વરિષ્ઠ નાગરીકો માટે..

I received a very good Article in WhatsApp in English which is  translated in Gujarati

આ સરસ લેખ, ફક્ત વરિષ્ઠ નાગરિકો માટે જ નહીં, પરંતુ બધા જ માટે છે.

વૃદ્ધાવસ્થા એ એક વાસ્તવિકતા છે જેને આપણે  બધાએ જ સ્વીકારવાની અને એ માટે તૈયાર થવાની  જરૂર છે

*'The Sky Gets Dark, Slowly'* નામની Zhou Daxin લિખિત નવલકથા  વૃદ્ધાવસ્થાની  સંવેદનશીલ વાતો  અને વૃદ્ધોના જટિલ, ભાવનાત્મક જગત નું વર્ણન છે.

તેમાં તે લખે છે કે, “ઘણા વૃધ્ધોને લાગે  છે કે તેઓ બધું જ જાણે છે, પરંતુ વૃદ્ધાવસ્થા વિષે તેઓ હકીકતમાં બાળકો  જેટલાં જ અજ્ઞાની છે.

ઘણા વૃદ્ધો હકીકતમાં, જ્યારે વૃદ્ધ થવાની વાત આવે ત્યારે તેઓની આગળ જે પરિસ્થિતિ આવે તેના માટે બિલકુલ જ  તૈયાર નથી હોતા.

તમારી 60 વર્ષની વય પછી, અને મૃત્યુની ઘડી આવે ત્યાં સુધી,

કેટલીક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવાની જરૂર છે, જેથી તમે જે આવવાનું છે તેના માટે તૈયાર રહો અને તમે ગભરાવ  નહીં.

૧.
તમારી આજુ બાજુના લોકો ઘટવાનું  ચાલુ થશે. તમારા માતાપિતા અને દાદા-દાદીની પેઢીના લોકો મોટા ભાગે ઘટી રહ્યા હશે, જ્યારે તમારા ઘણા હમઉમ્ર માટે પોતાને સંભાળવાનું વધુને વધુ મુશ્કેલ બનશે, અને

યુવા પેઢીના બધાં તેમના પોતાના જીવનમાં વ્યસ્ત રહેશે.

તમારી પત્ની અથવા પતિ પણ તમારા ધાર્યા કરતા વહેલા મૃત્યુ પામી શકે છે, અને પછી જે  થશે તે ખાલીપણું હશે .

તમારે એકલા કેવી રીતે રહેવું અને એકાંતનો આનંદ કેમ માણવો તે શીખવું પડશે.


૨.
સમાજનું તમારા તરફનું ધ્યાન ઘટતું જશે. તમારી અગાઉની કારકીર્દી ગમે તેટલી ગૌરવપૂર્ણ હતી અથવા તમે કેટલા પ્રખ્યાત હતા તે મહત્વનું નહિ રહે,

ઉમર તમને હંમેશાં વૃદ્ધ કે વૃદ્ધા માં પરિવર્તિત કરશે.

 સ્પોટલાઇટ હવે તમારા પર ચમકશે નહીં, અને તમારે

એક ખૂણામાં શાંતિથી રહેવાનું શીખવું પડશે,

તમારા માટેના બીજાના મંતવ્યોને સ્વીકારી લેવા જોઈશે અને તમારે

ઈર્ષ્યા અને બડબડવાની ઇચ્છાને દૂર કરવી જોઈશે.

૩.
આગળનો રસ્તો વિઘ્નો વાળો અને અનિશ્ચિન્તતાથી ભરેલો હશે. અસ્થિભંગ, હૃદયને લગતા રોગ, મગજની કૃશતા, ઘૂંટણ નો ઘસારો, કેન્સર વિગેરે સંભવિત બીમારી  છે જે તમને કોઈ પણ સમયે આવી શકે છે, અને તમે તેને રોકી શકશો નહીં. તમારે માંદગી અને બિમારીઓ સાથે જીવવું પડશે, તેમને સાથી તરીકે જોવા પડશે.

તમારા શરીરમાં કોઈ તકલીફ વગરના સ્થિર, શાંત દિવસો આવે એવી  કલ્પના પણ કરશો નહિ. સકારાત્મક માનસિકતા જાળવી રાખી અને યોગ્ય, પર્યાપ્ત કસરત કરવી એ ખુબજ જરૂરી છે, અને આ નિયમિત ચાલુ રહે તે માટે ખુબજ મનોબળની પણ જરૂર પડશે.

૪.
પથારી વશ જીવન એટલે બાળપણમાં પરત થવા જેવું જીવન આવી શકે છે. માતાએ આ જન્મ આપી અને પથારી પર સુવાડ્યા , અને હવે અનેક વળાંક વાળી  સફર અને સંઘર્ષ મય જીવન પછી, તમે તમારા પ્રારંભિક સ્થિતિ  એટલે કે
-પથારી - અને અન્ય લોકો દ્વારા સંભાળ રાખવાની સ્થિતિમાં પાછા ફરો છો.

ફરક માત્ર એટલો જ છે કે, ત્યારે આપણી માતાએ આપણી સંભાળ રાખી હતી,

જ્યારે હવે રવાના થવાની તૈયારી કરીશું, ત્યારે આપણી સંભાળ રાખવા વાળા સગા હાજર ન પણ હોય.

કદાચ આપના સગા હોય, પણ તેમની સંભાળ તમારી માતાની નજીક ક્યારેય નહીં આવે.

બની શકે કે નર્સિંગ સ્ટાફ તમારી સંભાળ લે; 

જે ભાગ્યેજ તમારી સાથે લાગણીથી જોડાયેલા હશે.

શાંતિ થી પડ્યા રહેજો અને એમનું કામ મુશ્કેલ ન કરશો.

એમનો આભાર માનવાનું  ભૂલશો નહિ.


૫.
દુનિયા માં ઘણા બધા ધુતારા છે તે બધા  જાણે છે કે વૃદ્ધો પાસે ઘણી બધી બચત હોય છે, અને તેઓ તમારી સાથે છેતરપિંડી કરવાની રીત જાણતા હશે: આ માટે તેઓ  ફોન કોલ્સ, ટેક્સ્ટ સંદેશાઓ, મેઇલ, ફૂડ અને પ્રોડક્ટ ના નમૂનાઓ, દીર્ધાયુષ્ય માટે ન કીમિયા દ્વારા તમારા પૈસા પડાવવા કોશિશ કરશે.

 સાવચેત રહો,

તમારા પૈસા તમારી પાસે રાખો.

તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચ કરો.

અંધારું થાય તે પહેલાં, જીવનની અંતિમ યાત્રા ધીરે ધીરે ડીમ થતી જશે;

સ્વાભાવિક રીતે, તમે જે માર્ગ તરફ પ્રયાણ કરી રહ્યાં છો તે મુશ્કેલ બનશે, અને આગળ વધવું વધુ મુશ્કેલ રહેશે.

60 વર્ષના થયા પછી, જીવન જે છે તેને વળગી રહેવું,

આપણે જે કરી શકીએ તેમાં જીવનનો આનંદ માણવો,

અને સમાજની મુશ્કેલીઓ અથવા તમારા બાળકો અને પૌત્ર-પૌત્રોની બાબતો પોતાના માથે  ન લેવી.

નમ્ર રહો, તમારી પોતાની વયને લીધે ચડિયાતા હોવાની કોશિશ ન કરો -

આ બધું તમને અને બીજાને નુકસાન જ કરશે. જેમ જેમ આપણે વૃદ્ધ થતાં જઈએ છીએ, તેમ આપણે સમજવું જોઈએ કે આદર શું છે અને તેનું  શું મહત્વ છે.

તમારા જીવનના આ પછીના દિવસોમાં,

તમારે બધી લાગણીઓના બંધનોને છોડી દેવા અને માનસિક રૂપે તમારી જાતને તૈયાર કરવી પડશે .

આપણા બધાને લાગુ પડતું એક ખૂબ સુંદર, લખાણ મમળાવીએ !

હમણાજ  જ દિવસ શરૂ થયો અને સાંજના છ વાગી ગયા!

હમણાં જ સોમવાર ગયો અને શુક્રવાર આવી ગયો!

....અને મહિનો લગભગ પૂરો થઈ ગયો

... અને વર્ષ લગભગ પૂર્ણ થવાની તૈયારીમાં છે.

... અને પહેલાથી જ આપણા જીવનના 50 અથવા 60 અથવા 70 વર્ષ પસાર થઈ ગયા છે.

... અને જાણ્યું કે

આપણે માતાપિતા, અને મિત્રો ગુમાવ્યા છે

અને અમને ખ્યાલ છે કે પાછા જવા માટે ખૂબ મોડું થયું છે!

તો ચાલો, આપણે જે સમય બચ્યો છે તેનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરીએ.

ચાલો,‌ આપણે ગમતી પ્રવૃત્તિઓ શોધવાનું બંધ ન કરીએ.

ચાલો, આપણા જીવનમાં રંગ ભરીએ.

ચાલો, જીવનની નાની નાની વસ્તુઓ પર સ્મિત કરીએ જે આપણા હૃદયને શાતા આપે છે.

ખુબ મોડું થઇ ગયું છે છતાં,

આપણે બાકી રહેલો સમય સારી  રીતે માણવો જ જોઈએ.

ચાલો "પછી" ને દૂર કરવાનો પ્રયાસ કરીએ.

હું તે પછી કરીશ ...

હું પછી કહીશ ...

હું તે પછી તેના વિશે વિચાર કરીશ ...

આપણે 'પછી' માટે બધું છોડીએ છીએ જાણે "પછી" આપણું જ રહેવાનું હોય.

કારણ કે આપણે સમજી શકતા નથી કે:

પછી, કોફી ઠંડી થઇ જશે...

પછી, પ્રાયોરિટી બદલાય જશે  ...

પછી, એનો મોહ નહિ રહે ...

પછી, આરોગ્ય કથળશે ...

પછી, બાળકો મોટા થશે ...

પછી, માતાપિતા વૃદ્ધ થાય છે ...

પછી, વચનો ભૂલી જવાય છે ...

પછી, દિવસ રાત થઇ જાય છે ...

પછી, જીવન સમાપ્ત થઈ જાય છે ...

અને તે પછી, લાગે છે કે,

ઘણું  મોડું થઇ ગયું .... 
 
તેથી ... 'પછી' માટે કાંઈ છોડશો નહીં ...

કારણ કે, હંમેશા પછીની પ્રતીક્ષામાં,

આપણે શ્રેષ્ઠ ક્ષણો ગુમાવી દઈએ છીએ,

શ્રેષ્ઠ અનુભવો,ગાઢ મિત્રો,શ્રેષ્ઠ કુટુંબ ...

જે દિવસ છે તે આજે જ છે.

જે ક્ષણ છે તે આ જ ક્ષણ  છે.

હવે તે ઉંમર નથી કે, જે આપણે તરત કરવાનું છે તે આવતીકાલ સુધી મુલતવી રાખીએ.

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...