ગોળ..

1.

રાત્રે સુતા પહેલા ૭ દિવસ ખાઈ લો ગોળ, આ ૫ જાતની તકલીફ થઇ જશે દુર આજે જ અજમાવી લો                                                                 ગોળ ખાવાના ફાયદા તો બધા જાણો જ છો. પણ અમે અહિયાં રાતના સુતા પહેલા ગોળ ખાવાના ફાયદા જણાવી રહ્યા છીએ. જો તમે ૭ દિવસ સતત આમ કરશો તો તમને તે ફાયદો કરશે. આયુર્વેદ મુજબ હમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ લગભગ ૨૦ ગ્રામ ગોળ ખાવો જોઈએ.

તેના વિષે અમે આયુર્વેદ નિષ્ણાંત અબરાર મુલતાની સાથે વાત કરી તો તેમણે જણાવેલ કે ગોળમાં રહેલ તત્વ શરીરના એસીડને દુર કરી દે છે. જયારે ખાંડના સેવનથી શરીર માં એસિડનું પ્રમાણ વધી જાય છે. જે ઘણી બીમારીઓનું કારણ બને છે. જેમ કે સૌને ખબર છે કે આજકાલ આપણા હાલનું ખાવા પીવાનું યોગ્ય ન હોવાને કારણે માણસ વહેલા થાકી જાય છે એટલું જ નહિ ઘરડાની સાથે સાથે યુવાનો પણ તેમની ગણતરીમાં આવી ગયેલ છે. યુવાન પણ જલ્દી થાકી જાય છે, થોડું કામ કરવાથી થાકનો અનુભવ કરવા લાગે છે. પણ મિત્રો આજે અમે તમારા માટે એક એવો નુસખો લઈને આવેલ છીએ જેવું સેવન કરવાથી તમારો થાક નિયમિત રીતે દુર થઇ જશે.

જો તમે અમારા જણાવ્યા મુજબ આ વિધિને કામમાં લો છો તો તમને ઘણા ફાયદા થશે. તો આવો જોઈએ આ નુસખા વિષે. તમે જોયું હશે કે હમેશા મજુર ગોળનું સેવન કરે છે પણ તમે ક્યારેય એ વિચાર્યું છે કે તે ગોળનું સેવન કેમ કરે છે. મજુર તમારાથી વધુ મહેનત કરે છે તેમ છતાં પણ તે થાકતા નથી તેનું મૂળ કારણ છે તે નિયમિત રીતે ગોળનું સેવન કરે છે

ભારતમાં હમેશા લોકો ખાધા પછી ગળ્યું ખાવાનો શોખ ધરાવે છે. પણ જો તમારે આરોગ્ય જાળવી રાખવું છે અને ગળ્યું પણ ખાવું છે તો એક હેલ્દી ઓપ્શન હોઈ શકે છે. ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્વ છે. ગોળ અને ખાંડ બન્ને શેરડીના રસમાંથી બને છે. પણ ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઇ જાય છે. પણ ગોળ સાથે આવું બનતું નથી.

ગોળમાં વિટામીન B પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. એક શોધ નું માનીએ તો ગોળ નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારના આરોગ્ય સબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે. આવો જાણીએ ગોળના થોડા મહત્વના ફાયદા.

આ ૫ જાતની તકલીફો થઇ શકે છે દુર :

૧. સ્કીન થઇ જાય છે ચમકદાર : ૭ દિવસ સુધી રોજ ગોળ ખાવાથી તમારી સ્કીન ક્લીયર અને હેલ્દી થઇ જશે કેમ કે ગોળ શરીર માંથી ટોક્સીન ને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દુર થઇ જાય છે.

૨. હાડકા થશે મજબુત : ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે.

નબળાઈ થઈ જશે દુર : જો તમને નબળાઈનો અનુભવ થાય છે તો દૂધ સાથે ગોળ ખાવાથી આ તકલીફ દુર થઇ જશે. ગોળ શરીરમાં એનર્જી નું લેવલ વધારી દે છે.

૪. ગેસ અને એસીડીટી થશે દુર : જો તમે રાત્રે ખાધા પછી સુતા પહેલા થોડો ગોળ ખાઈ લો છો તો ગેસ અને એસીડીટી ની તકલીફ દુર થઇ જશે.

૫. માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો થઇ જાય છે દુર : ગાયના ઘી સાથે ગોળ ખાવાથી માઈગ્રેન અને સામાન્ય માથાનો દુખાવો દુર થઇ જાય છે. સુતા પહેલા અને સવારે ખાલી પેટ ૫ મી.લિ. ગાયના ઘી સાથે ૧૦ ગ્રામ ગોળ એક દિવસમાં બે વખત ખાવ. માઈગ્રેન અને માથાનો દુખાવા માં રાહત મળશે.

ગોળના 8 ચમત્કારી ફાયદા :

૧. લોહી ચોખ્ખું, પાચન ક્રિયા, ગેસની તકલીફ, પેટને ઠંડક, મેટાબોલીજ્મ : ગોળ પાચન ક્રિયા ને યોગ્ય રાખે છે, ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મોટાબોલીજમ ઠીક કરે છે. રોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે. તેનાથી ગેસની તકલીફ થતી નથી. જે લોકોને ગેસની તકલીફ છે તે રોજ લંચ કે ડીનર પછી થોડો ગોળ જરૂર ખાય.

૨. એનીમિયા : ગોળ આયર્ન નો મુખ્ય સ્ત્રોત છે. તેથી તે એનીમિયા ના દર્દી માટે ખુબ ફાયદાકારક છે. ખાસ કરીને મહિલાઓ માટે તેનું સેવન ખુબ વધુ જરૂરી છે.

૩. ત્વચા, ટોક્સીન દુર, ખીલ દૂર : ત્વચા માટે ગોળ ખુબ ફાયદાકારક હોય છે ગોળ લોહીમાંથી ખરાબ ટોક્સીન દુર કરે છે. જેનાથી ત્વચા ચમકદાર બને છે અને ખીલ ની તકલીફ રહેતી નથી.

૪. જુકામ અને કફ : તેનું સેવન જુકામ અને કફ થી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો ચા કે લાડવા માં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

૫. થાક અને નબળાઈ : ખુબ વધુ થાક અને નબળાઈ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે. ગોળ જલ્દી પચી જાય છે અને ખાંડ નું સ્તર પણ વધતું નથી.

૬. તાવને નિયંત્રણ, દમ : ગોળ શરીરમાં તાવનું નિયંત્રિત રાખે છે. તેમાં એન્ટી એલર્જીક તત્વ રહેલ છે તેથી દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.

૭. સાંધાના દુખાવા : ગોળ સાંધાના દુખાવા થી પણ આરામ અપાવે છે. રોજ ગોળનો એક ટુકડા સાથે આદુ નું સેવન કરવાથી સાંધાના દુખાવાથી છુટકારો મળી શકે છે.

8. બ્લડ પ્રેશર : ગોલમાં વધુ પ્રમાણમાં પોટેશિયમ મળી આવે છે જે બ્લડ પ્રેશર ને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.

ગોળનું સેવન કરવાની રિત

૧. દેશી ઘી સાથે : જો તમને સામાન્ય રીતે જ ગોળ ખાવાની ઈચ્છા નથી થતી તો તમે ગોળ ને ઝીણો કતરી લો અને તેને દેશી ઘી માં ભેળવી દો પછી તેને રોટલી ઉપર મુકીને ખાશો તો તમને ખુબ એનર્જી મળશે.

૨. દૂધ સાથે : સાંજે ખાતી વખતે તમારે ગોળનું સેવન કરવું જોઈએ. તેને તમે જયારે દૂધ પીવો છો તેની સાથે સાથે ખાઈ શકો છો. તેનાથી તમારું હિમોગ્લોબીન નું સ્તર ઝડપથી વધશે અને તમને એનર્જી મળશે.

૩. છાશ ની સાથે : તમે શિયાળામાં સવારે છાશ સાથે પણ ગોળ નું સેવન કરશો તો તમને તેનાથી ખુબ જ વધુ એનર્જી મળશે અને તમને આવા સેવનથી સ્વાદ પણ આવે છે અને થાક પણ નથી લાગતો.

2.

*ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??  વગેરે માહિતી તમારા માટે...*

લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશો જી... usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ...

 


*આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે....*

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજન માં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,
 તેનું નામ ખાંડ હતું.

તેની જગ્યાએ શું ખઈએ. જવાબ છે-ગોળ

ગોળ અને ખાંડમાં ફરક !

*બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે,અને તે બધા શરીર ની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ,ગોળ બની જાય છે.તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી.માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.*

ગોળ થી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે.આ કાકવી ગોળ થી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી,૧ વર્ષ આરામ થી રાખી શકો છો. કાક્વી નો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે.હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.

ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યાર થી ખાંડ બનાવવા નું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

ભારત ને છોડી ને દુનિયા ના દેશો માં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે,તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

*તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે.જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારત ના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે.ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.*

ગોળ અને ખાંડ ની એક જ વાત યાદ રાખો. *જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી.જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે,કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.*

   ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સુત્રનું પાલન કરશો તો *ડાયાબિટીસ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગી માં ક્યારેય નહિ આવે.*

    તમે તમારી જીંદગી માં થી ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓ માંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તા માં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવા ની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો ગોળ ખાઓ કાકવી ખાઓ.

મહત્વની એક વાત..

  *ખાંડ આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે, જ્યારે ગોળ આપના પોતાના દેશની પ્રોડક્ટ છે... તેને ભોજનમાં વિશેષ સ્થાન આપીએ... દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ...*

Comments

Popular posts from this blog

શિક્ષક દિન વિશેષ...

સારવારના સરનામાં

દિન વિશેષ...