કારકિર્દી માર્ગદર્શન

*ધોરણ ૧૨ બોર્ડ માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખાસ અગત્યનું :-*

વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછી સરકાર દ્વારા *B.Voc* નામના કોર્સ ની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ *ધોરણ ૧૨ પછી* ના BBA/B.Com/BA/BSC કરતા પણ *શ્રેષ્ઠ અને ઉચ્ચ કક્ષા* નો છે. સરકારી કોર્સ હોવાથી આની વધુ જાહેર ખબર જોવા મળશે નહિ એટલે આ ખુબ જ મહત્વની માહિતી અહીંયા મેળવો..

https://www.ugc.ac.in/skill/BVoc.html

કોર્સ ની ખાસીયત:

૧.  B.Voc કોઈ કોલેજ કે યુનિવર્સીટી એ નહિ પણ ખુદ સરકારે UGC અને AICTE દ્વારા બનાવેલો છે.

૨. સરકાર દ્વારા B.Voc માં ધોરણ ૧૨ પછી વિદ્યાર્થીઓ ને તુરંત જ નોકરી (જોબ) અથવા રોજગારી આપવામાં આવે છે.

૩. વિદ્યાર્થી ધોરણ ૧૨ પછી તરત જ ભણતા ની સાથે જ કમાતો પણ થઇ જાય છે.

૪. વિદ્યાર્થી પોતાની કમાણી માંથી જ પોતાની કોર્સની ફી ભરી શકે છે, અને વધારાની આવક પણ મેળવી શકે છે. આમ વાલીના માથે બોજ ને બદલે સ્વનિર્ભર થઇ જાય છે.

૫. વિદ્યાર્થી ભણવા ની સાથે સાથે અનુભવ પણ મેળવે છે. જે તેને વિદેશ ભણવા કે કમાવા જવામાં ખુબ જ મદદરૂપ (ઉપયોગી) થાય છે.

૬. વિદ્યાર્થી ને બીજો કોઈ ડીગ્રી કોર્સ કરવાની જરૂર રહેતી નથી.

૭. વિદ્યાર્થી B.Voc કર્યાની સાથે તુરત જ ફૂલ ટાઇમ જોબ મેળવી શકે છે અને આગળ MBA/Ph.D જેવા કોર્સ માં એડમિશન મેળવી શકે છે.

૮. વિદ્યાર્થી B.Voc સાથે CA/CS વગેરે કરી શકે છે અને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા ( GPSC/UPSC) ની તૈયારી પણ કરી શકે છે.

B.Voc ચલાવનાર સંસ્થા:
*એન.એસ. પટેલ આર્ટ્સ  કોલેજ, આણંદ*
(સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત)

ગુજરાત માં ક્યાં?

ગુજરાત માં આણંદ ખાતે NSPatel  Arts College ના કેમ્પસ શરુ થયેલ છે જ્યાં ધોરણ ૧૨ પાસ કરેલ વિદ્યાર્થીઓ તેમજ ધોરણ ૧૦+ITI અને ધોરણ ૧૦+Diploma કરેલ વિદ્યાર્થીઓ B.Voc માં પ્રવેશ મેળવી શકે છે.

સંસ્થામાં ચાલતા કોર્ષ:
1) Hospitality and Tourism
2) Retail Management
3) Theartre Art and Stagecraft
4) Photography and Animation
5) Journalism and Mass communication

B.Voc પ્રવેશ પ્રક્રિયા:

૧. વિદ્યાર્થી એ એપ્લીકેશન ફોર્મ NSPatel  Arts College નાઓફિસ ખાતેથી રુબરુ મેળવીને ભરવાનું રહેશે.

૨. ફોર્મ વહેલા તે પહેલા ના ધોરણે જ મળશે. નિયત સમય બાદ ફોર્મ મળવા પાત્ર રહેશે નહિ.

૩. જુન-૨૦૨૦ ની બેચના એડમિશન ફોર્મ અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આપ અમારી ઓફિસ ખાતે આવીને એડમિશન ફોર્મ ભરી શકો છો.

B.Voc પ્રવેશ લાયકાત:

૧. કોઈ પણ પ્રવાહ માં ૪૦% સાથે ધોરણ ૧૨ પાસ કરેલ હોવું જરુરી છે.

૨. વિદ્યાર્થીઓને એડમિશન માટે લેખીત પરીક્ષા અને પસઁનલ ઈન્ટરવ્યુ આપવાનું રહેશે.

B.Voc એડમિશન સીટ કેપેસિટી:

૧. એડમિશન સીટ ફક્ત ૫૦ હોવાથી એટલા જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.

૨. સરકારી કોર્સ હોવાથી ફી સિવાય કોઈ પણ જાતનું ડોનેશન આપવામાં ભરમાવું નહિ.

૩. જો આપ કોઈ ધોરણ ૧૨ ના વિદ્યાર્થી ને જાણતા હોય તો એના માટે નીચે મુજબ ના સરનામે વહેલા તે પહેલા ના ધોરણે તરત જ ફોર્મ મેળવી લેવા વિનંતી છે.

B.Voc ના ફોર્મ મેળવવા સંપર્ક:

આણંદ ખાતે ;
ડૉ. આશવ પટેલ
હેડ, ડિપાર્ટમેન્ટ ઓફ વોકેશનલ સ્ટડીઝ,
એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજ, આણંદ.
સંપર્ક : 95748 22220

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...