અંજલિ આપને ધરું છું... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹 માર્ટીન ...નામ પડે અને એક આનંદની લહેરખી પસાર થઈ જાય. કે પછી ટ્રીન ટ્રીન ટ્રીન ફોન ડીસ્પ્લે પર એમનું નામ ઝબકે એટલે ઉર ઉલ્લાસ વ્યાપી વળે. જી, હા.આ બિલકુલ કપોળ કલ્પિત વાત નહીં, પણ સ્વાનુભવ થકી નિપજેલી વાત છે . આજના જમાનામાં ઘણી વ્યક્તિનું નામ પડતાં જ ઘરના દરવાજા બંધ કરીને સંતાઈ જવાનું મન થાય કે રણકતાં ફોનને કટ કરીને સાયલન્ટ મોડ પર મૂકી દેવાનું મન થાય અથવા ફોનને રીસિવ કરવાનું જ ટાળીએ. એના બદલે માર્ટીન એક એવી વ્યક્તિ કે જેના નામની , ફોનની અને સાહચર્યની પ્રતીક્ષા અગોચર મનમાં હમેશાં રહ્યાં કરે. એકાદ અઠવાડિયું જાય ને મનમાં થાય કે આમને મળીએ. સામાન્ય સંજોગોમાં તો રવિવારે ચર્ચમાં કે ચર્ચ પછી મુલાકાત થઈ જાય. પણ આ કોરોનાકાળ મળવું કઠીન હોવાથી મળવાની ઈચ્છા ખાસ થાય. આ પ્રકારનો અનુભવ ફક્ત મારો કે પરિવારનો જ નહીં પણ એમની સાથે સંકળાયેલા સૌ કોઈનો હશે. ફક્ત આગમનથી જ ખુશી આપનારી વ્યક્તિ સાથે પછી આગળ વધીને, બેસીને વાતો કરવાની કે અનુભવો શેર કરવાની કેટલી મજા આવતી હશે એ તો ...
અમે ત્રણ લંગોટિયાઓ એક વર્ષના ગાળામાં જ નિવૃત્ત થઈ ગયા. પહેલાં હસમુખ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે, પછી સુરેશ, એલ આઈ સી હાઉસીંગ ફાઈનાન્સ લિમિટેડમાં મેનેજર પદેથી અને છેલ્લે હું, હાઇસ્કૂલના આચાર્ય પદેથી... રાજેન્દ્રની પ્રાઈવેટ જોબ છે એટલે એને નિવૃત્તિ જેવું નથી. 1991 માં હું ચાલી છોડી આણંદ રહેવા ગયો ત્યારથી માંડીને આજ સુધીના વીતેલાં 33 વર્ષો અમારી નોકરીની પળોજણો, બાળકો ઉછેરવાની જવાબદારીઓ અને જીવનમાં સ્થિર થવાની પ્રવૃત્તિઓ હોવાથી અમે એકબીજાને એક સાથે મળી શકતાં નહોતાં. અલબત્ત વારે તહેવારે કે કોઈ કોઈ પ્રસંગમાં અમે એકબીજાને છૂટક છૂટક મળતાં હતાં. નિવૃત્તિ પછી એકવાર ચારેય સાથે મળીયે એવી એક અતૃપ્ત ઝંખના મને મનમાં રહ્યાં કરતી હતી. કહીને કે આ મારું સ્વપ્ન હતું.પરંતુ મારી નિવૃત્તિ પછી ત્રણ મહિના જેટલો સમય પસાર થઈ જતાં આખરે મેં ઉતરાયણ પછી સક્રિય થઈને રાજુ, સુરેશ અને હસાને મેસેજ કરીને તૈયાર કર્યાં. પહેલાં 26 જાન્યુઆરી, પછી 21 અને આખરે 20 ફાઈનલ થઈ. અમે ત્રણ મળીને રાજુને ત્યાં જઈને એને સરપ્રાઈઝ આપીએ એમ હું વિચારતો હતો...પરંતુ હસમુખે મને જણાવ્યાં મુજબ અમે એ વિચાર પડતો મૂકીને હસાના ઘરે નડીઆદ મળવાનુ...
•••1••• ગઈકાલે વુમન્સ વર્લ્ડ કપ 2025ની સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બાદ જેમિમાહ રોડ્રિગ્સને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. ઇનામ મેળવ્યા બાદ, તેમણે એક ભાવનાત્મક ભાષણ આપ્યું હતું, જેમાં પોતાની શ્રદ્ધા, ટીમના સાથ અને પડકારજનક સમયમાં તેમને મળેલા સહકાર વિશે વાત કરી હતી. *જેમિમાહ રોડ્રિગ્સના ભાષણના મુખ્ય અંશો:* *1). ખ્રિસ્તી ધર્મની શ્રદ્ધા:* તેમણે સૌ પ્રથમ જીસસ-પ્રભુ ઈસુનો આભાર માન્યો અને કહ્યું કે તે આ સિદ્ધિ પોતાના દમ પર મેળવી શક્યા ન હોત. *2). મુશ્કેલ સમય:* તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક મહિના તેમના માટે ખૂબ જ મુશ્કેલ હતા અને તે ઘણી ચિંતા અને દુઃખમાંથી પસાર થયા હતા. *3). બાઇબલનો સંદર્ભ:* જ્યારે તે થાકી ગયા હતા, ત્યારે તેમણે બાઇબલના એક વચનનો વિચાર કર્યો કે stand still God will fight for you. "શાંત રહો અને ભગવાન તમારા માટે લડશે". *4). ટીમનો સાથ:* તેમણે પોતાના સાથી ખેલાડીઓ, ખાસ કરીને હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને રિચાનો આભાર માન્યો, જેઓએ તેમને પ્રોત્સાહન આપ્યું. *5). અભિમાનનો અભાવ:* તેમણે કહ્યું કે આ જીતનો શ્રેય એકલા પોતાન...
Comments
Post a Comment