Posts

Showing posts from May, 2018

વાણિયો અને લક્ષ્મી

એક વાણિયા  થી લક્ષ્મીજી નારાજ થઇ ગયા. જતા સમયે બોલ્યા હું જઇ રહી છું, અને મારી જગ્યાએ નુકસાન આવી રહ્યું છે. તૈયાર થઇ જા. પરંતુ, હું તને છેલ્લી ભેટ  જરૂર આપવા માંગીશ. માંગ, તારી જે પણ ઇચ્છા હોય તે. વાણિયો  બહુ જ સમજદાર હતો. તેણે વિનંતિ કરી કે નુકસાન આવે તો ભલે આવે, પણ એને કહેજો કે મારા પરિવારમાં પ્રેમ બન્યો રહે. બસ, મારી આ જ ઇચ્છા છે. લક્ષ્મીજી એ તથાસ્તુઃ કહ્યું. થોડાક દિવસો પછી, વાણિયા ની દિકરીના લગ્ન માટે તેના ભત્રીજા એ ભુલથી ખોટું સોનું ધરાવતો સેટ ખરીદી કરી લીધો. વાણિયા  ને ખબર પડતાં દુઃખ થયું, પરંતુ તે ૫૦,૦૦૦ ના નુક્સાન માટે પોતાના ભાઈના દીકરાને વઢયા નહિ, ફક્ત શિખામણ આપી. એ સમજી ગયા હતા કે નુકશાન પ્રવેશ કરી ચુક્યો છે. “ઘરે જતા પહેલા ભગવાનના મંદિરે જતો જાઉં”, એમ વિચારી તે લક્ષ્મી-નારાયણ મંદિરે ગયા. ત્યાં તેમના મોંઘા ચપ્પલ કોઈ ચોરી ગયું. નુકસાન એનો પરચો બતાવવા લાગ્યો હતો. આ બાજુ ઘરે, વાણિયા  ની સૌથી નાની વહુ ખીચડી બનાવતી હતી. તેણે મીઠું વગેરે નાખ્યું, અને બીજું કામ કરવા લાગી. ત્યારે બીજા છોકરાની વહુ આવી અને ચાખ્યા વગર મીઠું નાખીને ચાલી ગઈ. તેની સાસુએ પણ આવું

ગોળ..

1. રાત્રે સુતા પહેલા ૭ દિવસ ખાઈ લો ગોળ, આ ૫ જાતની તકલીફ થઇ જશે દુર આજે જ અજમાવી લો                                                                 ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે ૭ દિવસ સતત આમ કરશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ. તેના વિષે અમે આયુર્વેદ નિષ્ણાંત અબરાર મુલતાની સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે એટલું જ નહિ ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી ગયેલ છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે. પણ મિત્રો આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવેલ છીએ જેવું સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દુર થઇ જશે. જો તમે અમારા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદા થશે.

પાંચ રુપિયા..

પાંચ રુપિયા..      વેકેશન હોવાથી અગાઉથી નક્કી કર્યા મુજબ મારી દીકરીને અમદાવાદ બહેનપણી સાથે બે ચાર દિવસ માટે રહેવા જવું હતું.સવારે નવ વાગે આણંદથી પસાર થતી સંકલ્પ ફાસ્ટ પેસેન્જરમાં જવાનું નક્કી કર્યુ હતું. હું એને સ્ટેશન સુધી મૂકવા ગયો હતો.      ટિકિટ બારી આગળની લાઈનો ટૂંકી હતી એટલે અનુભવ થાય એ આશયથી મેં એને ટિકિટ લેવાં લાઈનમાં ઊભા રહેલા કહ્યું. મેં એને ત્રીસ રુપિયા આપ્યા હતાં.કદાચ જીવનમાં પહેલી વાર મારી દિકરી આ રીતે ટિકિટ લેવાં લાઈનમાં ઊભી હશે.એ લાઈન ધીમેથી આગળ વધતી હતી. હું ધ્યાન રાખવા એની સમાંતર આગળ વધતો હતો પણ બીજી એક બેને આવીને મને ત્યાંથી હટી જવા કહ્યું.એટલે જગ્યા ના હોવાથી મારે ત્યાંથી નીકળીને છેક પાછળ જવું પડ્યું.તેથી એની વાતચીત અને વ્યવહાર પર ધ્યાન ન રહ્યું.       મારી દીકરી દુન્યવી વ્યવહારોમાં(એટલે કે સ્વ માટે શ્રેષ્ઠ પણ શાસ્ત્રો મુજબ નકારાત્મક ભૂમિકા) કાચી પડે છે. કારણ અમે એને એવી ચાલાકી (?) (કે લુચ્ચઈ) શીખવી જ નથી. અત્યંત પ્રામાણિકતા અને ઉદારતા અમારો સ્વભાવ રહ્યાં છે. એની પાછળ ઉભેલો છોકરો એની આગળ ટિકિટ લઈ ગયો હતો.છતાં તે શાંતિથી ટિકિટ માટે ઊભી હતી.તે ટિકિટ લઈ બહાર આવી એટ

અખરોટ

એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી *અખરોટ* આપવા નો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે લાવ, થોડો આરામ કરી લઉં, તરત જ યાદ આવી જતું કે સિંહ તેને દસ બૉરી અખરોટ દેવાનો છે. તે પાછી કામ પર લાગી જતી ! તે જ્યારે બીજી ખિસકોલીઓ ને રમતા જોતી તો તેને પણ રમવાનું મન થઇ આવતું, પણ અખરોટ યાદ આવી જતાં અને પાછી કામ પર.....! એવું નહોતું કે સિંહ તેને અખરોટ દેવા નથી માંગતો, સિંહ બહુ ઇમાનદાર હતો. આમ જ સમય વિતતો રહ્યો..... એક દિવસ એવો આવ્યો કે સિંહ રાજાએ ખિસકોલી ને દસ બૉરી અખરોટ આપી આઝાદ કરી દિધી. પણ... ખિસકોલી અખરોટ ની પાસે બેસી વિચાર કરવા લાગી કે હવે અખરોટ મારે શું કામ ના ? આખી જિંદગી કામ કરતાં કરતાં દાંત તો ઘસાઇ ગયા, આને ખાઇશ કઇ રીતે ! ! ! આ વાત આજ જીવન ની હકીકત બની ગઇ છે ! મનુષ્ય પોતાની ઇચ્છાઓ નો ત્યાગ કરે છે, પુરી જિંદગી નોકરી, વ્યાપાર અને ધન કમાવા માં વિતાવી દે છે ! ૬૦ વરસ ની ઉમરે જ્યારે

પ્રભુની આજ્ઞા

નાનો પરીવાર ધરાવતી એક અતિ ગરીબ સ્ત્રીએ એક વાર પ્રભુ ની મદદ માગવા રેડીઓ સ્ટેશને ફોન કર્યો. એક નાસ્તિક માણસ પણ આ રેડીઓ કાર્યક્રમ સાંભળી રહ્યો હતો. તેણે પેલી ગરીબ સ્ત્રીની મજાક ઉડાવવાનું નક્કી કર્યું. તેણે એ સ્ત્રીનું સરનામુ નોંધી લીધુ અને પોતાની સેક્રેટરી ને સારી એવી ખાદ્યસામગ્રી ખરીદી પેલી સ્ત્રીને ત્યાં પહોંચાડી આવવાની આજ્ઞા કરી. પણ તેણે પોતાની સેક્રેટરી ને એક વિચિત્ર સૂચના આપી. તેણે કહ્યું જ્યારે એ ગરીબ સ્ત્રી પૂછે કે આ ખાવાનું કોણે મોકલાવ્યું છે ત્યારે જવાબ આપવો કે એ શેતાને મોકલાવ્યું છે. સેક્રેટરી એ તો પોતાના બોસની આજ્ઞા પ્રમાણે સારી એવી માત્રામાં ખાદ્યસામગ્રી ખરીદી અને પેલી ગરીબ સ્ત્રીના ઘરે પહોંચાડી. ગરીબ સ્ત્રી તો આટલી બધી ખાદ્યસામગ્રી જોઈને રાજીના રેડ થઈ ગઈ. આભારવશતાની લાગણી અનુભવતા અનુભવતા તેણે એ બધો સામાન પોતાના નાનકડા ઘરમાં ગોઠવવા માંડ્યો. સેક્રેટરી એ થોડી રાહ જોયા બાદ જ્યારે ગરીબ સ્ત્રીના તરફથી કોઈ સવાલ ન થયો ત્યારે અકળાઈને સામેથી જ પૂછી નાખ્યું ," શું તમને એ જાણવાની ઇચ્છા નથી કે આ બધું કોણે મોકલાવ્યું?" ગરીબ સ્ત્રીએ જવાબ આપ્યો,"ના. જેણે

ઈમાનદારી...

ઈમાનદારી કોના પક્ષે....! આમ તો હું  રોજ ટ્રેન માં અમદાવાદ અપ–ડાઉન કરું એટલેસાંજે આણંદ ઉતરું અને પછીઆણંદ- ખંભાત ડેમુ દ્વારા પેટલાદ જાઉં,ગુજરાત ક્વીન અને આણંદ–ખંભાત ડેમુ વચ્ચે પોણો કલાક મળે એટલે હું આણંદમાં ચાલવા માટે નીકળું, આ મારો નિત્યક્રમ,એથી મને સારી એવી કસરત પણ મળે આણંદ રેલ્વે સ્ટેશન અને જુના દાદર વચ્ચે કેટલીક નોન–વેજની લારીઓ,દુકાનોઅને નાની-નાની  હોટેલ આવેલ છે જ્યાંથી હું અમુક અમુક સમય ના અંતરે નોન–વેજ આઈટમ અમારા માટે લઈ જતો હોવું છું ત્યાં નૂરે મોહમ્મદી અમદાવાદી ફ્રાય સેન્ટર આવેલ છે જે નાની અને મધ્ય ક્ક્ષાની કહી શકાય તેવી હોટેલ છે  ત્યાં વડીલ કાકા છે જેમનું નામ જિમારતઅલી છે  જે પરપ્રાંતીય છે જેઓ તેનું મેનેજમેન્ટ કરે છે તેના માલિક અન્ય કોઈ છે  અને ચાચા તંદુરી ચિકન બનાવવા માં માહિર છે એટલે હું અવારનવાર ત્યાં જાઉં આમ અમારે એ રીતે ઓળખાણ છે,અને જાઉં એટલે  ત્યાં થોડો સમય ગાળું ત્યારે અમે જુદી-જુદી બાબતોની ચર્ચા પણ કરીએ,જો કોઈ સમયે જવામાં અઠવાડિયું લંબાય તો પૂછે પણ ખરા સાહબ ઇતને દિન કહા ગયે થે ? અને હું મારા કાર્યવિસ્તાર માં ગયો હોઉં અને તેના વિશે વાત કરું તો એ એક ધ્યાન થઈ ને સાંભળે અ

ગોટલી...

ગુજરાત ની કૃષિ યુનિવર્સિટી દ્વારા કેરીની ગોટલી તથા છાલ પર અનોખું સંશોધન ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં - વિટામીન' બી-૧૨'ની ઉણપ હોય છે. તે દૂર કરવામાં 'ગોટલી' મદદરૂપ બની શકે છે. કેરી ખાધા પછી - કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે... તો - માનવ શરીરમાંની 'વિટામિન બી-૧૨' ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે - આ ગોટલીમાંથી મળતું 'મેન્ગીફેરીન' નામનું ઘટક - માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ... - સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં - તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે... તેમનું કહેવું છે કે - ૧૦૦ ગ્રામ ગોટલીમાંથી ૨ કિલો કેરીના રસ કરતાં વધુ પોષક તત્વો મળી રહે છે. કેરી કરતાં ૫૦ ગણા વધુ પોષક તત્વો ધરાવતી ગોટલીને કચરા તરીકે ફેંકી દેવામાં આવી રહી છે. કેરીની ગોટલીમાં - સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને 'ફાઈટોકેમિક
કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિ  ૧૭/૫ એ તેમના આ શ્રેષ્ઠ કાવ્ય થી શ્રદ્ધાંજલિ... ભગવાનનો ભાગ નાનપણમાં બોરાં વીણવા જતા. કાતરા પણ વીણતા. કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા. ટેટા પાડતા. બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા- -આ ભાગ ટીંકુનો. -આ ભાગ દીપુનો. -આ ભાગ ભનિયાનો, કનિયાનો… છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા- ‘આ ભાગ ભગવાનનો !’ સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા, ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. ભગવાન રાતે આવે, છાનામાના ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા. પછી મોટા થયા. બે હાથે ઘણું ય ભેગું કર્યું ; ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના. અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ? રબીશ ! ભગવાનનો ભાગ ? ભગવાન તે વળી કઇ ચીજ છે ? સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ- હાથમાં ઘણું ઘણું આવ્યું… અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા; કહે : લાવ, મારો ભાગ… મેં પાનખરની ડાળી જેવા મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ. એકાદ સુકું તરણું યે નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે ? આંખમાં ઝળઝળિયાં આવ્યાં, તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને. વાહ !- કહી ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્

કર્મનું ફળ...

*🎋કર્મનું ફળ કોના ખાતામાં?* એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન  ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું।... એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો ... થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.રસોઇ ઝેરીલી થઈ ગઈ... રસોઇ બનાવનારને આ ખબર ના હતી... રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા. રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્નભં હત્યાનું પાપ તેને લાગશે.. *બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું?* ૧-રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ? ૨-રસોઇયા- કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ? ૩-સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ? ૪-સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે  ઝહેર ઓક્યું ? ધણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો. થોડા સમય પછી બહારગામથી ભુદેવો રાજાની મુલાકાતે આવે છે, રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્ય

સાત જોક્સ...

સાત જોક્સ, જે બનાવી દેશે તમારી જિંદગીને મસ્તમાં મસ્ત ગુરુ દત્તાત્રેય જેવી ‘શિષ્યવૃત્તિ’ કેળવીએ તો સડેલામાં સડેલી જોકમાંથી પણ જિંદગીને મસ્તમાં મસ્ત બનાવવાના પાઠ શીખી શકાય. કઈ રીતે? આ રીતે... જોકનંબર-1 દિનેશ રસ્તા પર જઈ રહ્યો હતો, પણ જેટલી વાર પાછળથી કે સામેથી કોઈ ટ્રક આવતી જણાય ત્યારે એ જાણે થીજી જતો. ઊભો ઊભો ધ્રૂજવા લાગતો. છેવટે એક જણે આ વિચિત્ર વર્તનનું કારણ પૂછ્યું ત્યારે જવાબ મળ્યો, ‘બે વર્ષ પહેલાં મારી પત્ની એક ડ્રાઈવર સાથે ભાગી ગયેલી. એટલે હવે જ્યારે પણ કોઈ ટ્રક આવતી જોઉં છું ત્યારે મને ડર લાગે છે કે ક્યાંક પેલો ડ્રાઈવર મારી પત્ની ફરી મને સોંપવા તો નથી આવી રહ્યો ને!’ આ સડેલી જોકમાંથી શીખવા જેવું એ છે કે આટલા મોટા પાયે નહીં તો પણ નાના પાયે આપણે પણ દિનેશની જેમ અમુક ‘ટ્રકો’થી ડરતાં હોઈએ છીએ. ફોનની ઘંટડી વાગતાં એવો વિચાર આવે કે ‘અમંગળ સમાચાર તો નહીં હોય ને!’ ડોકમાં જરાક દુખાવો થાય તો વિચારીએ કે સ્પોન્ડિલાઈટિસ તો નહીં હોય ને, છાતીમાં સહેજ દુખે ત્યારે ડરીએ કે નક્કી આ હાર્ટ એટેક જ હશે, બગલમાં નાનકડી એવી ગાંઠ થતાં ફફડીએ કે આ ક્યાંક કેન્સર તો નથી ને! આવી અનેક બાબતો દિનેશ

ज्ञानका अहंकार..

*कालिदास बोले :-* माते पानी पिला दीजिए बङा पुण्य होगा. *स्त्री बोली :-* बेटा मैं तुम्हें जानती नहीं. अपना परिचय दो। मैं अवश्य पानी पिला दूंगी। *कालीदास ने कहा :-* मैं पथिक हूँ, कृपया पानी पिला दें। *स्त्री बोली :-* तुम पथिक कैसे हो सकते हो, पथिक तो केवल दो ही हैं सूर्य व चन्द्रमा, जो कभी रुकते नहीं हमेशा चलते रहते। तुम इनमें से कौन हो सत्य बताओ। *कालिदास ने कहा :-* मैं मेहमान हूँ, कृपया पानी पिला दें। *स्त्री बोली :-* तुम मेहमान कैसे हो सकते हो ? संसार में दो ही मेहमान हैं। पहला धन और दूसरा यौवन। इन्हें जाने में समय नहीं लगता। सत्य बताओ कौन हो तुम ? . (अब तक के सारे तर्क से पराजित हताश तो हो ही चुके थे) *कालिदास बोले :-* मैं सहनशील हूं। अब आप पानी पिला दें। *स्त्री ने कहा :-* नहीं, सहनशील तो दो ही हैं। पहली, धरती जो पापी-पुण्यात्मा सबका बोझ सहती है। उसकी छाती चीरकर बीज बो देने से भी अनाज के भंडार देती है, दूसरे पेड़ जिनको पत्थर मारो फिर भी मीठे फल देते हैं। तुम सहनशील नहीं। सच बताओ तुम कौन हो ? (कालिदास लगभग मूर्च्छा की स्थिति में आ गए और तर्क-वितर्क से झल्लाकर बोले

Jesus & Bible

Interesting! *Who is Jesus?* *In chemistry,* He turned water to wine.                      John 2:6-10                   John 4:46 *In biology,*  He was born without the normal conception;                            Isaiah 7:14                  Luke 1:26- 37 *In physics,* He disapproved the law of gravity when He ascended into heaven;                      Mark 16:19 *In economics,* He disapproved the law of diminishing returns by feeding 5000 men with two fishes & 5 loaves of bread;                Matthew 14:19                John 6:13 *In medicine,* He cured the sick and the blind without administering a single dose of drugs;                Matthew 15:30                Mark 1:34 *In history,* He is the beginning and the end;             John 1:1-5             Revelation 22:13             Revelation 21:6 *In government,* He said that He shall be called Wonderful Counselor, Prince of Peace;                     Isaiah 9:6-7 *In religion,*

મીનરલ વોટર

*મિનરલ વોટર ના ૨૦ લિટરના કેરબા વિશે જાણો છો ?* શું તમે જાણો છો કે મિનરલ વોટર ના કેરબામાં પાણી ઠંડુ કરવા માટે અને લાંબો સમય ઠંડુ જાળવવા માટે 20 લીટરના એક કેરબામાં લિક્વિડ નાઇટ્રોજનનુ  *ફક્ત એક ટીપું* જ નાંખવામાં આવે છે !! જે આખો દિવસ કેરબાના પાણીને ઠંડુ રાખે છે. અને આ જગ નું વધેલું પાણી તે લોકો પરત પણ રાખતા નથી. માત્ર એક સળી જેવું સાધન અને એના પર *અમુક માત્રા ( એક ટીપાં કરતાંય આછી માત્રા)* લિક્વિડ નાઇટ્રોજન ની હોય છે, આ બાબત કોઈ મિનરલ વોટર વાળો તમને નહીં જણાવે પણ જો તમારે તમારા સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું હશે તો મિનરલ વોટર ના જગ નો ત્યાગ કરવો જ પડશે. *તમારી ઓફિસે, ઘરે, ફેક્ટરી પર કે આપના શુભ / અશુભ પ્રસંગેના જમણવાર વખતે  ઠંડા કેરબામાં, ઠંડા જગમાં મિનરલ વોટર મંગાવવાનુ ટાળો કારણે આપણી અજાણતામાં, લોકોના સ્વાથ્ય સાથે ગંભીર, ચેડાં થઈ જાય છે.* અને સાથે સાથે, તમે પણ કોઈને ત્યા ગયા હોવતો પોતે _*મિનરલ વોટરના કેરબાનુ (ડિસ્પેન્સર પર મુકેલા કેરબાનુ)*_ પાણી પીવાનુ  ટાળો, આ વાત તમારા ફેમીલીમાં પણ સમજાવી દો. દોસ્તો , *સામાન્ય જીંદગીમાં ખુબ જ ઉપયોગી માહિતી* શું આપ *લિક્વિડ નાઇટ્રોજન* વિ

૫૫ વાતો

*જેકસન બ્રાઉન”ની કલમે લખાયેલી 55 સુંદર વાતાે* 1. "કેમછો” કહેવાની પહેલ દર વખતેઆપણે જ કરવી જોઇએ. 2.શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો, પછી ભલે તે વંચાય કે ન વંચાય. 3. કોઇએ લંબાવેલો(દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં. 4. બહાદુર બનો અથવા તેવો દેખાવ કરો. 5. આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો. 6. કોઇને પણ આપણી અંગત વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો. 7. કોઈને મહેણું ક્યારેય ન મારો. 8. એક વિદેશી ભાષા શીખી લેવી સારી. 9. કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશોનહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય. 10. ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં. 11. રાત્રે જમતી વખતે ટી.વી બંધ રાખો. 12. નકારાત્મક પ્રક્રૃતિના માણસોને મળવાનું ટાળો. 13. દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ. 14. દરેક વ્યકિતને બીજી તક આપો, ત્રીજી નહીં. 15. ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણુ અવશ્ય બંધ કરો. 16. સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું. 17. જે ગાંઠ છોડી શકાય એવી હોય તેને કાપશો નહીં. 18. જેને તમે ખુબ જ ચાહતા હો તેની સતત કાળજી લેતા રહો. 19. ત

અનુપમ ખેર

SSC માં ભણતા એક વિદ્યાર્થીનું રિઝલ્ટ આવ્યુ. માતા-પિતાએ તેને કહ્યુ, "ચાલ બેટા, આજે આપણે શહેરની સારામાં સારી હોટેલમાં જમવા જવાનુ છે." છોકરાને સુખદ આશ્ચર્ય થયુ, કારણ કે માતા-પિતા સામાન્ય પરિસ્થિતિના હતા અને આવી ક્યારેય તેને ઓફર આવી ન હતી. માતા-પિતા અને છોકરો, એમ ત્રણેય તૈયાર થઇ હોટેલમાં જમવા ગયા. છોકરાને ભાવતી વાનગી ઓર્ડર કરી ત્રણેય જમ્યા... જમવાનુ પત્યા પછી પિતાએ હળવેક થી દિકરાને માથે હાથ ફેરવી કહ્યુ, "બેટા, તને ખબર છે, તું SSC માં નાપાસ થયો છે? દિકરાના પગ નિચેથી જમીન ખસી ગઇ પણ પિતાએ તેને સંભાળતા ક્હ્યુ, "કઇ વાંધો નહિ, આ કોઇ તારી જિંદગીની કસોટી ન હતી. એટલુ યાદ રાખજે. ભણવાનુ પાસ કરવાથી તુ કદાચ સફળ થઇશ, પણ જિંદગીમા આવનારા ઉતાર ચઢાવને હિમ્મત અને ધીરજથી પાસ કરવાથી તુ સુખી અને મહાન બનીશ... આ વિદ્યાર્થી એટલે આજનો મોટા ગજાનો કલાકાર અનુપમ ખેર. આ પ્રસંગે તેની જિંદગી બદલી નાખી નેએ નિષ્ફળતા ને પણ ઉજવતા શિખ્યા. ઓછા ટકા આવવાથી સંતાનને ખાવા કરડવા દોડતા વાલીઓ જરા ચેતજો. સંતાનને કાયમ માટે ગુમાવવાનો વારો ન આવે...

Websites for teachers

```Important Websites for Teachers.``` 👇👇👇 १)www.gurumitra.in २)www.navnirmitilearning.org ३)www.majalgaonbrc.com ४)www.baljagat.com ५)Abhijitghorpade.wordpress.com ६)networkedblogs.com ७)http://www.palakneeti.org/  ( e books ) ८)joshworth.com/dev/pixelspace/pixelspacesolarsystem.html ९)http://www.learningwhiledoing.in/ १०)shiksha .com ११)http://study.taaza.com/ १२)http://www.meracareerguide.com/ १३)inmyschool.in १४)http://boltipustake.blogspot.in १५)www.teacherofindia.org १६)http://www.whereincity.com १७)www.majalgaonbrc.com १८)www.avakashvedh.com १९)www.quest.org.in २०)http://marathidesha.com २१)www.zpkolhapur.gov.in २२)http://www.prajakt-zaware.blogspot.in २३)http://inmyschool.in २४)http://www.balbharati.in २५)www.swselearn.com २६)http://www.zpschoolmaliwada.com २७)www.virtualuniversity.com २८)http://www.mscert.net २९)www.killedar.org ३०)http://ebooks.netbhet.com ३१)www.swselearn.com ३२)http://www.mscert.net ३३)www.impnewszpgr.hpage.com ३४)www

Useful quotes

*ek ek point ko dhyan se padhe* *Quote 1 .* जब लोग आपको *Copy* करने लगें तो समझ लेना जिंदगी में *Succes s* हो रहे हों. *Quoted 2 .* कमाओ…कमाते रहो और तब तक कमाओ, जब तक महंगी चीज सस्ती न लगने लगे. *Quote 3 .* जिस व्यक्ति के सपने खत्म, उसकी तरक्की भी खत्म. *Quote 4 .* यदि *“Plan A”* काम नही कर रहा, तो कोई बात नही *25* और *Letters* बचे हैं उन पर *Try* करों. *Quote 5 .* जिस व्यक्ति ने कभी गलती नहीं कि उसने कभी कुछ नया करने की कोशिश नहीं की. *Quote 6 .* भीड़ हौंसला तो देती हैं लेकिन पहचान छिन लेती हैं. *Quote 7 .* अगर किसी चीज़ को दिल से चाहो तो पूरी कायनात उसे तुमसे मिलाने में लग जाती हैं. *Quote 8 .* कोई भी महान व्यक्ति अवसरों की कमी के बारे में शिकायत नहीं करता. *Quote 9 .* महानता कभी ना गिरने में नहीं है, बल्कि हर बार गिरकर उठ जाने में है. *Quote 10 .* जिस चीज में आपका *Interest* हैं उसे करने का कोई टाईम फिक्स नही होता. चाहे रात के *1* ही क्यों न बजे हो. *Quote 11 .* अगर आप चाहते हैं कि, कोई चीज अच्छे से हो तो उसे खुद कीजिये. *Quote 12 .* सिर्फ खड़े होकर पानी दे

चीटियाॅ......

"शिक्षा विभाग" के शिक्षा के स्तर काे सुधारने के लिए अध्यापकों पर नित्य नये प्रयोग - कहानी के माध्यम से। #Must_Read_very_good_Story कुछ नन्हीं चींटीयां 🐜🐜🐜🐜 रोज अपने काम पर समय से आती थी और अपना काम अपना काम समय पर करती थी..... वे जरूरत से ज्यादा काम करके भी खूब खुश थी....... जंगल के राजा शेर 🐅 नें एक दिन चींटीयों को काम करते हुए देखा, और आश्चर्यचकित हुआ कि चींटीयां बिना किसी निरीक्षण के काम कर रही थी........ उसने सोचा कि अगर चींटीयां बिना किसी सुपरवाईजर के इतना काम, कर रही थी तो जरूर सुपरवाईजर के साथ वो अधिक काम कर सकती थी....... उसनें काक्रोच 🐞 को नियुक्त किया जिसे सुपरवाईजरी  का 10 साल का अनुभव था, और वो रिपोर्टों का बढ़िया अनुसंधान करता था ..... 🐞 काक्रोच नें आते ही साथ सुबह आने का टाइम, लंच टाईम और जाने का टाईम निर्धारित किया, और अटेंडेंस रजिस्टर बनाया... ..उसनें अपनी रिपोर्टें टाईप करने के लिये, सेकेट्री भी रखी.... उसनें मकड़ी  को नियुक्त किया जो सारे फोनों  का जवाब देता था और सारे रिकार्डों को मेनटेन करता था...... 🐅 शेर को काक्रोच 🐞 की रिपोर्

કાચની ભરણી.....

*"કાચની બરણી ને બે કપ ચા"* *એક બોધ કથા :* જીવનમાં જયારે બધું એક સાથે અને જલ્દી-જલ્દી કરવાની ઈચ્છા થાય.... બધું ઝડપથી મેળવવાની ઈચ્છા થાય અને આપણને દિવસના ૨૪ કલાક પણ ઓછા લાગવા લાગે..... ત્યારે આ બોધકથા *"કાચની બરણી ને બે કપ ચા"* ચોક્કસ યાદ આવવી જોઈએ....!!! દર્શનશાસ્ત્રના એક સાહેબ (ફિલોસોફીના પ્રોફેસર) વર્ગમાં આવ્યા અને વિદ્યાર્થીઓને કહ્યું કે એ આજે જીવનનો એક મહત્વપૂર્ણ પાઠ ભણાવવાના છે....!!! એમણે પોતાની સાથે લાવેલી એક મોટી કાચની બરણી (જાર) ટેબલ પર રાખી એમાં ટેબલ ટેનીસના દડા ભરવા લાગ્યા અને જ્યાં સુધી એમાં એકપણ દડો સમાવાની જગ્યા ન રહી ત્યાં સુધી ભરતા રહ્યા....!!! પછી એમણે વિદ્યાર્થીઓને પૂછ્યું, "શું આ બરણી ભરાઈ ગઈ છે..?!?" "હા" નો  અવાજ આવ્યો.... પછી સાહેબે નાના-નાના કાંકરા એમાં ભરવા માંડ્યા, ધીરે-ધીરે બરણી હલાવી તો ઘણાખરા કાંકરા એમાં જ્યાં-જ્યાં જગ્યા ખાલી હતી ત્યાં-ત્યાં સમાઈ ગયા. ફરી એક વાર સાહેબે પૂછ્યું, "શું હવે આ બરણી ભરાઈ ગઈ છે....?!?" વિદ્યાર્થીઓએ એકવાર ફરીથી "હા" કહ્યું.... હવે સાહેબે રેતીની થેલીમા

આપણો પુત્ર....વાર્તા

*👉છે કોઇ જવાબ..??* ...શહેરની એક શાળામાં શિક્ષિકાની જોબ કરતી  હીરલ સાંજનું ડીનર પતાવી એના ઘરમાં ફેમીલી રૂમના એક ટેબલ પર એના વર્ગના વિદ્યાર્થીઓના હોમ વર્કની નોટો તપાસવા બેસી ગઈ...  હીરલનો પતિ વિમલ સોફામાં બેસી એના સ્માર્ટ ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને એની ગમતી ગેમ રમવામાં પરોવાઈ ગયો. છેલ્લી નોટ બુક વાંચ્યા પછી એકાએક હીરલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ.એક પણ શબ્દ બોલ્યા સિવાય એ મુંગા મુંગા રડવા લાગી.  વિમલએ પત્નીને રડતી જોઈ પૂછ્યું :”હીરલ શું થયું? કેમ રડે છે ?” હીરલ:”ગઈ કાલે મેં મારા પહેલા ધોરણના વિદ્યાર્થીઓને “તમારે શું બનવાની ઇચ્છા છે? “એ વિષય પર નોટમાં થોડાં વાક્યો લખવાનું    ગૃહકામ આપ્યું હતું. વિમલએ ફરી પૂછ્યું :”ઓ.કે.પણ એ તો કહે કે તું રડે છે કેમ ?” હીરલ:”આજે મેં જે છેલ્લી નોટ બુક તપાસી એમાંનું લખાણ મારા હૃદયને સ્પર્શી ગયું .એ વાંચીને મારાથી રડી પડાયું.” વિમલએ આશ્ચર્ય સાથે હીરલને પૂછ્યું :”એ વિદ્યાર્થીએ એની નોટમાં એવું તો શું લખ્યું છે કે તું આમ રડવા બેસી ગઈ છે ?” જવાબમાં હીરલએ કહ્યું: "તો સાંભળો ,આ વિદ્યાર્થીએ 'મારી ઇચ્છા'  એ શીર્ષક નીચે નોટમાં આમ લખ્યું

સ્વર્ગ નરકની વાર્તા

*એક નાનકડી વાર્તા:* એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, “ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની મુલાકાત કરાવું. બોલ તારે પહેલા કોની મુલાકાત લેવી છે?” બાળકે કહ્યુ, “પ્રભુ, પહેલા નરક બતાવો.  પછી સ્વર્ગમાં થોડો સમય આરામ કરવો હોઇ તો પણ વાંધો ન આવે.” ભગવાન બાળકને લઇને નરકમાં ગયા. દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા. સૌ પ્રથમ ભોજનશાળાની મુલાકાતે ગયા. બાળકે જોયુ તો ત્યાં અનેક પ્રકારના ભોજન હતા. જાત જાતના પકવાનોના થાળ પડ્યા હતા. આમ છતા લોકો ભુખના માર્યા તરફડીયા મારી રહ્યા હતા. કેટલાકના મોઢામાંથી સારુ ભોજન જોઇને લાળો ટપકતી હતી પરંતું એ ભોજન લેતા ન હતા. બાળકે ભગવાનને પુછ્યુ, “પ્રભુ આવુ કેમ ? ભોજન સામે હોવા છતા આ લોકો કેમ ખાતા નથી અને દુ:ખી થઇને રાડો પાડે છે?” ભગવાને બાળકને કહ્યુ, “બેટા, આ તમામ લોકોના હાથ સામે જો. બધાના હાથ સીધા જ રહે છે.  એને કોણીથી વાળી શકતા નથી અને એટલે એ ભોજન

ભાવનાનું જોર....વાર્તા

એક દિવસ હું મારા એક મિત્ર સાથે   Driving license બનાવવા અમદાવાદ RTO ઓફીસ ગયો હતો. લાઈન માં ઉભા રહીને અમે Driving license નું  ફોર્મ ભર્યું. ગણો સમય થઇ ગયો હતો, હવે અમારે Driving license ની ફીઝ જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો. મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામ માં ખરચ્યો છે અને હવે માત્ર ફીઝ ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફીઝ જમા કરીલો. ઓફિસર તો ગુસ્સે થઇ ગયા. બોલ્યા: તમે આખો દિવસ ખરચ્યો તો એના માટે શું હું જવાબદાર છું? અરે સરકારને કહો કે વધારે ઓફિસર ની ભરતી કરે. હૂતો સવારથી મારું કામજ કરી રહ્યો છું!! ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું.. મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું. ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીન માંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીન માં ગયા અને થેલા માંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા. હું એમની સામેની બેચ પર જઈને બેઠો. મેં ક

Attitude...વાર્તા

Think Differently 01-04-2018 ગમેતેમ કરીને તે ઓફિસે પહોંચ્યો. આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.મમ્મી,પપ્પા ની રોજબરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે.,ચાદર સરખી કરી દે ,નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી કંટાળી ગયો છું. ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.અને બાજુમાં પાણી પાઈપમાં થી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું.કારણકે પપ્પાની ટકોર યાદ આવી. પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી. બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડી ની લાઈટ પણ બંધ કરી.એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.પૂછતા કહેતા કે કઇ પૂછતા નથી. તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી.ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો.તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને. બોસ સમજી ગયા કહ્યું હા ભાઈ એપ્રિ

ગોળ

રાત્રે સુતા પહેલા ૭ દિવસ ખાઈ લો ગોળ, આ ૫ જાતની તકલીફ થઇ જશે દુર આજે જ અજમાવી લો                                                                ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે ૭ દિવસ સતત આમ કરશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ. તેના વિષે અમે આયુર્વેદ નિષ્ણાંત અબરાર મુલતાની સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે એટલું જ નહિ ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી ગયેલ છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે. પણ મિત્રો આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવેલ છીએ જેવું સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દુર થઇ જશે. જો તમે અમારા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદા થશે. તો

મગફળી

લોકોને બદામને રાત્રે પલાળીને સવારે ખાવાની આદત હોય છે, કેમ કે બદામમાં એકથી વધીને એક બહુ જ ફાયદા હોય છે. તે આપણને તંદુરસ્ત રાખે છે. પંરતુ માર્કેટમાં વધી રહેલા બદામના ભાવોને કારણે રોજ બદામ ખાવું મોંઘુ બની રહ્યું છે. પણ જો તમને બદામનો ઓપ્શન મળે, જો તેના જેવો જ ફાયદો આપે. તમને જાણીને નવાઈ લાગશે કે મગફળી ખાવાથી એટલો જ ફાયદો થાય છે, જેટલો મગફળી ખાઈને થાય છે. વિશ્વાસ નહિ આવે, પણ મગફળી પલાળીને ખાવાના ફાયદા બહુ જ ઓછા લોકો જાણે છે. સરળતાથી અને ઓછા ભાવે મળતી મગફળીના અનેક ફાયદા છે. તેથી જ તેને ગરીબોની બદામ કહેવામાં આવે છે. તો આજે જાણી લો પલાળેલી મગફળી ખાવાના ફાયદા. – પલાળેલી મગફળી બ્લડ સરક્યુલેશન કન્ટ્રોલ કરીને શરીરને હાર્ટ એટેક તેમજ અન્ય હાર્ટ પ્રોબ્લમથી બચાવે છે. તેથી દિલનું સ્વાસ્થય સારું રાખવા માટે મગફળી ખાવું લાભકારી છે. – જો તમે જીમમાં જાઓ છો, તો રોજ સવારે મગફળી પલાળીને ખાઓ. કેમ કે જીમ ગયા બાદ શરીરને પ્રોટીન અને કેલ્શિયમની જરૂર હોય છે. તેનાથી મસલ્સ ટોન્ડ થાય છે. – તેમાં ઓમેગા 6 ફેટી એસિડ હોય છે. તે સ્કીનના સેલ્સ માટે બહુ જ ફાયદાકારક હોય છે. તેનાથી રંગ ગોરો થાય છે. સ્કીનની ચમક વધે છે. – પ
🌹 દીકરી શું છે? શું નથી? ------------------- 🌞સૂર્યના ઘરે દીકરી હોત અને તેને વિદાય કરવાનો અવસર આવ્યો હોત તો સૂર્યને ખબર પડત કે અંધારું કોને કહેવાય ? . . . . -------------------  ✍ દિકરી એટલે શું ? 🌹 દિ - 👉 દિલ સાથે જોડાયેલો એક અતૂટ શ્વાસ......... 🌹 ક - 👉 કસ્તૂરીની જેમ સદાય મહેકતી અને મહેકાવતી........ 🌹 રી - 👉 રિધ્ધિ-સિધ્ધિ આપનારી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી.....🖌🌹❣ ------------------- 🌹 કોઈ પણ પરિવારમાં એક પિતાને ખખડાવવાનો અધિકાર માત્ર દીકરી પાસે જ હોય છે  . . . . . 🌹  દરેક દીકરી પોતાના પિતાને કેમ સૌથી વધુ પ્રેમ કરે છે ? 🌹 કેમ કે તેને ખબર છે કે આખી દુનિયામાં આ એક જ પુરુષ છે જે તેને ક્યારેય દુ:ખી નહી કરે  . . . .. 🌹  દીકરી દાંપત્યનો દીવડો ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું. 🌹 હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? 🌹 એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : 🌹 પપ્પા, તમે રડો નહીં... તમે રડો છો તેથી મને પણ રડુ આવે

વિધ્યાર્થી પ્રેરણા

સચિન તેંડુલકર દસમા ધોરણમાં નાપાસ થયા હતા અને આજે મહારાષ્ટ્ર બોર્ડના દશમાં ધોરણમાં સચિન ઉપર એક પાઠ ભણવામાં આવે છે. અમિતાભ બચ્ચન રેડીયો ની પરીક્ષામાં ફેઈલ થયા હતા અને આજે આખી દુનિયા બચ્ચનસાહેબના અવાજ ઉપર ફીદા છે. પૂજ્ય મોરારીબાપુ દશમામાં ત્રણ વખત નાપાસ થયા હતા પરંતુ આજે ત્રણ વખત પીએચ.ડી. કરેલા લોકો પણ પૂજ્ય બાપુને નવ-નવ દિવસ સુધી પલાઠીવાળીને સાંભળે છે. પ્રમુખસ્વામી મહારાજે ધોરણ:૬ સુધી અભ્યાસ કરેલો છતાંયે વિશ્વમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર કરતા હજારો મંદિરો તથા સ્કૂલ- હોસ્પિટલ નુ નિર્માણ કર્યું.  મહાત્મા ગાંધી,  આલ્બર્ટ આઈન્સ્ટાઈન, વિન્સ્ટન ચર્ચિલ, બિલ ગેટ્સ, ધીરુભાઈ અંબાણી વગેરે મહાનુભાવો પણ નાપાસ થયા હતા અથવા ઓછા માર્ક્સ લાવ્યા હતા. એનો મતલબ એવો નથી કે નાપાસ થાય એજ સફળ થાય પરંતુ નાપાસ થયા પછી પણ સફળ થઈ શકાય છે. શરત એટલી  કે જીવતા રહેવું જોઈએ ! માટે, કદાચ ઓછા ટકા આવે કે નાપાસ થાવ તો પણ આપઘાત કરવાનું તો સપનામાં પણ ન વિચારશો. ઉપરવાળાએ જિંદગી જીવવા માટે આપી છે, મરવા માટે નથી આપી. જે વિદ્યાર્થીઓને આપઘાત કરવાનો વિચાર આવે એ લોકોએ રસોડાના બારણાં પાછળ સંતાઈને કામ કરતી પોતાની

૧૯૯૦ પહેલાં જન્મેલાં.....

આ વાંચવા જેવું છે. સંતોષ થશે. કુદરતે આપણને જે સમયમાં (૧૯૪૦-૧૯૯૦) જન્મ આપ્યો તે તેમની કેટલી મહેરબાની છે આપણા ઉપર....* > આપણે ક્યારેય રમતી વખતે કે સાયકલ ફેરવતી વખતે કોઇ દિવસ હેલમેટ પહેરવી પડી નથી. > શાળાએથી આવ્યા પછી દિ આથમ્યા સુધી આપણે શેરીઓમાં રમતા પણ ક્યારેય પોતાની રૂમ બંધ કરીને ટી વી જોવા બેઠા નથી. > આપણે ફક્ત આપણા વાસ્તવિક મિત્રો સાથે જ રમ્યા છીએ પણ NET Friend સાથે નહિ. > જ્યારે પણ તરસ લાગી ત્યારે સીધુ નળનું જ પાણી પીતા, અને ફરી રમવા દોડી જતા. > મિત્રો સાથે એ જ ગ્લાસમાં પાણી કે શરબત પીતા તો પણ ક્યારેય બિમાર પડયા નથી. > ખોબો ભરીને મિઠાઈ કે વાટકા ભરીને દાળભાત રોજ જમી જતા તો પણ ક્યારેય Obey-city ની તકલીફ  થઈ નથી. > ખુલ્લા પગે બધે રખડતા તો પણ કંઈ થતું નહિ. > આપણે જાતે જ આપણા રમકડા બનાવતા અને તેનાથી રમવામાં અનેરો આનંદ માણતા. > આપણા માતા-પિતા માલદાર ન હતા પણ તેઓ પૈસા કે સંપત્તિ માટે દોડ્યા નહિ પણ આપણને સાચો પ્રેમ આપ્યો, નહિ કે નિર્જીવ દુન્યવી પદાર્થ. > આપણા પાસે cellphones, DVDs, Play stations, XBoxes, video games, Personal computers, int

માઈક્રોફીક્શનસ્

માઇક્રો ફિક્શન વાર્તાઓ:- સમજાય તેને સલામ..... (૧) સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.” (૨) આજે ૧૫ વર્ષે બન્ને એક્બીજાની સામે આવ્યા. કંઈ કેટલીય યાદો સજીવન થઇ ગઇ. હજી કશું બોલવા જાય ત્યાં તો બન્ને તરફની ટ્રેનોએ પ્લેટફોર્મ છોડવાનું શરૂ કરી દીધું. (૩) ૮૬ વર્ષે બા ગયા. દાદાને દિકરાઓએ કહ્યું, ‘આટલા તાપમાં તમને સ્મશાન સુધી નહી ફાવે. ઘરમાં જ રહો.’ દાદાજી રૂમમાં ગયા. લાલ ચટક સાડીને છાતી સરસી ચાંપીને કોઇને સંભળાય નહી તેમ મન મૂકી ને રડ્યા.. (૪) ગઇકાલે લગભગ ૫૦૦૦ માણસો પર્યાવરણ બચાવોની રેલીમા જોડાયા. આજે સ્વચ્છતા કામદારોએ શહેરના રસ્તા પરથી લગભગ ૮૦૦૦ જેટલા પાણીના ખાલી પ્લાસ્ટિક પાઉચ ભેગા કર્યા. (૫) સરકારી દવાખાનાનાં જનરલ વોર્ડમાં પડેલ ૧૦ પથારીઓ પાસે જઇને દરેકના ઓશીકા પાસે રૂ. ૧૦૦૦નું કવર મૂકીને કંઇજ બોલ્યા વગર તે ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. ઘરે આવતાં જ માંએ પૂછ્યું, “કોઠારી સ્વામીનો ફોન હતો. મંદિરે અન્નકુટની ભેટ મૂકી આવ્યો?” એણે હસીને કહ્યું, હા મમ્મી..” (૬) ન્યૂયોર્કના ટાઇમ સ્કેવર પાસે દુનિયાભરના દેશોના ધ્વજમાંથ