું હોય , નોકરીનું હોય કે ધંધાનું હોય . આ ત્રીજા પ્રકારના લોકો જેવી વિચારસરણી હશે તો કામ કરવાની મજા આવશે .

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...